Social Media પર વાયરલ થયો પિતા અને પુત્રનો વીડિયો, બાળકને ઠંડી ન લાગે માટે પિતાએ કર્યું કંઈક આવું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 14:26:32

દરેકના જીવનમાં એક સુપરહીરો હોય છે જેને આપણે પિતા તરીકે ઓળખીએ છીએ. પિતા એક એવું પાત્ર જેના માટે ઓછું લખાયું છે ઓછું કહેવાયું છે પરંતુ તે પ્રેમ તો એટલો જ  કરે છે જેટલો પ્રેમ માતા કરે છે. કહેવાય છે કે માતા પોતાના લાડથી પોતાના પ્રેમ વ્યક્ત કરી લે છે પરંતુ પિતા પોતાના પ્રેમને વ્યક્ત નથી કરી શક્તા. પિતા ભલે આપણી સામે તેમની લાગણી વ્યક્ત ન કરતા હોય પરંતુ તેમનો પ્રેમ શાશ્વત રહેલો છે. આપણા મનમાં એવું હોય કે પિતા પાસે દરેક વાતનું સોલ્યુશન હશે, જ્યાં આપણે અટવાઈ જઈશું, જ્યાં આપણને કઈ રસ્તો નહીં મળે ત્યારે આપણે પપ્પા પાસે જઈશું કારણ કે આપણને વિશ્વાસ હોય છે કે પપ્પા પાસે આનો કોઈ રસ્તો હશે જ..

     તમને પણ ટેવ હોય તો હવેથી બાળકને હવામાં ઉછાળવાનું બંધ કરી દેજો, એટલું ખતરનાક  સાબિત થશે કે જીવ પણ જતો રહેશે

ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકને જે ખખડાવે તે હોય છે પિતા 

આપણા સારા કામમાં સપોર્ટ કરે અને ખરાબ કામમાં ટકોર કરે તે પિતા. જ્યારે પિતા આપણને ટકોર કરતા હોય ત્યારે તે દુશ્મની બાળકો સાથે લઈ લેતા હોય છે. પિતાને બાળકની નફરતનો શિકાર બનવું પડે છે. બાળકનું ભવિષ્ય ઉજવળ થાય તે માટે પપ્પા તેમને ખખડાવતા હોય છે પરંતુ જ્યાં સુધી બાળક તે વાતને સમજે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. સાચું માર્ગદર્શન આપે છે આપણને, નવી નવી વસ્તુઓ શીખવાડે છે. બાળક સૌથી વધારે જો વિશ્વાસ કરતા હોય છે તો તે તેના પિતા પર કરતા હોય છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

મસ્તી કરતી વખતે બાળકને જ્યારે પિતા ઉછાળે છે ત્યારે બાળકને ડર નથી હોતો કે તે પડી જશે કારણ કે તેને ખબર છે કે પિતા તેને પડવા નહીં દે.. પિતા તેને બચાવી લેશે. આજે પિતા વિશે વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. શિયાળાની ઠંડીમાં બાળકને ઠંડી ન લાગી જાય, બાળક બિમાર ન પડી જાય તે માટે પિતાએ તેને પોતાની શાલમાં ઢાંકી દીધો છે. મહત્વનું છે કે તમે પણ જ્યારે રસ્તા પર જતા હશો ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હશે અને તમે પણ મનોમન તમારા પિતાને યાદ કરતા હશો.. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમારૂં આ વીડિયો મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.