Heart Attackને કારણે થયું એક યુવાનનું મોત, અચાનક છાતીમાં દુખાવો થતાં Flightનું કરાવ્યું Emergency Landing, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-21 18:11:14

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વસ્થ લાગતો વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે ડોક્ટર તેને મૃત જાહેર કરી દે છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો હતો, મોટી ઉંમરના જ લોકો જ હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકનો કારણે થયું છે.  23 વર્ષના યુવકને ફ્લાઈટમાં હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જયપુર ખાતે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પરંતુ યુવાનનું મોત થઈ ગયું હતું.


ફ્લાઈટમાં યુવાનને આવ્યો હાર્ટ એટેક

કોણ ક્યારે કાળનો કોળિયો બનશે તેની જાણ કોઈને નથી હોતી. કોણ ક્યારે દુનિયાને અલવિદા કહી દે છે તેની ખબર નથી પડતી. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક યુવાનની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થઈ છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ફ્લાઈટમાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 


છાતીમાં દુખાવો થતાં ફ્લાઈટની કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ 

લખનોતી શારજાહ ફ્લાઈટ જઈ રહી હતી પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પેસેન્જરને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેની પહેલા જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જે યુવાનનું મૃત્યુ થયું છે તેનું નામ નન્થા ગોપાલ છે. ફ્લાઈટમાં બેઠા હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો. જેને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ જ્યારે યુવકને ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જે ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું તેમાં 190 જેટલા લોકો સવાર હતા.      



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .