ભચાઉ તાલુકાના સામખીયાણીમાં મહિલા પર થયો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો અને શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-06-22 13:31:32

અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. અનુસૂચિત જાતિના લોકોને સુરક્ષા મળી રહે અને અત્યાચારને રોકવા અનેક કાયદાઓ તો બન્યા છે પરંતુ અનેક વખત તેમની પર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છથી સામે આવી છે. કચ્છ જિલ્લાના સામખિયાળી ગામમાં મધ્યાહન ભોજનનો સરકારી કોન્ટ્રાક્ટ લઇને  કામ કરતા અનુસૂચિત જાતિના એક મહિલા સાથે મારપીટની ઘટના બની છે. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ રેખાબેન પર હુમલો કર્યો હતો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.     

મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ!

મારામારી થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. અનેક લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છથી આવી ઘટના સામે આવી છે જ્યાં અનુસૂચિત જાતીની એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. સામખીયાળીમાં આજે મધ્યાહન ભોજનનો મંજૂર થયેલ ઓર્ડર લેવા ગયેલા મહિલા ઉપર ઓર્ડર કેન્સલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ ઘાતક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


આ કારણે રેખાબેન પર કરાયો હુમલો!

રેખાબેન જાદવ નામના આ મહિલા પર તેમના જ ગામના વ્યક્તિ ધર્મેન્દ્ર કાનજી મણકાએ ધોકા વડે હુમલો કર્યો. કારણ શું હતું કે ધર્મેન્દ્ર કાનજી મણકા પોતે વર્ષોથી મધ્યાહન ભોજનનું કામ કરતો હતો અને આ વખતે કોન્ટ્રાક્ટ આ બેનને મળ્યો. સાવ નજીવી બાબતોમાં અંગત અદાવત રાખીને દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ ઘટનાઓના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઇએ તે તો થતો નથી. 


ગામના લોકોએ આપ્યું એસપીને આવેદન! 

અત્યાચારનો ભોગ બનેલા આ લોકો એટલી હદે ડરેલા છે કે જ્યારે મીડિયાએ તેમને સવાલો કર્યા કે શું થયું તમારી સાથે કોણે કર્યુ, જેણે તમને માર માર્યો એનું નામ બોલો, તો નામ બોલતા પણ આ બેન અચકાતા હતા. પરંતુ હિંમત કરી તેમણે પોતાની વાત કહી હતી. કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કચ્છ એસપી કચેરીમાં જઇને આ બહેન અને તેમના સમર્થનમાં આવેલા તેમના સમાજના લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.