ટ્રાફિક નિયમોની એસી કી તેસી! Vadodaraથી સામે આવ્યો વીડિયો જેમાં એક બાઈક પર 5 લોકોએ કરી જોખમી સવારી! જુઓ વાયરલ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-29 14:39:05

અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં વાહન ચાલક સ્ટંટ કરતા નજરે પડે છે તો કોઈ નિયમ તોડતા દેખાય છે. સામાન્ય રીતે વાહન પર બે જ વ્યક્તિ બેસી શકે છે. વધારેમાં વધારે ત્રણ લોકોને વાહન પર બેસતા જોયા હશે પરંતુ વડોદરાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઈક પર પાંચ લોકો જોખમી સવારી કરી રહ્યા છે. જે બ્રિજનો આ વીડિયો છે તે અટલ બ્રિજનો છે. વડોદરાના અટલબ્રિજ પર બાઈક પર પાંચ લોકો સવારી કરી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક બાઈક પર પાંચ લોકો કરી રહ્યા છે સવારી 

એક તરફ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે તો બીજી તરફ વાહનચાલકો બેફામ રીતે ગાડી ચલાવતા દેખાઈ રહ્યા છે. જાહેર રસ્તા પર સ્ટંટ કરવાના વીડિયો તો  અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઈક પર પાંચ લોકો મુસાફરી કરી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ કરી તે લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. વડોદરા શહેરના 3.5 કિ.મી. લાંબા અટલ બ્રિજ 5 યુવાનો એક બાઇક પર સવાર થઈને બિન્દાસ્ત રીતે જઈ રહ્યા છે.



નિયમો તોડવાનું બાળક વડીલો પાસેથી શીખે છે!

કાયદાનું પાલન કરવાની વાત તો દૂર રહી પરંતુ કાયદો જાણે છે જ નહીં તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. યુવાનોને નાગરિક બનતા શીખવું પડશે. એવી પ્રવૃત્તિમાંથી બહાર આવવું પડશે જેમાં લોકોનું અહીત રહેલું હોય. અવાર નવાર સામે આવતા આવા વીડિયો જોઈને પ્રશ્ન થાય કે યુવાનો આવું કરવાનું ક્યાંથી શિખ્યા હશે? ઘરના વડીલો જો કાયદાનું પાલન નહીં કરતા હોય તો પછી બાળકો નિયમોનું પાલન કરશે તેવી આશા રાખવી પણ કદાચ બેકાર છે. મોટાઓ પાસેથી જ બાળકો શીખે છે. આવો વીડિયો ન માત્ર વડોદરાથી સામે આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો મળી જશે જેમાં નિયમોનો ભંગ કરાતો હોય.  



અમદાવાદથી પણ સામે આવ્યો છે આવો વીડિયો 

વડોદરા શહેરમાં આ પહેલા પણ બાઇક પર સ્ટંટ કરવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં રસ્તા પર બેફામ વાહન લોકો ચલાવે છે માત્ર ઈન્સ્ટાગ્રામ પર લાઈક મેળવવા. ઈન્સ્ટાગ્રામ માટે રેસ જેવી રીલો બનાવે છે અને રોલા પાડવા કોઈ પણ હદે જાય છે યુવાનો. આવો જ એક વીડિયો અમદાવાદથી સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં નબીરાઓ રોડ પર ગાડી મૂકીને નાચતા દેખાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.