સોશિયલ મીડિયા પર વાયરલ થયો શાળામાં ભણતા બાળકનો વીડિયો, બહેનપણી સાથે બેસવા ન મળતા બાળક ગુસ્સે થયો!, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-05 10:23:34

આજ કાલના ટેણિયાઓને જોઈને આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે હમણાંથી આ હાલ છે તો આગળ જઈને શું કરશે. આજ કાલની જનરેશન એટલી સ્માર્ટ છે કે આપણે જો કોઈ વસ્તુ તેમને સમજાવીએ તો સામે ઘણા સવાલો કરે છે. આપણે જે વસ્તુઓ મોટા થયા પછી સમજતા હોઈયે છીએ તે આજની જનરેશન હમણાંથી સમજવા લાગી છે. અનેક એવા શબ્દો હોય છે જેની ચર્ચા કરતા પહેલા સો વખત આપણે નાના હતા ત્યારે વિચારતા હતા પરંતુ હવેના બાળકો તો આસાનીથી એ વાતોને, એ શબ્દોને બોલી તેના વિષે ચર્ચા કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો ક્યુટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરો તેની બાળકી મિત્ર સાથે બેસવાની જીદ કરી રહ્યો છે,   


પ્રેમ-રિલેશનશિપ વિશે વાતો કરતા હોય છે નાના ટેણિયાઓ

સોશિયલ મીડિયા પર એવા બાળકોના એવા અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં નાના બાળકોની ચતુરાઈ જોવા મળતી હોય છે. અનેક વખત એવા વીડિયો જોયા હશે જેને જોઈ આપણે પણ મનમાં વિચારતા હોઈએ છીએ કે આટલી નાની ઉંમરે આટલી સમજશક્તિ આવી ક્યાંથી? પ્રેમ, રિલેશનશીપ જેવા શબ્દો અનેક વખત આપણે બાળકોના મોઢે એવી રીતના સાંભળતા હોઈએ છીએ કે જાણે તેઓ તે વિષયમાં પારંગત હોય. ગર્લ ફ્રેન્ડ, બ્રોય ફેન્ડ જેવા શબ્દો આસાનીથી બાળકો બોલતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક પોતાની મિત્ર ફેન્ડ સાથે બેસવાની જીદ કરી રહ્યો છે.

   


બાળક કહે છે તે મને સૌથી વધારે ગમે છે!  

શાળામાં ભણતો વિદ્યાર્થી તેની બહેનપણી સાથે બેસવાની જીદ કરી રહ્યો છે. પરંતુ તેને બેસવાની ના પાડવામાં આવે છે. જેને લઈ બાળક ગુસ્સો કરે છે. આ મામલો શિક્ષક પાસે પહોંચે છે અને બાળક શિક્ષકને પોતાની વાત રજૂ કરે છે. આવું શું કામ કર્યું તે અંગે શિક્ષકે જ્યારે બાળકને પૂછ્યું ત્યારે છોકરો કહે છે કે તે મને સીટ પર બેસવા નથી દેતી. તે બાદ શિક્ષક કહે છે તું ક્યાંય બીજે બેસી જા.પછી બાળક કહે છે કે તે મને સૌથી વધારે ગમે છે. આ સાંભળીને શિક્ષક તો હસવા લાગે છે જ પરંતુ વીડિયો વાયરલ થયા બાદ બાળકની નિર્દોષ વાતો સાંભળી લોકો પણ હસી રહ્યા છે. બાળકનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો પર અનેક યુઝર્સે કમેન્ટ પણ કરી છે. કોઈએ લખ્યું કે બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે, તો કોઈએ લખ્યું ક્યુટનેસ ઓવરલોડેડ..


બાળક શાંતિથી બેસે તે માટે માતા પિતા આપે છે ફોન! 

મહત્વનું છે કે જેટલી આસાનીથી મોટા ફોન નથી વાપરી શકતા, જે ફીચર્સની મોટાઓને ખબર નથી હોતી તે બધી વાતો નાના બાળકોને ખબર હોય છે. એટલી ઝડપથી ફોનમાં સેટિંગ્સ બદલી નાખતા હોય છે જાણે કે ફોન તેમના માટે રમકડું હોય. પરંતુ આ બધા વચ્ચે ચિંતા કરવાની વાત એ છે કે મોબાઈલના આધીન આજ કાલની જનરેશન થઈ ગઈ છે. અનેક બાળકો એવા હોય છે જેમને ફોન વગર ખાવાનું ગળે નથી ઉતરતું. અનેક વખત એવું પણ જોવા મળ્યું છે કે માતા પિતા કામમાં વ્યસ્ત હોય તો બાળક શાંત રહે તે માટે મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. ત્યારે આ તેનું પણ પરિણામ છે તેવું લોકો માની રહ્યા છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.