ભચાઉ તાલુકાના સામખીયાણીમાં મહિલા પર થયો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો અને શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-06-22 13:31:32

અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. અનુસૂચિત જાતિના લોકોને સુરક્ષા મળી રહે અને અત્યાચારને રોકવા અનેક કાયદાઓ તો બન્યા છે પરંતુ અનેક વખત તેમની પર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છથી સામે આવી છે. કચ્છ જિલ્લાના સામખિયાળી ગામમાં મધ્યાહન ભોજનનો સરકારી કોન્ટ્રાક્ટ લઇને  કામ કરતા અનુસૂચિત જાતિના એક મહિલા સાથે મારપીટની ઘટના બની છે. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ રેખાબેન પર હુમલો કર્યો હતો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.     

મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ!

મારામારી થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. અનેક લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છથી આવી ઘટના સામે આવી છે જ્યાં અનુસૂચિત જાતીની એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. સામખીયાળીમાં આજે મધ્યાહન ભોજનનો મંજૂર થયેલ ઓર્ડર લેવા ગયેલા મહિલા ઉપર ઓર્ડર કેન્સલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ ઘાતક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


આ કારણે રેખાબેન પર કરાયો હુમલો!

રેખાબેન જાદવ નામના આ મહિલા પર તેમના જ ગામના વ્યક્તિ ધર્મેન્દ્ર કાનજી મણકાએ ધોકા વડે હુમલો કર્યો. કારણ શું હતું કે ધર્મેન્દ્ર કાનજી મણકા પોતે વર્ષોથી મધ્યાહન ભોજનનું કામ કરતો હતો અને આ વખતે કોન્ટ્રાક્ટ આ બેનને મળ્યો. સાવ નજીવી બાબતોમાં અંગત અદાવત રાખીને દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ ઘટનાઓના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઇએ તે તો થતો નથી. 


ગામના લોકોએ આપ્યું એસપીને આવેદન! 

અત્યાચારનો ભોગ બનેલા આ લોકો એટલી હદે ડરેલા છે કે જ્યારે મીડિયાએ તેમને સવાલો કર્યા કે શું થયું તમારી સાથે કોણે કર્યુ, જેણે તમને માર માર્યો એનું નામ બોલો, તો નામ બોલતા પણ આ બેન અચકાતા હતા. પરંતુ હિંમત કરી તેમણે પોતાની વાત કહી હતી. કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કચ્છ એસપી કચેરીમાં જઇને આ બહેન અને તેમના સમર્થનમાં આવેલા તેમના સમાજના લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.