GEBના કર્મચારીનો બિલ ભરવાની અપીલ કરતો વીડિયો થયો વાયરલ, જાણો કોણ છે ગીત ગાનાર કર્મચારી?


  • Published By :
  • Published Date : 2023-03-15 17:51:01

કોઈ પણ વાત કહેવાનો અંદાજ હોય.... જેથી આપણી વાત લોકોને વાત ગળે ઉતરી જાય અને વધુ લોકો સુધી વાત પહોંચે. પહેલાના સમયમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટીને કહેતા. અત્યારની પરિસ્થિતિ અલગ છે. ગુજરાત ઈલેક્ટ્રીક બોર્ડના પાટણના સિટી-એકના વીજળી કર્મચારીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે ગીત ગાઈને લોકોને બિલ ભરવા અપીલ કરી રહ્યા છે.

કોણ છે ગીત ગાનાર આ કર્મચારી?

પાટણના જીઈબીના કર્મચારીઓએ એક અલગ પ્રકારનો પ્રયોગ હાથ ધર્યો હતો. પાટણ શહેર સિટી-1માં વિજળીનું બિલ ભરવાનું બાકી હોય તેવા લોકો બીલ ભરે તેના માટે ગીત ગાઈને અપીલ કરી હતી. પાટણના જગદીશભાઈ ગોસ્વામી યુજીવીસીએલમાં લાઈનમેન તરીકે સેવા આપે છે. લોકોની જાગૃતિ માટે અને લોકો બિલ ભરે તેના માટે જગદીશભાઈએ માઈક પર "રસીયો રૂપાળો રંગ રેલીયો... લાઈટ બિલ ભરતો નથી" ગીત ગાઈને વીજ ગ્રાહકોને અપીલ કરી હતી કે તે બિલ ભરે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જીઈબીના કર્મચારીઓ પાટણના અલગ-અલગ વિસ્તારોમાં જઈ ગીત ગાઈ લોકોને અપીલ કરી હતી કે વીજળીનું બિલ ભરો. લોકોને આ અપીલ ખૂબ પસંદ આપી હતી. 

કોરોનાના સમયમાં પણ લોકો રસી લેવાથી ડરી રહ્યા હતા અને કોરોનાની રસી નહોતા લેતા ત્યારે એક ભાઈનો વીડિયો વાયરલ થયો હતો જે રસી લેવા પોતાની અલગ સ્ટાઈલથી અપીલ કરતા હતા.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.