Gujaratનું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વખત વીજળી પહોંચી, ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 10:12:28

વિકસિત ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી હકીકતની ઘટના સામે આવી છે, ગુજરાતમાં એક ગામ એવું પણ હતુ જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દુર હતા, હવે આ લોકોને પોતાના ઘરમાં વીજળી મળતાં દિવાળી જેવો માહોલ છવાયો છે.

આઝાદી બાદ પહેલી વખત ગામમાં આવી વીજળી!

અમરેલી જિલ્લામાંથી એક ખાસ સામાચાર સામે આવ્યા છે, અહીં જિલ્લાના રાજુલાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં હાલમાં વગર દિવાળીએ દિવાળી જેવો આનંદનો માહોલ છવાયો છે, ખરેખરમાં અહીં વર્ષો બાદ લોકોના ઘરોમાં વીજળી આવી છે. મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ પહેલીવાર વીજળી મળી છે, આ પરિવારો અહીંયા અંધાપટમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં હતા, હવે તેમનો અંધારપટ દુર થયો છે. 



વીજળી આવતા ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ! 

આમ તો માનવામાં ના આવે તેવી વાત છે પણ અમરેલીનું મીરા દાતાર ગામ દેશની આઝાદીથી છેક આજ સુધી વીજળીની સુવિધાથી વિહોણું હતું. છેવાડાના આ ગામમાં વીજળીરૂપી વિકાસ નહોતો પહોંચ્યો પરંતુ અમૃતકાળમાં હવે ગામમાં રોશની પહોંચી છે અને લોકજીવનમાં અજવાળા પથરાયા છે. અમરેલીના રાજુલા તાલુકાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ આજે વીજળી આવતા લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં રહેતા લોકો લાંબા સમયથી વીજળી વગર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જે આજે દૂર થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.


સ્થાનિક ધારાસભ્યના કારણે ગામમાં પહોંચી વીજળી! 

ખાસ વાત છે કે, મીરા દાતાર વિસ્તારના 30 પરિવારોએ અનેકવાર તંત્ર અને સરકાર સામે પોતાની વીજળીની સમસ્યાઓ મુકી હતી. જોકે સ્થાનિક ધારાસભ્યના કારણે વીજળી ગામ સુધી પહોંચી છે. મહત્વનું છે કે આપણે વિકાસશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાતની ગમે તેટલી વાતો કરીએ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકસીત બતાવીએ પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પાયાની સુવિધાઓથી વંચિત છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.