જામનગરથી ગરબાનો વીડિયો વાયરલ થયો જેને જોઈ તમે પણ કહેશો, ભલે ગુજરાતીઓને ગરબા પ્રિય હોય પરંતુ સાવ આવું તો ના જ હોય....


  • Published By :
  • Published Date : 2023-07-25 14:40:49

હાલ અકસ્માત ઓવરસ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે. ફૂલ સ્પીડ હોવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટનાનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદમાં બનેલો અકસ્માત છે. ઈસ્કોન ખાતે જે દુર્ઘટના બની તેમાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમે એવું માનતા હતા કે આ દુર્ઘટના બાદ લોકોમાં સુધાર આવ્યો હશે પરંતુ જ્યારે અમે કહેતા હોઈએ કે આપણે નાગરિકો નહીં પરંતુ ઘેટા-બકારાની ભીડ ભેગી કરીએ છીએ તો તે અતિશયોક્તિ નથી. અમદાવાદની ઘટનાને હજી દિવસો જ વિત્યા છે ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેર રસ્તા પર લોકોનું ટોળું ગરબા રમી રહ્યું છે.   

રસ્તા વચ્ચે લોકો ઘૂમ્યા ગરબે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે આવનાર દિવસોમાં અકસ્માત રિલ બનાવવાને કારણે થશે.આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ રસ્તા વચ્ચે ગરબા રમે છે. આ વીડિયો જામનગરના બેડી બંદર રોડ પરનો છે. રીલ બનાવવા માટે કેટલાક યુવક  યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા હતા. વીડિયો એટલો બધો વાયરલ થયો કે તે પોલીસ સુધી પહોંચ્યો. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પોલીસે “રાસરસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


આપણી સમક્ષ થતી ઘટનાઓ પરથી શિખવાની જરૂર છે... 

હાલ તે લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે પણ શરમ આવવી જોઈએ કે આટલી ઘટનાઓ થયા પછી પણ આપણે સુધરતા નથી. રસ્તો કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, કે મરજી પડે તેમ સ્ટંટ કરો. આપણે એક નાગરીક તરીકે એટલું પણ ધ્યાન નથી રાખી શક્તા કે બેસિક રૂલ્સ ફોલ્લો ફરીવી એ આપણી ફરજ છે. બીજા કોઈ માટે નહીં પરંતુ પોતાના માટે તો કાયદાનું પાલન કરવું જોઈએ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ લોકો સમજતા નથી કે રસ્તા પર ભીડ ભેગી થવાથી કેવો અકસ્માત થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આપણે રસ્તાને બાપની પ્રોપર્ટી સમજીને કઈ પણ કરીએ તે યોગ્ય નથી. અમારું માત્ર એટલું જ કહવું છે કે તમે સમજો અને ના પીડિત બનો ના આરોપી બનો!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.