Gujaratના આણંદમાં આવેલું એક ગામ જ્યાં 15 વર્ષથી નથી આવી વિજળી, દિવો પ્રગટાવી પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવા બાળકોનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-08-19 12:20:46

ગુજરાત એટલે ગતિશીલ મનાતું રાજ્ય. ગુજરાત એટલે કે વિકાસની રેસમાં સતત આગળ વધતું રાજ્ય. સરકાર દ્વારા ગુજરાત માટે આવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં  વિકાસ થયો છે એની ના નથી પરંતુ જ્યારે તમે કહો છો કે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ છે, વિકાસના કામોને કારણે ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે તો સરકાર દ્વારા કરવામાં આવતો દાવો ખોટો પડશે. 

 જનક જાગીરદાર, પેટલાદ: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર સિલવાઈ ગામના 30 પરિવારો છેલ્લા 15 વર્ષથી અંધારપટમાં જીવે છે. તળપદા સમાજના 30 પરિવારો વીજળી નથી, તેમજ તેમના વિસ્તારમાં રસ્તાની સમસ્યા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગોથી પણ પરેશાન છે. તેમના જણાવ્યા મુજબ, વીજળી કનેક્શન માટે સરકારી વહીવટી તંત્રમાં રજૂઆતો કરીને થાક્યા પણ આજ દિન સુધી વીજળી કનેક્શન મળ્યું નથી.

એક એવું ગામ જ્યાં પરિવારો અંધારામાં રહેવા મજબૂર

આજે વાત કથળતા શિક્ષણ કે નલ સે જલ યોજનાની નથી કરવી, આજે વાત કરવી છે એ ગામની જ્યાં વર્ષો વિતી ગયા પરંતુ લાઈટો નથી. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે. પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છે જે આણંદમાં આવેલું છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા સિલવાઈ ગામની. આ ગામમાં 30 જેટલા પરિવારો રહે છે, 15 વર્ષથી આ ગામમાં વિજળી નથી. અંધારામાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વીજળી તો નથી જ પરંતુ રસ્તા પણ નથી. યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય રહેતો હોય છે. 

 પેટલાદ તાલુકાના સિલવાઈ ગ્રામ્ય પંચાયતનો સરકારી વહીવટ પેટલાદ તાલુકા પંચાયત હસ્તક છે અને આ ગામના નાગરિકોનો મતાધિકાર સોજીત્રા વિધાનસભામાં છે. તેમની હાલત પેલી જૂની કહેવત '...ના ઘર ના ઘાટ કા' જેવી છે. સિલવાઈ ગામના ચરા વિસ્તારમાં પાકા મકાનો ધરાવતા 30 પરિવારોની વીજળી વગરનું જીવન અંધકારમય છે.

આ કારણોસર અટક્યું છે કામ!

સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ગામમાં પાકા મકાન છે પરંતુ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. 30 પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. દિવા નીચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. એવું પણ સામે આવ્યું છે કે અધિકારીઓ કહે છે કે આ જમીન ગોચરની છે, જ્યારે સ્થાનિકો કહે છે કે આ જમીન ગોચરની નથી. સ્થાનિકો પાસે તમામ દસ્તાવેજો છે. સરકારી કાગળની મથામણને કારણે, ડોક્યુમેન્ટને કારણે આટલા પરિવારો અને આટલા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. 

 સિલવાઈ ગ્રામ્ય પંચાયતના ચરા વિસ્તારમાં રહેતા 30 પરિવારોના મહિલા સભ્યોએ અંધારામાં જમવાનું બનાવવું પડે છે. તેમજ બાળકોને અભ્યાસ પણ દિવા નીચે બેસીને કરવો પડે છે. જે આ લોકોના જીવનની કડવી વાસ્તવિકતા છે. સિલવાઈ ગામના અંધારપટ વિશે ન્યૂઝ 18 ગુજરાતીએ જયારે જવાબદાર વહીવટી તંત્રને સવાલ કર્યો ત્યારે જવાબદાર અધિકારોએ જણાવ્યું કે, આ સરકારી ગૌચરની જમીન છે. જ્યારે સામે પક્ષે સ્થાનિકો પાસે આ જમીન ગૌચરની નથી તેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે.

જે લોકો ગામડામાં રહે છે તે પણ ગુજરાતના જ વતની છે 

ગુજરાતના મહાનગરો, જિલ્લાઓમાં વિકાસના કામો થયા છે પરંતુ અંતરિયાળ ગામોની હાલત આટલા વર્ષો વિત્યા પરંતુ ઠેરની ઠેર છે. આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે અને ઉઠાવાતો રહેશે. કારણ કે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તે પણ ગુજરાતના જ છે, ગુજરાતના જ વતની છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.