જામનગરથી ગરબાનો વીડિયો વાયરલ થયો જેને જોઈ તમે પણ કહેશો, ભલે ગુજરાતીઓને ગરબા પ્રિય હોય પરંતુ સાવ આવું તો ના જ હોય....


  • Published By :
  • Published Date : 2023-07-25 14:40:49

હાલ અકસ્માત ઓવરસ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે. ફૂલ સ્પીડ હોવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટનાનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદમાં બનેલો અકસ્માત છે. ઈસ્કોન ખાતે જે દુર્ઘટના બની તેમાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમે એવું માનતા હતા કે આ દુર્ઘટના બાદ લોકોમાં સુધાર આવ્યો હશે પરંતુ જ્યારે અમે કહેતા હોઈએ કે આપણે નાગરિકો નહીં પરંતુ ઘેટા-બકારાની ભીડ ભેગી કરીએ છીએ તો તે અતિશયોક્તિ નથી. અમદાવાદની ઘટનાને હજી દિવસો જ વિત્યા છે ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેર રસ્તા પર લોકોનું ટોળું ગરબા રમી રહ્યું છે.   

રસ્તા વચ્ચે લોકો ઘૂમ્યા ગરબે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે આવનાર દિવસોમાં અકસ્માત રિલ બનાવવાને કારણે થશે.આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ રસ્તા વચ્ચે ગરબા રમે છે. આ વીડિયો જામનગરના બેડી બંદર રોડ પરનો છે. રીલ બનાવવા માટે કેટલાક યુવક  યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા હતા. વીડિયો એટલો બધો વાયરલ થયો કે તે પોલીસ સુધી પહોંચ્યો. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પોલીસે “રાસરસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


આપણી સમક્ષ થતી ઘટનાઓ પરથી શિખવાની જરૂર છે... 

હાલ તે લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે પણ શરમ આવવી જોઈએ કે આટલી ઘટનાઓ થયા પછી પણ આપણે સુધરતા નથી. રસ્તો કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, કે મરજી પડે તેમ સ્ટંટ કરો. આપણે એક નાગરીક તરીકે એટલું પણ ધ્યાન નથી રાખી શક્તા કે બેસિક રૂલ્સ ફોલ્લો ફરીવી એ આપણી ફરજ છે. બીજા કોઈ માટે નહીં પરંતુ પોતાના માટે તો કાયદાનું પાલન કરવું જોઈએ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ લોકો સમજતા નથી કે રસ્તા પર ભીડ ભેગી થવાથી કેવો અકસ્માત થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આપણે રસ્તાને બાપની પ્રોપર્ટી સમજીને કઈ પણ કરીએ તે યોગ્ય નથી. અમારું માત્ર એટલું જ કહવું છે કે તમે સમજો અને ના પીડિત બનો ના આરોપી બનો!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.