એક Viral Videoએ આણંદ એસટી વિભાગની પોલી ખોલ! સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા અપનાવી આવી ટ્રીક! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-06 14:33:49

થોડા દિવસ પહેલા 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત થઈ હતી. ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરી હતી, તે ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે આ સફાઈ અભિયાનની વાત એટલા માટે કરવી છે કારણ કે આણંદ એસટી બસ ડેપોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા કર્મચારી દ્વારા કચરો ફેકવામાં આવે છે અને પછી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી.

       

હર્ષ સંઘવીએ ફોટો કર્યો હતો શેર!

આપણે જ્યારે એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈ છીએ, એસટી બસમાં સફર કરીએ છીએ તો આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે એસટી બસમાં તો સફાઈ નથી હોતી. અનેક એસટી બસમાં ગંદકી જોવા મળતી હોય છે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ જળવાઈ રહે તે માટે 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત. જે અંતર્ગત એસટી બસની તેમજ એસટી સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. એસટી બસ ડેપોમાં તેમજ એસટી બસમાં સફાઈ જળવાઈ રહે અને સ્ટેશન પર પણ સફાઈ રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સફાઈ કરતા હતા તે ફોટો જ્યારે અમે સમાચારમાં મૂક્યા ત્યારે દર્શકોએ કહ્યું કે આ તો માત્ર ફોટો સેશન માટે છે, જે જગ્યા સાફ છે ત્યાં સફાઈ કરવામાં આવી રહી છે વગેરે વગેરે... 


Anand ST's play to make the Swachh Yatra a success, first threw the garbage himself and then got MPs, MLAs to clean it સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા આણંદ STનું નાટક, પહેલા જાતે કચરો નાંખ્યો પછી સાંસદ, MLA પાસે સફાઈ કરાવી

લોકોમાં આ વીડિયો અંગે થઈ રહી છે ચર્ચા 

ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યક્રમને સફળ કરવા માટે નાટક કરવામાં આવ્યું હોય તેનો પર્દાફાશ થયો છે! એસટી પ્રશાસનનાં અધિકારીઓ સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી બસમાં ચારેય બાજુ નાખી રહ્યો છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં લોકો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા જે જોયા હશે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.