ભચાઉ તાલુકાના સામખીયાણીમાં મહિલા પર થયો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો અને શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-06-22 13:31:32

અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. અનુસૂચિત જાતિના લોકોને સુરક્ષા મળી રહે અને અત્યાચારને રોકવા અનેક કાયદાઓ તો બન્યા છે પરંતુ અનેક વખત તેમની પર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છથી સામે આવી છે. કચ્છ જિલ્લાના સામખિયાળી ગામમાં મધ્યાહન ભોજનનો સરકારી કોન્ટ્રાક્ટ લઇને  કામ કરતા અનુસૂચિત જાતિના એક મહિલા સાથે મારપીટની ઘટના બની છે. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ રેખાબેન પર હુમલો કર્યો હતો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.     

મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ!

મારામારી થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. અનેક લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છથી આવી ઘટના સામે આવી છે જ્યાં અનુસૂચિત જાતીની એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. સામખીયાળીમાં આજે મધ્યાહન ભોજનનો મંજૂર થયેલ ઓર્ડર લેવા ગયેલા મહિલા ઉપર ઓર્ડર કેન્સલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ ઘાતક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


આ કારણે રેખાબેન પર કરાયો હુમલો!

રેખાબેન જાદવ નામના આ મહિલા પર તેમના જ ગામના વ્યક્તિ ધર્મેન્દ્ર કાનજી મણકાએ ધોકા વડે હુમલો કર્યો. કારણ શું હતું કે ધર્મેન્દ્ર કાનજી મણકા પોતે વર્ષોથી મધ્યાહન ભોજનનું કામ કરતો હતો અને આ વખતે કોન્ટ્રાક્ટ આ બેનને મળ્યો. સાવ નજીવી બાબતોમાં અંગત અદાવત રાખીને દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ ઘટનાઓના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઇએ તે તો થતો નથી. 


ગામના લોકોએ આપ્યું એસપીને આવેદન! 

અત્યાચારનો ભોગ બનેલા આ લોકો એટલી હદે ડરેલા છે કે જ્યારે મીડિયાએ તેમને સવાલો કર્યા કે શું થયું તમારી સાથે કોણે કર્યુ, જેણે તમને માર માર્યો એનું નામ બોલો, તો નામ બોલતા પણ આ બેન અચકાતા હતા. પરંતુ હિંમત કરી તેમણે પોતાની વાત કહી હતી. કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કચ્છ એસપી કચેરીમાં જઇને આ બહેન અને તેમના સમર્થનમાં આવેલા તેમના સમાજના લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.