સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભ્રષ્ટાચારથી બનેલા રોડનો વીડિયો! એક હાથથી ઉખડી રહ્યો છે ડામરનો રોડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-19 11:01:23

અનેક વખત રોડ રસ્તાની વાતો કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. થોડા સમય પહેલા એવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચાદરની જેમ રસ્તો લોકો ઉખેડી રહ્યા હતા. ત્યારે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર લગાવવામાં આવતા ડામરને ઉખેડવામાં આવી રહ્યો છે. નવોનક્કોર રસ્તો હાથમાં આવી રહ્યો છે. આ વીડિયો જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર જાણે સીધેસીધું ડામર પાથરી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડતા હોય છે ખાડા 

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, તો અનેક જગ્યાઓ પર ભૂવા પડતા હોય છે. ચોમાસામાં જેમ વરસાદ વરસતો હોય તેવી રીતે ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાઓ હાથમાં આવી જતા હોય છે. રસ્તાઓની નબળી કામગીરીને લઈ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાડાને કારણે શરીરને તો નુકસાન પહોંચે છે પરંતુ વાહનને પણ નુકસાન પહોંચે છે. રસ્તાઓ પર  પડેલા ખાડા માત્ર જનતાને દેખાતા હોય છે પરંતુ સત્તાપક્ષના નેતાઓને ખાડા દેખાતા નથી. વાત પણ સાચી છે જ્યારે મોટા નેતાઓ રસ્તાઓ પર નીકળવાના હોય ત્યારે રસ્તાને સારા કરી દેવામાં આવતા હોય છે. નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવતું હોય છે.


હાથથી એક વ્યક્તિ ઉખાડી રહ્યો છે રસ્તાનો ડામર

રસ્તાના નિર્માણ દરમિયાન નબળી કામગીરી કરવામાં આવતી હોય છે જેને લઈ સામાન્ય વરસાદમાં પણ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. રોડને લઈ એમ પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં માણસ આસાનીથી રોડ પર પાથરવામાં આવેલા ડામરને ઉખાડી રહ્યો છે. રોડ એટલો તકલાદી છે કે ડામર હાથથી ઉખાડતા પણ મુશ્કેલી નથી થતી. આની પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચાદરની જેમ રસ્તાને ઉપાડવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ છે કે રસ્તાના નિર્માણ પાછળ કરોડો ખર્ચવામાં આવે છે, થોડો સમય થયો નથી અને રસ્તા પર પાઈપલાઈન અથવા તો અન્ય વસ્તુને લઈ ખોદકામ કરવામાં આવતું હોય છે. જેને લઈ ફરીથી કરોડોનો ખર્ચો થાય છે. આ રુપિયા જનતા દ્વારા ભરવામાં આવેલા ટ્રેક્સના હોય છે.

રસ્તા પર પડેલા ખાડા માત્ર લોકોને જ દેખાય છે!

રસ્તા પર ખાડા પડતા રસ્તા અંગે જ્યારે ડિબેટમાં પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રવક્તાએ દેવાંશી જોશીને જણાવ્યું કે રસ્તાઓ એવા બનાવ્યા છે જાણે નાના બાળકોના ગાલ હોય છે એવા. તે પહેલા રસ્તાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે રસ્તા એટલા સારા છે જો તમે રકાબીમાં ચા પીઓ તો પણ પડે નહીં. મહત્વનું છે કે એ લોકો તો રસ્તા સારા જ લાગવાના કારણ કે જ્યારે કોઈ નેતા અથવા અધિકારી રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને સુધારી દેવામાં આવે છે. રસ્તાનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ જે અગવડ પડે છે તે સામાન્ય વ્યક્તિને પડે છે. સારા રસ્તા બને તેવી માગ અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.