એક Viral Videoએ આણંદ એસટી વિભાગની પોલી ખોલ! સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા અપનાવી આવી ટ્રીક! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-06 14:33:49

થોડા દિવસ પહેલા 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત થઈ હતી. ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરી હતી, તે ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે આ સફાઈ અભિયાનની વાત એટલા માટે કરવી છે કારણ કે આણંદ એસટી બસ ડેપોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા કર્મચારી દ્વારા કચરો ફેકવામાં આવે છે અને પછી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી.

       

હર્ષ સંઘવીએ ફોટો કર્યો હતો શેર!

આપણે જ્યારે એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈ છીએ, એસટી બસમાં સફર કરીએ છીએ તો આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે એસટી બસમાં તો સફાઈ નથી હોતી. અનેક એસટી બસમાં ગંદકી જોવા મળતી હોય છે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ જળવાઈ રહે તે માટે 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત. જે અંતર્ગત એસટી બસની તેમજ એસટી સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. એસટી બસ ડેપોમાં તેમજ એસટી બસમાં સફાઈ જળવાઈ રહે અને સ્ટેશન પર પણ સફાઈ રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સફાઈ કરતા હતા તે ફોટો જ્યારે અમે સમાચારમાં મૂક્યા ત્યારે દર્શકોએ કહ્યું કે આ તો માત્ર ફોટો સેશન માટે છે, જે જગ્યા સાફ છે ત્યાં સફાઈ કરવામાં આવી રહી છે વગેરે વગેરે... 


Anand ST's play to make the Swachh Yatra a success, first threw the garbage himself and then got MPs, MLAs to clean it સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા આણંદ STનું નાટક, પહેલા જાતે કચરો નાંખ્યો પછી સાંસદ, MLA પાસે સફાઈ કરાવી

લોકોમાં આ વીડિયો અંગે થઈ રહી છે ચર્ચા 

ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યક્રમને સફળ કરવા માટે નાટક કરવામાં આવ્યું હોય તેનો પર્દાફાશ થયો છે! એસટી પ્રશાસનનાં અધિકારીઓ સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી બસમાં ચારેય બાજુ નાખી રહ્યો છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં લોકો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા જે જોયા હશે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.