સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભ્રષ્ટાચારથી બનેલા રોડનો વીડિયો! એક હાથથી ઉખડી રહ્યો છે ડામરનો રોડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-19 11:01:23

અનેક વખત રોડ રસ્તાની વાતો કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. થોડા સમય પહેલા એવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચાદરની જેમ રસ્તો લોકો ઉખેડી રહ્યા હતા. ત્યારે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર લગાવવામાં આવતા ડામરને ઉખેડવામાં આવી રહ્યો છે. નવોનક્કોર રસ્તો હાથમાં આવી રહ્યો છે. આ વીડિયો જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર જાણે સીધેસીધું ડામર પાથરી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડતા હોય છે ખાડા 

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, તો અનેક જગ્યાઓ પર ભૂવા પડતા હોય છે. ચોમાસામાં જેમ વરસાદ વરસતો હોય તેવી રીતે ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાઓ હાથમાં આવી જતા હોય છે. રસ્તાઓની નબળી કામગીરીને લઈ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાડાને કારણે શરીરને તો નુકસાન પહોંચે છે પરંતુ વાહનને પણ નુકસાન પહોંચે છે. રસ્તાઓ પર  પડેલા ખાડા માત્ર જનતાને દેખાતા હોય છે પરંતુ સત્તાપક્ષના નેતાઓને ખાડા દેખાતા નથી. વાત પણ સાચી છે જ્યારે મોટા નેતાઓ રસ્તાઓ પર નીકળવાના હોય ત્યારે રસ્તાને સારા કરી દેવામાં આવતા હોય છે. નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવતું હોય છે.


હાથથી એક વ્યક્તિ ઉખાડી રહ્યો છે રસ્તાનો ડામર

રસ્તાના નિર્માણ દરમિયાન નબળી કામગીરી કરવામાં આવતી હોય છે જેને લઈ સામાન્ય વરસાદમાં પણ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. રોડને લઈ એમ પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં માણસ આસાનીથી રોડ પર પાથરવામાં આવેલા ડામરને ઉખાડી રહ્યો છે. રોડ એટલો તકલાદી છે કે ડામર હાથથી ઉખાડતા પણ મુશ્કેલી નથી થતી. આની પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચાદરની જેમ રસ્તાને ઉપાડવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ છે કે રસ્તાના નિર્માણ પાછળ કરોડો ખર્ચવામાં આવે છે, થોડો સમય થયો નથી અને રસ્તા પર પાઈપલાઈન અથવા તો અન્ય વસ્તુને લઈ ખોદકામ કરવામાં આવતું હોય છે. જેને લઈ ફરીથી કરોડોનો ખર્ચો થાય છે. આ રુપિયા જનતા દ્વારા ભરવામાં આવેલા ટ્રેક્સના હોય છે.

રસ્તા પર પડેલા ખાડા માત્ર લોકોને જ દેખાય છે!

રસ્તા પર ખાડા પડતા રસ્તા અંગે જ્યારે ડિબેટમાં પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રવક્તાએ દેવાંશી જોશીને જણાવ્યું કે રસ્તાઓ એવા બનાવ્યા છે જાણે નાના બાળકોના ગાલ હોય છે એવા. તે પહેલા રસ્તાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે રસ્તા એટલા સારા છે જો તમે રકાબીમાં ચા પીઓ તો પણ પડે નહીં. મહત્વનું છે કે એ લોકો તો રસ્તા સારા જ લાગવાના કારણ કે જ્યારે કોઈ નેતા અથવા અધિકારી રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને સુધારી દેવામાં આવે છે. રસ્તાનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ જે અગવડ પડે છે તે સામાન્ય વ્યક્તિને પડે છે. સારા રસ્તા બને તેવી માગ અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.