Heart Attackને કારણે થયું એક યુવાનનું મોત, અચાનક છાતીમાં દુખાવો થતાં Flightનું કરાવ્યું Emergency Landing, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-21 18:11:14

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વસ્થ લાગતો વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે ડોક્ટર તેને મૃત જાહેર કરી દે છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો હતો, મોટી ઉંમરના જ લોકો જ હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકનો કારણે થયું છે.  23 વર્ષના યુવકને ફ્લાઈટમાં હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જયપુર ખાતે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પરંતુ યુવાનનું મોત થઈ ગયું હતું.


ફ્લાઈટમાં યુવાનને આવ્યો હાર્ટ એટેક

કોણ ક્યારે કાળનો કોળિયો બનશે તેની જાણ કોઈને નથી હોતી. કોણ ક્યારે દુનિયાને અલવિદા કહી દે છે તેની ખબર નથી પડતી. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક યુવાનની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થઈ છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ફ્લાઈટમાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 


છાતીમાં દુખાવો થતાં ફ્લાઈટની કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ 

લખનોતી શારજાહ ફ્લાઈટ જઈ રહી હતી પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પેસેન્જરને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેની પહેલા જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જે યુવાનનું મૃત્યુ થયું છે તેનું નામ નન્થા ગોપાલ છે. ફ્લાઈટમાં બેઠા હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો. જેને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ જ્યારે યુવકને ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જે ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું તેમાં 190 જેટલા લોકો સવાર હતા.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.