સોશિયલ મીડિયા પર વાયરલ થયો ઓવરસ્પીડમાં ડ્રાઈવ કરતી યુવતીનો વીડિયો! યુવાનોએ તથ્ય પટેલ કેસમાંથી લેવો જોઈએ સબક!


  • Published By :
  • Published Date : 2023-07-29 16:34:59

તથ્ય પટેલ કાંડ થયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઓવરસ્પીડિંગના તેમજ રિલ્સ પર સૌથી વધારે ધ્યાન આકર્ષાય છે. ત્યારે સુરતથી પહેલા પોલીસનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે સ્ટંટ કરતા દેખાતા હતા. ત્યારે એક યુવતીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહી છે. અનેક વખત અમે કહેતા આવ્યા છીએ કે આપણે નાગરિક બનીએ તો સારૂ, પરંતુ રીલ બનવવાની ઘેલછામાં યુવાનો અનેક હદોને પાર કરી રહ્યા છે. પહેલા પણ અનેક વખત આપણે આવા વીડિયો જોયા હશે પરંતુ ધ્યાન નહીં આપ્યું હોય. પરંતુ હવે તો આવા વીડિયો પર વધારે ધ્યાન જઈ રહ્યું છે. એ અમારૂં હોય કે પછી તમારૂ ધ્યાન હોય.. 

એક યુવતીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયા પર જન્નત મીર નામની છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે બેફામ રીતે ગાડી ચલાવી રહી છે. આજકાલ જે બેફામ રીતે ગાડી ચલાવતા લોકોના વીડિયો સામે આવી રહ્યા છે તેની પાછળ સૌથી વધારે જવાબદાર છે સોશિયલ મીડિયા અને તેમના માં બાપ. વાલીઓ પોતાના યુવાન બાળકોની જીદને સંતોષવા માટે ટ્રાફિકના નિયમોની જાણકારી આપ્યા વગર ગાડીની ચાવી આપી દેતા હોય છે. ચાવી તો માતા પિતા આપી દેતા હોય છે પરંતુ એમના સંતાનો ગાડી કઈ સ્પીડે ચલાવે છે, કેવી રીતે ચલાવે છે તેની પર ધ્યાન નથી આપતા. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે પ્રજ્ઞેશ પટેલ.  


માતા-પિતાના વ્હાલની કિંમત બીજા લોકોને ચૂકવવી પડે છે... 

આ બધા વીડિયો જોઈ એક પ્રશ્ન માતા પિતાને પૂછવો છે કે જ્યારે તમે તમારા બાળકોને ટેબલ મેનર્સ શીખવાડો છો ત્યારે ટ્રાફિકના નિયમો શીખવાડવાનું કેમ ભૂલી જાવ છો? એમને ગાડીની ચાવી આપી દો છો ત્યારે જોવો છો કે એ રસ્તા પર કેવી રીતે ચલાવે છે? ક્યારેય તમે તમારા બાળકોની તેમજ રસ્તા પર જતા બીજા લોકોની ચિંતા કરી છે કે જો અકસ્માત સર્જાશે તો તેમનું શું થશે? આવી રીતે બેફામ ચલાવવાને કારણે શું દુર્ઘટના સર્જાઈ શકે છે તે તો આપણી સમક્ષ છે જ. તથ્ય પટેલનો કેસ.. આપણે પણ આપણી ફરજ સમજી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે રાજ્યમાં એક તથ્ય નથી, ઢગલાબંધ તથ્ય છે. તથ્ય માત્ર એક એવી પેઢી, એવા નબીરાઓનું પ્રતિબિંબ છે જેમના માટે આટલી સ્પીડમાં ગાડી ચલાવવી સામાન્ય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.