Social Media પર Viral થયો હતો ઓવરસ્પીડમાં ગાડી ચલાવતી યુવતીનો વીડિયો, રાજકોટ પોલીસે શેર કર્યો Before And Afterનો વીડિયો!


  • Published By :
  • Published Date : 2023-08-01 16:38:24

થોડા સમય પહેલા રાજકોટથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક મહિલા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતી હતી. તથ્ય પટેલ કેસ બાદ આવા વીડિયો પર પોલીસ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થતા હોય છે. નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠતી હોય છે. તથ્ય પટેલ બાદ તો ઓવરસ્પીડિંગ વાળા વીડિયોનો જાણે વરસાદ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુવતી વિરૂદ્ધ રાજકોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એક વીડિયો સોશિયલ મીડિયા પર રાજકોટ પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તે યુવતી માફી માગી રહી છે.

કાયદાભંગ થતા હોય તેવા વીડિયો થયા હતા વાયરલ 

તથ્ય પટેલ દ્વારા થયેલા અકસ્માતની ચર્ચાઓ થઈ રહી હતી તે સમય દરમિયાન અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં ઓવરસ્પીડિંગ તેમજ કાયદાનો ભંગ કરતા લોકો દેખાતા હતા. ગુજરાત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો વાયરલ થયા હતા તે લોકો વિરૂદ્ધ પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. 


અટકાયત બાદ મહિલાએ માફી માગી 

રાજકોટથી થોડા સમય પહેલા એક યુવતીનો વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવતી ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહી હતી. તે યુવતી વિરૂદ્ધ કાર્યવાહી પોલીસે કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ દ્વારા તે યુવતીની અટકાયત કરી લેવામાં આવી છે. જેમાં તે યુવતી માફી માગ રહી છે. યુવતીએ કહ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે જૂનો છે. એના માટે આઈએમ સો સોરી. બીજા લોકોને તેણે સલાહ આપતા કહ્યું કે સ્લો સ્પીડમાં ગાડી ચલાવી જોઈએ. એ આપણી જવાબદારી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.