Social Media પર Viral થયો Stunt કરતા યુવકનો વીડિયો, Jetpurનાં BJP નેતાનાં પુત્રે કર્યું કાયદાનું ઉલ્લંઘન, શું યુવક વિરૂદ્ધ થશે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:07:19

સોશિયલ મીડિયા પર અનેક સ્ટંટ કરતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. લોકો સામે રોફ જમાવવા અનેક લોકો મુખ્યત્વે યુવાનો સ્ટંટ કરતા દેખાતા હોય છે. તથ્યકાંડ બાદ આવા સ્ટંટ કરતા લોકોના અનેક વીડિયો સામે આવ્યા છે. પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી હતી કે જો તમને સ્ટંટ કરવાનો આટલો બધો શોખ હોય તો સેનામાં જોડાઈ જાવ. આ નિવેદનને હજૂ ગણતરીના જ દિવસો થયા છે ત્યારે ભાજપના જ નેતાના પુત્રનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી હતી આ સલાહ 

સ્ટંટ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આપણને અનેક રિલ્સ જોવા મળી હોય છે જેમાં લોકો ઝડપથી વાહન ચલાવતા હોય છે. રિલ્સ અને સોશિયલ મીડિયામાં રોલા પાડવા સ્ટંટ કરવાનો ક્રેઝ યુવાનોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ સ્ટંટ કરતા યુવાનો નથી વિચારતા કે તેમનો આ ક્રેઝ કોઈની જિંદગી પણ છીનવી શકે છે, અકસ્માત સર્જાઈ શકે છે જેમાં કોઈનું મોત પણ થઈ શકે છે. જે રીતે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો પોતાના જીવનને તો ખતરમાં મૂકે છે પરંતુ બીજાની જિંદગીને પણ ખતરામાં મૂકે છે.


શું ભાજપના નેતાના પુત્ર વિરૂદ્ધ થશે કાર્યવાહી? 

આજના યુવાનોમાં રિલ્સનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. સ્ટંટ કરતા યુવાનોને શનિવારે હર્ષ સંઘવીએ એક સલાહ આપી હતી કે  સ્ટંટ કરવા હોય તો આર્મીમાં જાવ. આ વાતને હજી ગણતરીના દિવસો જ થયા છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપના જ નેતાના સુપુત્રનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટંટ કરી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાતો યુવક જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવા છે. તેણે કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં દેખાય છે કે યુવક ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. હવે સવાલ છે કે આ નબીરાના પપ્પા ભાજપમાં નેતા છે તો તેની સામે કાર્યવાહી થશે?


સ્ટંટબાજોને નથી કાયદાનો ડર?

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. તથ્યકાંડ બાદ પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા લોકો સબક લેવા તૈયાર નથી. ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવાની વાત તો બાજુમાં રહી પરંતુ તેમનાથી પણ અકસ્માત થઈ શકે છે તે વિચારતા નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસની કાર્યવાહીનો પણ જાણે લોકોને બીક ન હોય તેવું લાગી રહ્યું છે. ખબર છે કે સ્ટંટ કરવું પોતાના માટે તો નુકસાનકારક છે પરંતુ બીજાને પણ આને કારણે હાની પહોંચી શખે છે તો પણ લોકો સ્ટંટ કરી રહ્યા છે. એ લોકો સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, તો આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે. અને જેના પપ્પા નેતા હોય એના દીકરાને તો એ વાતનો જ ઘમંડ હોય ને કે મારા પપ્પાતો નેતા છે એટલે મારુ કોઈ શું ઉખાડી લેશે? ત્યાં હવે જોવું એ રહ્યું છે કે શું ભાજપના નેતા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે પછી? 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.