Gujaratનું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વખત વીજળી પહોંચી, ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 10:12:28

વિકસિત ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી હકીકતની ઘટના સામે આવી છે, ગુજરાતમાં એક ગામ એવું પણ હતુ જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દુર હતા, હવે આ લોકોને પોતાના ઘરમાં વીજળી મળતાં દિવાળી જેવો માહોલ છવાયો છે.

આઝાદી બાદ પહેલી વખત ગામમાં આવી વીજળી!

અમરેલી જિલ્લામાંથી એક ખાસ સામાચાર સામે આવ્યા છે, અહીં જિલ્લાના રાજુલાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં હાલમાં વગર દિવાળીએ દિવાળી જેવો આનંદનો માહોલ છવાયો છે, ખરેખરમાં અહીં વર્ષો બાદ લોકોના ઘરોમાં વીજળી આવી છે. મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ પહેલીવાર વીજળી મળી છે, આ પરિવારો અહીંયા અંધાપટમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં હતા, હવે તેમનો અંધારપટ દુર થયો છે. 



વીજળી આવતા ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ! 

આમ તો માનવામાં ના આવે તેવી વાત છે પણ અમરેલીનું મીરા દાતાર ગામ દેશની આઝાદીથી છેક આજ સુધી વીજળીની સુવિધાથી વિહોણું હતું. છેવાડાના આ ગામમાં વીજળીરૂપી વિકાસ નહોતો પહોંચ્યો પરંતુ અમૃતકાળમાં હવે ગામમાં રોશની પહોંચી છે અને લોકજીવનમાં અજવાળા પથરાયા છે. અમરેલીના રાજુલા તાલુકાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ આજે વીજળી આવતા લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં રહેતા લોકો લાંબા સમયથી વીજળી વગર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જે આજે દૂર થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.


સ્થાનિક ધારાસભ્યના કારણે ગામમાં પહોંચી વીજળી! 

ખાસ વાત છે કે, મીરા દાતાર વિસ્તારના 30 પરિવારોએ અનેકવાર તંત્ર અને સરકાર સામે પોતાની વીજળીની સમસ્યાઓ મુકી હતી. જોકે સ્થાનિક ધારાસભ્યના કારણે વીજળી ગામ સુધી પહોંચી છે. મહત્વનું છે કે આપણે વિકાસશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાતની ગમે તેટલી વાતો કરીએ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકસીત બતાવીએ પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પાયાની સુવિધાઓથી વંચિત છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"