જગતના તાત બન્યા બેહાલ! રાપર APMCનો એક વીડિયો સામે આવ્યો જેમાં યુરિયા માટે ખેડૂતોએ લગાવી લાઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 13:58:51

ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. જેના થકી દેશનું અર્થતંત્ર ચાલે છે તે જગતના તાતની દશા જોઈને આપણને દયા આવતી હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખેડૂતોની હાલત કફોડી છે તે દેખાતું હોય છે. પરંતુ આપણે તેમની પીડા નથી સમજી શક્તા. વાતાવરણ તેમજ સિઝન પ્રમાણે ખેતી ખેડૂતો કરતા હોય છે. પરંતુ કોઈ વખત કુદરતને કારણે તો કોઈ વખત માનવ સર્જિત કારણોસર ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. દરેક વખતે જગતના તાતને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે. ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનું, બીજ માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો પાકમાં નુકસાની થાય તો પણ વીમો અથવા તો વળતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાક તૈયાર થાય તે બાદ વેચાણ અર્થે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. 


યુરિયા લેવા માટે ખેડૂતોએ લગાવી લાઈન 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે આપણને વાસ્તવિક્તાની નજીક લઈ જાય છે. જમીની હકીકત શું છે તે આપણને જણાવતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લાઈનમાં ખેડૂતો નથી ઉભા પરંતુ તેમણે પોતાના ચપ્પલને લાઈનમાં રાખી દીધા છે. આ વીડિયો રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ એપીએમસીનો છે જ્યાં ખેડૂતોએ યુરિયા લેવા માટેની લાઈન લગાવી છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં ખેડૂતોએ ચંપ્પલની લાઈન લગાવી છે. કારણ કે તેમને યુરિયા ખાતર ખરીદવું છે. દિવસ રાત પાણી ભરેલા ખેતરમાં ચાલી જે પાક તૈયાર કર્યો, તે ખેતરમાં યુરિયાની જરૂરિયાત માટે તેઓ આ રીતે લાઈન લગાવી ઉભા છે, એમ તો આવી લાઈન મોટા ભાગના ગામોમાં જોવા મળે છે.


દરેક વખતે લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર!

ખેતી માટે ખાતર લેવા, બીજ લેવા લાઈનમાં ઉભા રહેવાનું, પાકમાં નુકસાની થાય તો પણ વીમો-વળતર લેવા પણ લાઈનમાં ઉભા રહેવાનું, પાક તૈયાર થાય ત્યારે ટેકાના ભાવે વેચવા પણ લાઈનમાં જ ઊભા રહેવાનું આ બધી આદતોમાં હવે યુરિયા માટે પણ લાઈનમાં ઉભા રહેવાની આદત ખેડૂતોને પડી જ ગઈ હશે.  દસ-બાર ખેડૂતો હોત તો કદાચ ધક્કા મૂકી થતે પણ લગભગ બધા જ ખેડૂતો આ લાઈનમાં ઉભા રહ્યા છે, એટલે એમણે આ સહિયારો રસતો શોધી કાઢ્યો. આ લાઈન જોઈ ખેડૂતોની પ્રામાણિકતા પર ખુશી તો થાય છે પણ એથી વધારે દુઃખની વાત છે કે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખનાર ક્યાંક મોટી ખુરશી પર આરામથી બેઠા હશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી