સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભ્રષ્ટાચારથી બનેલા રોડનો વીડિયો! એક હાથથી ઉખડી રહ્યો છે ડામરનો રોડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-19 11:01:23

અનેક વખત રોડ રસ્તાની વાતો કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. થોડા સમય પહેલા એવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચાદરની જેમ રસ્તો લોકો ઉખેડી રહ્યા હતા. ત્યારે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર લગાવવામાં આવતા ડામરને ઉખેડવામાં આવી રહ્યો છે. નવોનક્કોર રસ્તો હાથમાં આવી રહ્યો છે. આ વીડિયો જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર જાણે સીધેસીધું ડામર પાથરી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડતા હોય છે ખાડા 

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, તો અનેક જગ્યાઓ પર ભૂવા પડતા હોય છે. ચોમાસામાં જેમ વરસાદ વરસતો હોય તેવી રીતે ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાઓ હાથમાં આવી જતા હોય છે. રસ્તાઓની નબળી કામગીરીને લઈ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાડાને કારણે શરીરને તો નુકસાન પહોંચે છે પરંતુ વાહનને પણ નુકસાન પહોંચે છે. રસ્તાઓ પર  પડેલા ખાડા માત્ર જનતાને દેખાતા હોય છે પરંતુ સત્તાપક્ષના નેતાઓને ખાડા દેખાતા નથી. વાત પણ સાચી છે જ્યારે મોટા નેતાઓ રસ્તાઓ પર નીકળવાના હોય ત્યારે રસ્તાને સારા કરી દેવામાં આવતા હોય છે. નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવતું હોય છે.


હાથથી એક વ્યક્તિ ઉખાડી રહ્યો છે રસ્તાનો ડામર

રસ્તાના નિર્માણ દરમિયાન નબળી કામગીરી કરવામાં આવતી હોય છે જેને લઈ સામાન્ય વરસાદમાં પણ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. રોડને લઈ એમ પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં માણસ આસાનીથી રોડ પર પાથરવામાં આવેલા ડામરને ઉખાડી રહ્યો છે. રોડ એટલો તકલાદી છે કે ડામર હાથથી ઉખાડતા પણ મુશ્કેલી નથી થતી. આની પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચાદરની જેમ રસ્તાને ઉપાડવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ છે કે રસ્તાના નિર્માણ પાછળ કરોડો ખર્ચવામાં આવે છે, થોડો સમય થયો નથી અને રસ્તા પર પાઈપલાઈન અથવા તો અન્ય વસ્તુને લઈ ખોદકામ કરવામાં આવતું હોય છે. જેને લઈ ફરીથી કરોડોનો ખર્ચો થાય છે. આ રુપિયા જનતા દ્વારા ભરવામાં આવેલા ટ્રેક્સના હોય છે.

રસ્તા પર પડેલા ખાડા માત્ર લોકોને જ દેખાય છે!

રસ્તા પર ખાડા પડતા રસ્તા અંગે જ્યારે ડિબેટમાં પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રવક્તાએ દેવાંશી જોશીને જણાવ્યું કે રસ્તાઓ એવા બનાવ્યા છે જાણે નાના બાળકોના ગાલ હોય છે એવા. તે પહેલા રસ્તાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે રસ્તા એટલા સારા છે જો તમે રકાબીમાં ચા પીઓ તો પણ પડે નહીં. મહત્વનું છે કે એ લોકો તો રસ્તા સારા જ લાગવાના કારણ કે જ્યારે કોઈ નેતા અથવા અધિકારી રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને સુધારી દેવામાં આવે છે. રસ્તાનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ જે અગવડ પડે છે તે સામાન્ય વ્યક્તિને પડે છે. સારા રસ્તા બને તેવી માગ અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.