ભચાઉ તાલુકાના સામખીયાણીમાં મહિલા પર થયો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો અને શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-06-22 13:31:32

અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. અનુસૂચિત જાતિના લોકોને સુરક્ષા મળી રહે અને અત્યાચારને રોકવા અનેક કાયદાઓ તો બન્યા છે પરંતુ અનેક વખત તેમની પર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છથી સામે આવી છે. કચ્છ જિલ્લાના સામખિયાળી ગામમાં મધ્યાહન ભોજનનો સરકારી કોન્ટ્રાક્ટ લઇને  કામ કરતા અનુસૂચિત જાતિના એક મહિલા સાથે મારપીટની ઘટના બની છે. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ રેખાબેન પર હુમલો કર્યો હતો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.     

મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ!

મારામારી થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. અનેક લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છથી આવી ઘટના સામે આવી છે જ્યાં અનુસૂચિત જાતીની એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. સામખીયાળીમાં આજે મધ્યાહન ભોજનનો મંજૂર થયેલ ઓર્ડર લેવા ગયેલા મહિલા ઉપર ઓર્ડર કેન્સલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ ઘાતક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


આ કારણે રેખાબેન પર કરાયો હુમલો!

રેખાબેન જાદવ નામના આ મહિલા પર તેમના જ ગામના વ્યક્તિ ધર્મેન્દ્ર કાનજી મણકાએ ધોકા વડે હુમલો કર્યો. કારણ શું હતું કે ધર્મેન્દ્ર કાનજી મણકા પોતે વર્ષોથી મધ્યાહન ભોજનનું કામ કરતો હતો અને આ વખતે કોન્ટ્રાક્ટ આ બેનને મળ્યો. સાવ નજીવી બાબતોમાં અંગત અદાવત રાખીને દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ ઘટનાઓના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઇએ તે તો થતો નથી. 


ગામના લોકોએ આપ્યું એસપીને આવેદન! 

અત્યાચારનો ભોગ બનેલા આ લોકો એટલી હદે ડરેલા છે કે જ્યારે મીડિયાએ તેમને સવાલો કર્યા કે શું થયું તમારી સાથે કોણે કર્યુ, જેણે તમને માર માર્યો એનું નામ બોલો, તો નામ બોલતા પણ આ બેન અચકાતા હતા. પરંતુ હિંમત કરી તેમણે પોતાની વાત કહી હતી. કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કચ્છ એસપી કચેરીમાં જઇને આ બહેન અને તેમના સમર્થનમાં આવેલા તેમના સમાજના લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.