Social Media પર Viral થયો Stunt કરતા યુવકનો વીડિયો, Jetpurનાં BJP નેતાનાં પુત્રે કર્યું કાયદાનું ઉલ્લંઘન, શું યુવક વિરૂદ્ધ થશે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:07:19

સોશિયલ મીડિયા પર અનેક સ્ટંટ કરતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. લોકો સામે રોફ જમાવવા અનેક લોકો મુખ્યત્વે યુવાનો સ્ટંટ કરતા દેખાતા હોય છે. તથ્યકાંડ બાદ આવા સ્ટંટ કરતા લોકોના અનેક વીડિયો સામે આવ્યા છે. પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી હતી કે જો તમને સ્ટંટ કરવાનો આટલો બધો શોખ હોય તો સેનામાં જોડાઈ જાવ. આ નિવેદનને હજૂ ગણતરીના જ દિવસો થયા છે ત્યારે ભાજપના જ નેતાના પુત્રનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી હતી આ સલાહ 

સ્ટંટ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આપણને અનેક રિલ્સ જોવા મળી હોય છે જેમાં લોકો ઝડપથી વાહન ચલાવતા હોય છે. રિલ્સ અને સોશિયલ મીડિયામાં રોલા પાડવા સ્ટંટ કરવાનો ક્રેઝ યુવાનોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ સ્ટંટ કરતા યુવાનો નથી વિચારતા કે તેમનો આ ક્રેઝ કોઈની જિંદગી પણ છીનવી શકે છે, અકસ્માત સર્જાઈ શકે છે જેમાં કોઈનું મોત પણ થઈ શકે છે. જે રીતે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો પોતાના જીવનને તો ખતરમાં મૂકે છે પરંતુ બીજાની જિંદગીને પણ ખતરામાં મૂકે છે.


શું ભાજપના નેતાના પુત્ર વિરૂદ્ધ થશે કાર્યવાહી? 

આજના યુવાનોમાં રિલ્સનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. સ્ટંટ કરતા યુવાનોને શનિવારે હર્ષ સંઘવીએ એક સલાહ આપી હતી કે  સ્ટંટ કરવા હોય તો આર્મીમાં જાવ. આ વાતને હજી ગણતરીના દિવસો જ થયા છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપના જ નેતાના સુપુત્રનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટંટ કરી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાતો યુવક જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવા છે. તેણે કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં દેખાય છે કે યુવક ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. હવે સવાલ છે કે આ નબીરાના પપ્પા ભાજપમાં નેતા છે તો તેની સામે કાર્યવાહી થશે?


સ્ટંટબાજોને નથી કાયદાનો ડર?

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. તથ્યકાંડ બાદ પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા લોકો સબક લેવા તૈયાર નથી. ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવાની વાત તો બાજુમાં રહી પરંતુ તેમનાથી પણ અકસ્માત થઈ શકે છે તે વિચારતા નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસની કાર્યવાહીનો પણ જાણે લોકોને બીક ન હોય તેવું લાગી રહ્યું છે. ખબર છે કે સ્ટંટ કરવું પોતાના માટે તો નુકસાનકારક છે પરંતુ બીજાને પણ આને કારણે હાની પહોંચી શખે છે તો પણ લોકો સ્ટંટ કરી રહ્યા છે. એ લોકો સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, તો આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે. અને જેના પપ્પા નેતા હોય એના દીકરાને તો એ વાતનો જ ઘમંડ હોય ને કે મારા પપ્પાતો નેતા છે એટલે મારુ કોઈ શું ઉખાડી લેશે? ત્યાં હવે જોવું એ રહ્યું છે કે શું ભાજપના નેતા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે પછી? 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.