જમાવટના દર્શકે વર્ણવી પોતાની પીડા, આ ક્વિઝ તો લેવાઈ પણ સરકારે નથી આપી ઈનામની રકમ!


  • Published By :
  • Published Date : 2023-06-30 10:34:31

પોતાની પીડા, પોતાને પડતી સમસ્યા દર્શકો અમને અવાર નવાર મેસેજ કરીને અથવા મેઈલ કરીને પહોંચાડતા હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો ફોન કરી પોતાની પીડાને અમારી સામે રજૂ કરે છે. ત્યારે દ્વારકાના એક દર્શકે અમને કહ્યું કે ગુજરાત સરકારે ગયા વર્ષે વિદ્યાર્થીઓનું કૌશલ્ય છલકે તેના માટે ગુજરાત જ્ઞાન ગુરુ નામની ક્વિઝ યોજી હતી. ગુજરાતની અનેક સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમને ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. પણ દર વખતની જેમ ઈનામ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિજેતાઓને હજી સુધી ઈનામ મળ્યા નથી. અમારા દર્શકે ફરિયાદ કરી કે અમને હજુ સુધી અમારા ઈનામ નથી મળ્યા તમે સરકારના કાન સુધી આ વાત પહોંચાડો. આવો જાણીએ વિગતવાર એ ક્વીઝ વિશે જેની ફરિયાદ અમારા દર્શકે અમને કરી હતી.    

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? | Gujarat Quiz Competition 2022

અનેક જિલ્લાઓની શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ 

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓનું જ્ઞાન અને સર્જનાત્મકતા વધે તેના માટે ગુજરાત ગ્યાન ગુરુ ક્વીઝ શરુ કરી. ગુજરાતના તમામ જિલ્લાની શાળાઓના અને કોલેજના અનેક વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો. જ્યારે આ અંગે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે આ અંગેની વધુ વિગતો સામે આવી. વેબસાઈટની માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાઈ. જીતુ વાઘાણીનો એક ફોટો પણ વેબસાઈટ પર મળ્યો. ઈનામની વિગતો પણ મળી આવી. 


પરીક્ષા લેવાઈ ગઈ પરંતુ વિદ્યાર્થીઓને નથી મળ્યા ઈનામ 

અમારા દર્શકે અમરેલી જિલ્લાના છે અને ગાંધીનગરમાં તેમણે ક્વિઝમાં ભાગ લીધો હતો. તેમની ફરિયાદ છે કે કોલેજ કક્ષાએ પસંદ પામેલા ઉમેદવારોને ઈનામના રૂપિયા મળી ગયા છે, પણ જિલ્લા કક્ષાના ઉમેદવારોને હજુ સુધી ઈનામ નથી મળ્યું. ટૂંકમાં કોલેજ કક્ષાના જીતેલા લોકોને 2100 રૂપિયા ઈનામ પેટે મળવાના હતા તે ઈનામ ઉમેદવારોને મળી ગયા છે પણ જિલ્લા કક્ષાએે જીતેલા ઉમેદવારોને હજુ સુધી રૂપિયા મળ્યા નથી. ઉપરથી વિદ્યાર્થીઓને  આવવા જવા માટેની ટુર હતી એ પણ તદ્દન મફત હતી પણ તેના રૂપિયા પણ હજુ સુધી ઉમેદવારોને મળ્યા નથી. 


સરકાર સુધી અમારો અવાજ પહોંચે તેવી આશા

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધોલા 25 લાખ જેટલા વિદ્યાર્થીઓની પૂરી જવાબદારી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે કેસીજીની હતી. તો અમેં ત્યાં પણ સંપર્ક કર્યો. ગુગલમાંથી નંબર કાઢીને ફોન કર્યો તો કોઈએ ફોન જ ન ઉઠાવ્યો. અમારા દર્શકો ગુજરાતના ખૂણે ખૂણે છે એટલે અમેં અમારા સંપર્કનો ઉપયોગ કરીને કેસીજીમાં અમારા સૂત્રને ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે રૂપિયા તો બધા મળી ગયા છે. અમેં કેસીજીમાં કામ કરતા વ્યક્તિ સાથે વાત કરી હતી એટલે અમે કોલ રેકોર્ડિંગ તો નહીં સંભળાવી શકીએ પણ એ અવાજ જરૂર સરકારના કાન સુધી પહોંચાડીએ છીએ કે હજુ પણ ફ્રી ટુરના રૂપિયા અને જિલ્લા સ્તરે વિજય થયેલા ઉમેદવારોને ઈનામ નથી મળ્યા. આ વાત થોડી ધ્યાને લેવાશે તો જે કૌશલ્યને બીરદાવવા માટે સરકારે કાર્યક્રમ કર્યો તે કાર્યક્રમ સફળ થઈ જશે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.