જામનગરથી ગરબાનો વીડિયો વાયરલ થયો જેને જોઈ તમે પણ કહેશો, ભલે ગુજરાતીઓને ગરબા પ્રિય હોય પરંતુ સાવ આવું તો ના જ હોય....


  • Published By :
  • Published Date : 2023-07-25 14:40:49

હાલ અકસ્માત ઓવરસ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે. ફૂલ સ્પીડ હોવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટનાનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદમાં બનેલો અકસ્માત છે. ઈસ્કોન ખાતે જે દુર્ઘટના બની તેમાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમે એવું માનતા હતા કે આ દુર્ઘટના બાદ લોકોમાં સુધાર આવ્યો હશે પરંતુ જ્યારે અમે કહેતા હોઈએ કે આપણે નાગરિકો નહીં પરંતુ ઘેટા-બકારાની ભીડ ભેગી કરીએ છીએ તો તે અતિશયોક્તિ નથી. અમદાવાદની ઘટનાને હજી દિવસો જ વિત્યા છે ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેર રસ્તા પર લોકોનું ટોળું ગરબા રમી રહ્યું છે.   

રસ્તા વચ્ચે લોકો ઘૂમ્યા ગરબે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે આવનાર દિવસોમાં અકસ્માત રિલ બનાવવાને કારણે થશે.આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ રસ્તા વચ્ચે ગરબા રમે છે. આ વીડિયો જામનગરના બેડી બંદર રોડ પરનો છે. રીલ બનાવવા માટે કેટલાક યુવક  યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા હતા. વીડિયો એટલો બધો વાયરલ થયો કે તે પોલીસ સુધી પહોંચ્યો. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પોલીસે “રાસરસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


આપણી સમક્ષ થતી ઘટનાઓ પરથી શિખવાની જરૂર છે... 

હાલ તે લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે પણ શરમ આવવી જોઈએ કે આટલી ઘટનાઓ થયા પછી પણ આપણે સુધરતા નથી. રસ્તો કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, કે મરજી પડે તેમ સ્ટંટ કરો. આપણે એક નાગરીક તરીકે એટલું પણ ધ્યાન નથી રાખી શક્તા કે બેસિક રૂલ્સ ફોલ્લો ફરીવી એ આપણી ફરજ છે. બીજા કોઈ માટે નહીં પરંતુ પોતાના માટે તો કાયદાનું પાલન કરવું જોઈએ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ લોકો સમજતા નથી કે રસ્તા પર ભીડ ભેગી થવાથી કેવો અકસ્માત થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આપણે રસ્તાને બાપની પ્રોપર્ટી સમજીને કઈ પણ કરીએ તે યોગ્ય નથી. અમારું માત્ર એટલું જ કહવું છે કે તમે સમજો અને ના પીડિત બનો ના આરોપી બનો!



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.