મોરબીમાં મંદી અને માંદગીના કારણે યુવકે જીવન ટૂંકાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:14:22

ગુજરાત સરકારના રોજગારીના દાવા વચ્ચે મંદીના કારણે આપઘાતના કિસ્સા વધતા જાય છે જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વેપારીએ જોધપર ગામ નજીક મચ્છુ ડેમમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે છેલ્લા 2 દિવસથી ગાયબ હતા અને આજે તેમનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોય તેવી શંકા સેવાય રહી છે.



મંદી અને મોંઘવારીએ યુવકનો જીવ લીધો

મોરબીમાં રહીને સોનીકામ કરતા એક યુવકનો ધંધો ચાલતો ન હતો. યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતા તેમજ તેવો બ્લડપ્રેશર અને બીજા શારીરિક રોગોથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બધા પડકારોની સામે હારી તેઓ 2 દીવસ પહેલા ગાયબ થઈ ગયા હતા. ગામના લોકોએ શોધખોળ કરતા આખરે 2 દિવસબાદ તેમની લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. 



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું. આજે બેઠક થવાની છે તેની પહેલા કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે આવ્યો છે.

દીકરી અને પિતાના સંબંધનું વર્ણન થાય તેમ નથી.. દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે પિતા ગમે તે હદ સુધી જઈ શકે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં દીકરીને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 7 બેઠકો માટે ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા. આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આપણી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ કાયદાના લીરેલીરો ઉડતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.