વલસાડનું એક ગામ જ્યાં અંતિમયાત્રા કાઢવા માટે પણ લોકોએ કરવો પડે છે સંઘર્ષ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-09 15:22:46

વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. ઠેર ઠેર વરસાદના દ્રશ્યો સામે આવતા હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, અનેક બ્રિજો તેમજ રસ્તાઓ વરસાદને કારણે તૂટી પણ ગયા છે. અનેક લોકો વરસાદને એન્જોય કરતા હોય છે તો કોઈ માટે આ વરસાદ મુસીબત લઈને આવતું હોય છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે. અનેક જગ્યાઓથી વરસાદને કારણે નયનરમ્યો દ્રશ્યો સર્જાયા છે તો અનેક જગ્યા પર વરસાદ વિનાશકારી સાબિત થયો છે. ત્યારે વલસાડથી એક ઘટના સામે આવી છે જેમાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે અંતિમયાત્રા નિકાળવા લોકો મજબૂર બન્યા હતા.

 


એમ્બ્યુલન્સ અટવાઈ જતા ગયો હતો વૃદ્ધાનો જીવ 

અનેક જગ્યાઓથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગર્ભવતી મહિલાને પલંગ પર બેસાડી બીજા સ્થળ પર ખસેડવામાં આવી હતી. તે સિવાય પણ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રેસ્ક્યુ કરી લોકોનો જીવ બચાવવો પડતો હતો. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ ટાઈમ પર ન પહોંચી શકી હતી જેને લઈ વૃદ્ધાનો જીવ જતો રહ્યો હતો. એ સિવાય પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરાયું હતું. 


અંતિમસંસ્કાર કરવા માટે પરિવારજનોએ કરવો પડે છે સંઘર્ષ 

વરસાદના ધસમસતા પ્રવાહ વચ્ચે મૃતકના અંતિમ સંસ્કાર કરવા જતા લોકોની તસવીરો સામે આવી હતી. અંતિમયાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે વલસાડ તાલુકાના કાકડમટી ગામના છે.  અંતિમ યાત્રા કરવા માટે લોકોને અગ્નિ પરીક્ષા આપવી પડી રહી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુલના અભાવે દર ચોમાસે જ્યારે કોઈના અંતિમસંસ્કાર કરવા જવું હોય ત્યારે આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. પુલ બનાવામાં આવે તે માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો ચોમાસાની સિઝનમાં કોઈનું મોત થાય છે તો અંતિમસંસ્કાર કરવા માટે તેમણે આ રસ્તા પરથી પસાર થવું પડે છે. 


પુલ બનાવવા માટે અનેક વખત કરાઈ છે રજૂઆત 

જે જગ્યાની વાત થઈ રહી છે તે ગામમાં સ્મશાનગૃહ નદીના પેલે છેડે આવેલું છે. નદી ઓળંગીને બીજા કિનારે પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું નિર્માણ કરવામાં આવે તો જીવના જોખમે અંતિમયાત્રા નિકાળવી ન પડે. નદીમાંથી પસાર થઈ મૃતકના પરિવારજનો પોતાના સ્વજનને અંતિમવિદાય આપે છે.   





પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.