Social Media પર Viral થયો Stunt કરતા યુવકનો વીડિયો, Jetpurનાં BJP નેતાનાં પુત્રે કર્યું કાયદાનું ઉલ્લંઘન, શું યુવક વિરૂદ્ધ થશે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:07:19

સોશિયલ મીડિયા પર અનેક સ્ટંટ કરતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. લોકો સામે રોફ જમાવવા અનેક લોકો મુખ્યત્વે યુવાનો સ્ટંટ કરતા દેખાતા હોય છે. તથ્યકાંડ બાદ આવા સ્ટંટ કરતા લોકોના અનેક વીડિયો સામે આવ્યા છે. પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી હતી કે જો તમને સ્ટંટ કરવાનો આટલો બધો શોખ હોય તો સેનામાં જોડાઈ જાવ. આ નિવેદનને હજૂ ગણતરીના જ દિવસો થયા છે ત્યારે ભાજપના જ નેતાના પુત્રનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી હતી આ સલાહ 

સ્ટંટ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આપણને અનેક રિલ્સ જોવા મળી હોય છે જેમાં લોકો ઝડપથી વાહન ચલાવતા હોય છે. રિલ્સ અને સોશિયલ મીડિયામાં રોલા પાડવા સ્ટંટ કરવાનો ક્રેઝ યુવાનોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ સ્ટંટ કરતા યુવાનો નથી વિચારતા કે તેમનો આ ક્રેઝ કોઈની જિંદગી પણ છીનવી શકે છે, અકસ્માત સર્જાઈ શકે છે જેમાં કોઈનું મોત પણ થઈ શકે છે. જે રીતે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો પોતાના જીવનને તો ખતરમાં મૂકે છે પરંતુ બીજાની જિંદગીને પણ ખતરામાં મૂકે છે.


શું ભાજપના નેતાના પુત્ર વિરૂદ્ધ થશે કાર્યવાહી? 

આજના યુવાનોમાં રિલ્સનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. સ્ટંટ કરતા યુવાનોને શનિવારે હર્ષ સંઘવીએ એક સલાહ આપી હતી કે  સ્ટંટ કરવા હોય તો આર્મીમાં જાવ. આ વાતને હજી ગણતરીના દિવસો જ થયા છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપના જ નેતાના સુપુત્રનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટંટ કરી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાતો યુવક જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવા છે. તેણે કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં દેખાય છે કે યુવક ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. હવે સવાલ છે કે આ નબીરાના પપ્પા ભાજપમાં નેતા છે તો તેની સામે કાર્યવાહી થશે?


સ્ટંટબાજોને નથી કાયદાનો ડર?

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. તથ્યકાંડ બાદ પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા લોકો સબક લેવા તૈયાર નથી. ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવાની વાત તો બાજુમાં રહી પરંતુ તેમનાથી પણ અકસ્માત થઈ શકે છે તે વિચારતા નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસની કાર્યવાહીનો પણ જાણે લોકોને બીક ન હોય તેવું લાગી રહ્યું છે. ખબર છે કે સ્ટંટ કરવું પોતાના માટે તો નુકસાનકારક છે પરંતુ બીજાને પણ આને કારણે હાની પહોંચી શખે છે તો પણ લોકો સ્ટંટ કરી રહ્યા છે. એ લોકો સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, તો આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે. અને જેના પપ્પા નેતા હોય એના દીકરાને તો એ વાતનો જ ઘમંડ હોય ને કે મારા પપ્પાતો નેતા છે એટલે મારુ કોઈ શું ઉખાડી લેશે? ત્યાં હવે જોવું એ રહ્યું છે કે શું ભાજપના નેતા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે પછી? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.