Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણ દવેની એક રચના....


  • Published By :
  • Published Date : 2024-01-03 13:10:34

આજે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી છે. શિક્ષણનું બાળકના જીવનમાં ઘણું મહત્વ રહેલું હોય છે. જીવનના ઘડતરનો પાયો શાળામાં નાખવામાં આવતો હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં શિક્ષણ અને બાળકને સમર્પિત એક રચના. કૃષ્ણ દવે દ્વારા આની રચના કરવામાં આવી છે.     



આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે…


મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું…


દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…


આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે…


અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું…


એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,

આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો…

             - કૃષ્ણ દવે




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .