એક Viral Videoએ આણંદ એસટી વિભાગની પોલી ખોલ! સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા અપનાવી આવી ટ્રીક! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-06 14:33:49

થોડા દિવસ પહેલા 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત થઈ હતી. ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરી હતી, તે ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે આ સફાઈ અભિયાનની વાત એટલા માટે કરવી છે કારણ કે આણંદ એસટી બસ ડેપોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા કર્મચારી દ્વારા કચરો ફેકવામાં આવે છે અને પછી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી.

       

હર્ષ સંઘવીએ ફોટો કર્યો હતો શેર!

આપણે જ્યારે એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈ છીએ, એસટી બસમાં સફર કરીએ છીએ તો આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે એસટી બસમાં તો સફાઈ નથી હોતી. અનેક એસટી બસમાં ગંદકી જોવા મળતી હોય છે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ જળવાઈ રહે તે માટે 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત. જે અંતર્ગત એસટી બસની તેમજ એસટી સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. એસટી બસ ડેપોમાં તેમજ એસટી બસમાં સફાઈ જળવાઈ રહે અને સ્ટેશન પર પણ સફાઈ રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સફાઈ કરતા હતા તે ફોટો જ્યારે અમે સમાચારમાં મૂક્યા ત્યારે દર્શકોએ કહ્યું કે આ તો માત્ર ફોટો સેશન માટે છે, જે જગ્યા સાફ છે ત્યાં સફાઈ કરવામાં આવી રહી છે વગેરે વગેરે... 


Anand ST's play to make the Swachh Yatra a success, first threw the garbage himself and then got MPs, MLAs to clean it સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા આણંદ STનું નાટક, પહેલા જાતે કચરો નાંખ્યો પછી સાંસદ, MLA પાસે સફાઈ કરાવી

લોકોમાં આ વીડિયો અંગે થઈ રહી છે ચર્ચા 

ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યક્રમને સફળ કરવા માટે નાટક કરવામાં આવ્યું હોય તેનો પર્દાફાશ થયો છે! એસટી પ્રશાસનનાં અધિકારીઓ સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી બસમાં ચારેય બાજુ નાખી રહ્યો છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં લોકો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા જે જોયા હશે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.