મોરબીમાં મંદી અને માંદગીના કારણે યુવકે જીવન ટૂંકાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:14:22

ગુજરાત સરકારના રોજગારીના દાવા વચ્ચે મંદીના કારણે આપઘાતના કિસ્સા વધતા જાય છે જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વેપારીએ જોધપર ગામ નજીક મચ્છુ ડેમમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે છેલ્લા 2 દિવસથી ગાયબ હતા અને આજે તેમનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોય તેવી શંકા સેવાય રહી છે.



મંદી અને મોંઘવારીએ યુવકનો જીવ લીધો

મોરબીમાં રહીને સોનીકામ કરતા એક યુવકનો ધંધો ચાલતો ન હતો. યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતા તેમજ તેવો બ્લડપ્રેશર અને બીજા શારીરિક રોગોથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બધા પડકારોની સામે હારી તેઓ 2 દીવસ પહેલા ગાયબ થઈ ગયા હતા. ગામના લોકોએ શોધખોળ કરતા આખરે 2 દિવસબાદ તેમની લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .