જગતના તાત બન્યા બેહાલ! રાપર APMCનો એક વીડિયો સામે આવ્યો જેમાં યુરિયા માટે ખેડૂતોએ લગાવી લાઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 13:58:51

ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. જેના થકી દેશનું અર્થતંત્ર ચાલે છે તે જગતના તાતની દશા જોઈને આપણને દયા આવતી હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખેડૂતોની હાલત કફોડી છે તે દેખાતું હોય છે. પરંતુ આપણે તેમની પીડા નથી સમજી શક્તા. વાતાવરણ તેમજ સિઝન પ્રમાણે ખેતી ખેડૂતો કરતા હોય છે. પરંતુ કોઈ વખત કુદરતને કારણે તો કોઈ વખત માનવ સર્જિત કારણોસર ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. દરેક વખતે જગતના તાતને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે. ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનું, બીજ માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો પાકમાં નુકસાની થાય તો પણ વીમો અથવા તો વળતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાક તૈયાર થાય તે બાદ વેચાણ અર્થે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. 


યુરિયા લેવા માટે ખેડૂતોએ લગાવી લાઈન 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે આપણને વાસ્તવિક્તાની નજીક લઈ જાય છે. જમીની હકીકત શું છે તે આપણને જણાવતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લાઈનમાં ખેડૂતો નથી ઉભા પરંતુ તેમણે પોતાના ચપ્પલને લાઈનમાં રાખી દીધા છે. આ વીડિયો રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ એપીએમસીનો છે જ્યાં ખેડૂતોએ યુરિયા લેવા માટેની લાઈન લગાવી છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં ખેડૂતોએ ચંપ્પલની લાઈન લગાવી છે. કારણ કે તેમને યુરિયા ખાતર ખરીદવું છે. દિવસ રાત પાણી ભરેલા ખેતરમાં ચાલી જે પાક તૈયાર કર્યો, તે ખેતરમાં યુરિયાની જરૂરિયાત માટે તેઓ આ રીતે લાઈન લગાવી ઉભા છે, એમ તો આવી લાઈન મોટા ભાગના ગામોમાં જોવા મળે છે.


દરેક વખતે લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર!

ખેતી માટે ખાતર લેવા, બીજ લેવા લાઈનમાં ઉભા રહેવાનું, પાકમાં નુકસાની થાય તો પણ વીમો-વળતર લેવા પણ લાઈનમાં ઉભા રહેવાનું, પાક તૈયાર થાય ત્યારે ટેકાના ભાવે વેચવા પણ લાઈનમાં જ ઊભા રહેવાનું આ બધી આદતોમાં હવે યુરિયા માટે પણ લાઈનમાં ઉભા રહેવાની આદત ખેડૂતોને પડી જ ગઈ હશે.  દસ-બાર ખેડૂતો હોત તો કદાચ ધક્કા મૂકી થતે પણ લગભગ બધા જ ખેડૂતો આ લાઈનમાં ઉભા રહ્યા છે, એટલે એમણે આ સહિયારો રસતો શોધી કાઢ્યો. આ લાઈન જોઈ ખેડૂતોની પ્રામાણિકતા પર ખુશી તો થાય છે પણ એથી વધારે દુઃખની વાત છે કે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખનાર ક્યાંક મોટી ખુરશી પર આરામથી બેઠા હશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.