જગતના તાત બન્યા બેહાલ! રાપર APMCનો એક વીડિયો સામે આવ્યો જેમાં યુરિયા માટે ખેડૂતોએ લગાવી લાઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 13:58:51

ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. જેના થકી દેશનું અર્થતંત્ર ચાલે છે તે જગતના તાતની દશા જોઈને આપણને દયા આવતી હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખેડૂતોની હાલત કફોડી છે તે દેખાતું હોય છે. પરંતુ આપણે તેમની પીડા નથી સમજી શક્તા. વાતાવરણ તેમજ સિઝન પ્રમાણે ખેતી ખેડૂતો કરતા હોય છે. પરંતુ કોઈ વખત કુદરતને કારણે તો કોઈ વખત માનવ સર્જિત કારણોસર ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. દરેક વખતે જગતના તાતને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે. ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનું, બીજ માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો પાકમાં નુકસાની થાય તો પણ વીમો અથવા તો વળતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાક તૈયાર થાય તે બાદ વેચાણ અર્થે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. 


યુરિયા લેવા માટે ખેડૂતોએ લગાવી લાઈન 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે આપણને વાસ્તવિક્તાની નજીક લઈ જાય છે. જમીની હકીકત શું છે તે આપણને જણાવતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લાઈનમાં ખેડૂતો નથી ઉભા પરંતુ તેમણે પોતાના ચપ્પલને લાઈનમાં રાખી દીધા છે. આ વીડિયો રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ એપીએમસીનો છે જ્યાં ખેડૂતોએ યુરિયા લેવા માટેની લાઈન લગાવી છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં ખેડૂતોએ ચંપ્પલની લાઈન લગાવી છે. કારણ કે તેમને યુરિયા ખાતર ખરીદવું છે. દિવસ રાત પાણી ભરેલા ખેતરમાં ચાલી જે પાક તૈયાર કર્યો, તે ખેતરમાં યુરિયાની જરૂરિયાત માટે તેઓ આ રીતે લાઈન લગાવી ઉભા છે, એમ તો આવી લાઈન મોટા ભાગના ગામોમાં જોવા મળે છે.


દરેક વખતે લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર!

ખેતી માટે ખાતર લેવા, બીજ લેવા લાઈનમાં ઉભા રહેવાનું, પાકમાં નુકસાની થાય તો પણ વીમો-વળતર લેવા પણ લાઈનમાં ઉભા રહેવાનું, પાક તૈયાર થાય ત્યારે ટેકાના ભાવે વેચવા પણ લાઈનમાં જ ઊભા રહેવાનું આ બધી આદતોમાં હવે યુરિયા માટે પણ લાઈનમાં ઉભા રહેવાની આદત ખેડૂતોને પડી જ ગઈ હશે.  દસ-બાર ખેડૂતો હોત તો કદાચ ધક્કા મૂકી થતે પણ લગભગ બધા જ ખેડૂતો આ લાઈનમાં ઉભા રહ્યા છે, એટલે એમણે આ સહિયારો રસતો શોધી કાઢ્યો. આ લાઈન જોઈ ખેડૂતોની પ્રામાણિકતા પર ખુશી તો થાય છે પણ એથી વધારે દુઃખની વાત છે કે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખનાર ક્યાંક મોટી ખુરશી પર આરામથી બેઠા હશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.