Gujaratના આણંદમાં આવેલું એક ગામ જ્યાં 15 વર્ષથી નથી આવી વિજળી, દિવો પ્રગટાવી પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવા બાળકોનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-08-19 12:20:46

ગુજરાત એટલે ગતિશીલ મનાતું રાજ્ય. ગુજરાત એટલે કે વિકાસની રેસમાં સતત આગળ વધતું રાજ્ય. સરકાર દ્વારા ગુજરાત માટે આવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં  વિકાસ થયો છે એની ના નથી પરંતુ જ્યારે તમે કહો છો કે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ છે, વિકાસના કામોને કારણે ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે તો સરકાર દ્વારા કરવામાં આવતો દાવો ખોટો પડશે. 

 જનક જાગીરદાર, પેટલાદ: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર સિલવાઈ ગામના 30 પરિવારો છેલ્લા 15 વર્ષથી અંધારપટમાં જીવે છે. તળપદા સમાજના 30 પરિવારો વીજળી નથી, તેમજ તેમના વિસ્તારમાં રસ્તાની સમસ્યા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગોથી પણ પરેશાન છે. તેમના જણાવ્યા મુજબ, વીજળી કનેક્શન માટે સરકારી વહીવટી તંત્રમાં રજૂઆતો કરીને થાક્યા પણ આજ દિન સુધી વીજળી કનેક્શન મળ્યું નથી.

એક એવું ગામ જ્યાં પરિવારો અંધારામાં રહેવા મજબૂર

આજે વાત કથળતા શિક્ષણ કે નલ સે જલ યોજનાની નથી કરવી, આજે વાત કરવી છે એ ગામની જ્યાં વર્ષો વિતી ગયા પરંતુ લાઈટો નથી. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે. પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છે જે આણંદમાં આવેલું છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા સિલવાઈ ગામની. આ ગામમાં 30 જેટલા પરિવારો રહે છે, 15 વર્ષથી આ ગામમાં વિજળી નથી. અંધારામાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વીજળી તો નથી જ પરંતુ રસ્તા પણ નથી. યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય રહેતો હોય છે. 

 પેટલાદ તાલુકાના સિલવાઈ ગ્રામ્ય પંચાયતનો સરકારી વહીવટ પેટલાદ તાલુકા પંચાયત હસ્તક છે અને આ ગામના નાગરિકોનો મતાધિકાર સોજીત્રા વિધાનસભામાં છે. તેમની હાલત પેલી જૂની કહેવત '...ના ઘર ના ઘાટ કા' જેવી છે. સિલવાઈ ગામના ચરા વિસ્તારમાં પાકા મકાનો ધરાવતા 30 પરિવારોની વીજળી વગરનું જીવન અંધકારમય છે.

આ કારણોસર અટક્યું છે કામ!

સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ગામમાં પાકા મકાન છે પરંતુ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. 30 પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. દિવા નીચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. એવું પણ સામે આવ્યું છે કે અધિકારીઓ કહે છે કે આ જમીન ગોચરની છે, જ્યારે સ્થાનિકો કહે છે કે આ જમીન ગોચરની નથી. સ્થાનિકો પાસે તમામ દસ્તાવેજો છે. સરકારી કાગળની મથામણને કારણે, ડોક્યુમેન્ટને કારણે આટલા પરિવારો અને આટલા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. 

 સિલવાઈ ગ્રામ્ય પંચાયતના ચરા વિસ્તારમાં રહેતા 30 પરિવારોના મહિલા સભ્યોએ અંધારામાં જમવાનું બનાવવું પડે છે. તેમજ બાળકોને અભ્યાસ પણ દિવા નીચે બેસીને કરવો પડે છે. જે આ લોકોના જીવનની કડવી વાસ્તવિકતા છે. સિલવાઈ ગામના અંધારપટ વિશે ન્યૂઝ 18 ગુજરાતીએ જયારે જવાબદાર વહીવટી તંત્રને સવાલ કર્યો ત્યારે જવાબદાર અધિકારોએ જણાવ્યું કે, આ સરકારી ગૌચરની જમીન છે. જ્યારે સામે પક્ષે સ્થાનિકો પાસે આ જમીન ગૌચરની નથી તેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે.

જે લોકો ગામડામાં રહે છે તે પણ ગુજરાતના જ વતની છે 

ગુજરાતના મહાનગરો, જિલ્લાઓમાં વિકાસના કામો થયા છે પરંતુ અંતરિયાળ ગામોની હાલત આટલા વર્ષો વિત્યા પરંતુ ઠેરની ઠેર છે. આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે અને ઉઠાવાતો રહેશે. કારણ કે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તે પણ ગુજરાતના જ છે, ગુજરાતના જ વતની છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.