સોશિયલ મીડિયા પર વાયરલ થયો ઓવરસ્પીડમાં ડ્રાઈવ કરતી યુવતીનો વીડિયો! યુવાનોએ તથ્ય પટેલ કેસમાંથી લેવો જોઈએ સબક!


  • Published By :
  • Published Date : 2023-07-29 16:34:59

તથ્ય પટેલ કાંડ થયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઓવરસ્પીડિંગના તેમજ રિલ્સ પર સૌથી વધારે ધ્યાન આકર્ષાય છે. ત્યારે સુરતથી પહેલા પોલીસનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે સ્ટંટ કરતા દેખાતા હતા. ત્યારે એક યુવતીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહી છે. અનેક વખત અમે કહેતા આવ્યા છીએ કે આપણે નાગરિક બનીએ તો સારૂ, પરંતુ રીલ બનવવાની ઘેલછામાં યુવાનો અનેક હદોને પાર કરી રહ્યા છે. પહેલા પણ અનેક વખત આપણે આવા વીડિયો જોયા હશે પરંતુ ધ્યાન નહીં આપ્યું હોય. પરંતુ હવે તો આવા વીડિયો પર વધારે ધ્યાન જઈ રહ્યું છે. એ અમારૂં હોય કે પછી તમારૂ ધ્યાન હોય.. 

એક યુવતીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયા પર જન્નત મીર નામની છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે બેફામ રીતે ગાડી ચલાવી રહી છે. આજકાલ જે બેફામ રીતે ગાડી ચલાવતા લોકોના વીડિયો સામે આવી રહ્યા છે તેની પાછળ સૌથી વધારે જવાબદાર છે સોશિયલ મીડિયા અને તેમના માં બાપ. વાલીઓ પોતાના યુવાન બાળકોની જીદને સંતોષવા માટે ટ્રાફિકના નિયમોની જાણકારી આપ્યા વગર ગાડીની ચાવી આપી દેતા હોય છે. ચાવી તો માતા પિતા આપી દેતા હોય છે પરંતુ એમના સંતાનો ગાડી કઈ સ્પીડે ચલાવે છે, કેવી રીતે ચલાવે છે તેની પર ધ્યાન નથી આપતા. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે પ્રજ્ઞેશ પટેલ.  


માતા-પિતાના વ્હાલની કિંમત બીજા લોકોને ચૂકવવી પડે છે... 

આ બધા વીડિયો જોઈ એક પ્રશ્ન માતા પિતાને પૂછવો છે કે જ્યારે તમે તમારા બાળકોને ટેબલ મેનર્સ શીખવાડો છો ત્યારે ટ્રાફિકના નિયમો શીખવાડવાનું કેમ ભૂલી જાવ છો? એમને ગાડીની ચાવી આપી દો છો ત્યારે જોવો છો કે એ રસ્તા પર કેવી રીતે ચલાવે છે? ક્યારેય તમે તમારા બાળકોની તેમજ રસ્તા પર જતા બીજા લોકોની ચિંતા કરી છે કે જો અકસ્માત સર્જાશે તો તેમનું શું થશે? આવી રીતે બેફામ ચલાવવાને કારણે શું દુર્ઘટના સર્જાઈ શકે છે તે તો આપણી સમક્ષ છે જ. તથ્ય પટેલનો કેસ.. આપણે પણ આપણી ફરજ સમજી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે રાજ્યમાં એક તથ્ય નથી, ઢગલાબંધ તથ્ય છે. તથ્ય માત્ર એક એવી પેઢી, એવા નબીરાઓનું પ્રતિબિંબ છે જેમના માટે આટલી સ્પીડમાં ગાડી ચલાવવી સામાન્ય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.