Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણ દવેની એક રચના....


  • Published By :
  • Published Date : 2024-01-03 13:10:34

આજે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી છે. શિક્ષણનું બાળકના જીવનમાં ઘણું મહત્વ રહેલું હોય છે. જીવનના ઘડતરનો પાયો શાળામાં નાખવામાં આવતો હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં શિક્ષણ અને બાળકને સમર્પિત એક રચના. કૃષ્ણ દવે દ્વારા આની રચના કરવામાં આવી છે.     



આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે…


મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું…


દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…


આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે…


અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું…


એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,

આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો…

             - કૃષ્ણ દવે




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.