GEBના કર્મચારીનો બિલ ભરવાની અપીલ કરતો વીડિયો થયો વાયરલ, જાણો કોણ છે ગીત ગાનાર કર્મચારી?


  • Published By :
  • Published Date : 2023-03-15 17:51:01

કોઈ પણ વાત કહેવાનો અંદાજ હોય.... જેથી આપણી વાત લોકોને વાત ગળે ઉતરી જાય અને વધુ લોકો સુધી વાત પહોંચે. પહેલાના સમયમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટીને કહેતા. અત્યારની પરિસ્થિતિ અલગ છે. ગુજરાત ઈલેક્ટ્રીક બોર્ડના પાટણના સિટી-એકના વીજળી કર્મચારીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે ગીત ગાઈને લોકોને બિલ ભરવા અપીલ કરી રહ્યા છે.

કોણ છે ગીત ગાનાર આ કર્મચારી?

પાટણના જીઈબીના કર્મચારીઓએ એક અલગ પ્રકારનો પ્રયોગ હાથ ધર્યો હતો. પાટણ શહેર સિટી-1માં વિજળીનું બિલ ભરવાનું બાકી હોય તેવા લોકો બીલ ભરે તેના માટે ગીત ગાઈને અપીલ કરી હતી. પાટણના જગદીશભાઈ ગોસ્વામી યુજીવીસીએલમાં લાઈનમેન તરીકે સેવા આપે છે. લોકોની જાગૃતિ માટે અને લોકો બિલ ભરે તેના માટે જગદીશભાઈએ માઈક પર "રસીયો રૂપાળો રંગ રેલીયો... લાઈટ બિલ ભરતો નથી" ગીત ગાઈને વીજ ગ્રાહકોને અપીલ કરી હતી કે તે બિલ ભરે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જીઈબીના કર્મચારીઓ પાટણના અલગ-અલગ વિસ્તારોમાં જઈ ગીત ગાઈ લોકોને અપીલ કરી હતી કે વીજળીનું બિલ ભરો. લોકોને આ અપીલ ખૂબ પસંદ આપી હતી. 

કોરોનાના સમયમાં પણ લોકો રસી લેવાથી ડરી રહ્યા હતા અને કોરોનાની રસી નહોતા લેતા ત્યારે એક ભાઈનો વીડિયો વાયરલ થયો હતો જે રસી લેવા પોતાની અલગ સ્ટાઈલથી અપીલ કરતા હતા.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.