વલસાડનું એક ગામ જ્યાં અંતિમયાત્રા કાઢવા માટે પણ લોકોએ કરવો પડે છે સંઘર્ષ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-09 15:22:46

વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. ઠેર ઠેર વરસાદના દ્રશ્યો સામે આવતા હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, અનેક બ્રિજો તેમજ રસ્તાઓ વરસાદને કારણે તૂટી પણ ગયા છે. અનેક લોકો વરસાદને એન્જોય કરતા હોય છે તો કોઈ માટે આ વરસાદ મુસીબત લઈને આવતું હોય છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે. અનેક જગ્યાઓથી વરસાદને કારણે નયનરમ્યો દ્રશ્યો સર્જાયા છે તો અનેક જગ્યા પર વરસાદ વિનાશકારી સાબિત થયો છે. ત્યારે વલસાડથી એક ઘટના સામે આવી છે જેમાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે અંતિમયાત્રા નિકાળવા લોકો મજબૂર બન્યા હતા.

 


એમ્બ્યુલન્સ અટવાઈ જતા ગયો હતો વૃદ્ધાનો જીવ 

અનેક જગ્યાઓથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગર્ભવતી મહિલાને પલંગ પર બેસાડી બીજા સ્થળ પર ખસેડવામાં આવી હતી. તે સિવાય પણ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રેસ્ક્યુ કરી લોકોનો જીવ બચાવવો પડતો હતો. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ ટાઈમ પર ન પહોંચી શકી હતી જેને લઈ વૃદ્ધાનો જીવ જતો રહ્યો હતો. એ સિવાય પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરાયું હતું. 


અંતિમસંસ્કાર કરવા માટે પરિવારજનોએ કરવો પડે છે સંઘર્ષ 

વરસાદના ધસમસતા પ્રવાહ વચ્ચે મૃતકના અંતિમ સંસ્કાર કરવા જતા લોકોની તસવીરો સામે આવી હતી. અંતિમયાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે વલસાડ તાલુકાના કાકડમટી ગામના છે.  અંતિમ યાત્રા કરવા માટે લોકોને અગ્નિ પરીક્ષા આપવી પડી રહી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુલના અભાવે દર ચોમાસે જ્યારે કોઈના અંતિમસંસ્કાર કરવા જવું હોય ત્યારે આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. પુલ બનાવામાં આવે તે માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો ચોમાસાની સિઝનમાં કોઈનું મોત થાય છે તો અંતિમસંસ્કાર કરવા માટે તેમણે આ રસ્તા પરથી પસાર થવું પડે છે. 


પુલ બનાવવા માટે અનેક વખત કરાઈ છે રજૂઆત 

જે જગ્યાની વાત થઈ રહી છે તે ગામમાં સ્મશાનગૃહ નદીના પેલે છેડે આવેલું છે. નદી ઓળંગીને બીજા કિનારે પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું નિર્માણ કરવામાં આવે તો જીવના જોખમે અંતિમયાત્રા નિકાળવી ન પડે. નદીમાંથી પસાર થઈ મૃતકના પરિવારજનો પોતાના સ્વજનને અંતિમવિદાય આપે છે.   





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.