સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભ્રષ્ટાચારથી બનેલા રોડનો વીડિયો! એક હાથથી ઉખડી રહ્યો છે ડામરનો રોડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-19 11:01:23

અનેક વખત રોડ રસ્તાની વાતો કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. થોડા સમય પહેલા એવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચાદરની જેમ રસ્તો લોકો ઉખેડી રહ્યા હતા. ત્યારે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર લગાવવામાં આવતા ડામરને ઉખેડવામાં આવી રહ્યો છે. નવોનક્કોર રસ્તો હાથમાં આવી રહ્યો છે. આ વીડિયો જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર જાણે સીધેસીધું ડામર પાથરી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડતા હોય છે ખાડા 

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, તો અનેક જગ્યાઓ પર ભૂવા પડતા હોય છે. ચોમાસામાં જેમ વરસાદ વરસતો હોય તેવી રીતે ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાઓ હાથમાં આવી જતા હોય છે. રસ્તાઓની નબળી કામગીરીને લઈ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાડાને કારણે શરીરને તો નુકસાન પહોંચે છે પરંતુ વાહનને પણ નુકસાન પહોંચે છે. રસ્તાઓ પર  પડેલા ખાડા માત્ર જનતાને દેખાતા હોય છે પરંતુ સત્તાપક્ષના નેતાઓને ખાડા દેખાતા નથી. વાત પણ સાચી છે જ્યારે મોટા નેતાઓ રસ્તાઓ પર નીકળવાના હોય ત્યારે રસ્તાને સારા કરી દેવામાં આવતા હોય છે. નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવતું હોય છે.


હાથથી એક વ્યક્તિ ઉખાડી રહ્યો છે રસ્તાનો ડામર

રસ્તાના નિર્માણ દરમિયાન નબળી કામગીરી કરવામાં આવતી હોય છે જેને લઈ સામાન્ય વરસાદમાં પણ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. રોડને લઈ એમ પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં માણસ આસાનીથી રોડ પર પાથરવામાં આવેલા ડામરને ઉખાડી રહ્યો છે. રોડ એટલો તકલાદી છે કે ડામર હાથથી ઉખાડતા પણ મુશ્કેલી નથી થતી. આની પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચાદરની જેમ રસ્તાને ઉપાડવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ છે કે રસ્તાના નિર્માણ પાછળ કરોડો ખર્ચવામાં આવે છે, થોડો સમય થયો નથી અને રસ્તા પર પાઈપલાઈન અથવા તો અન્ય વસ્તુને લઈ ખોદકામ કરવામાં આવતું હોય છે. જેને લઈ ફરીથી કરોડોનો ખર્ચો થાય છે. આ રુપિયા જનતા દ્વારા ભરવામાં આવેલા ટ્રેક્સના હોય છે.

રસ્તા પર પડેલા ખાડા માત્ર લોકોને જ દેખાય છે!

રસ્તા પર ખાડા પડતા રસ્તા અંગે જ્યારે ડિબેટમાં પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રવક્તાએ દેવાંશી જોશીને જણાવ્યું કે રસ્તાઓ એવા બનાવ્યા છે જાણે નાના બાળકોના ગાલ હોય છે એવા. તે પહેલા રસ્તાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે રસ્તા એટલા સારા છે જો તમે રકાબીમાં ચા પીઓ તો પણ પડે નહીં. મહત્વનું છે કે એ લોકો તો રસ્તા સારા જ લાગવાના કારણ કે જ્યારે કોઈ નેતા અથવા અધિકારી રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને સુધારી દેવામાં આવે છે. રસ્તાનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ જે અગવડ પડે છે તે સામાન્ય વ્યક્તિને પડે છે. સારા રસ્તા બને તેવી માગ અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.