દમણમાં હાર્ટ એટેકને કારણે થયું યુવાનનું મોત! પિતા સાથે વાત કરતો પુત્ર ઢળી પડ્યો અને મોતને ભેટ્યો!


  • Published By :
  • Published Date : 2023-03-23 12:32:37

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાનની સંખ્યામાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. કોઈ ગરબા કરતા કરતા મૃત્યુ પામે છે તો કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે સંઘ પ્રદેશ દમણથી મૃત્યુની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે. જ્યારે હોસ્પિટલમાં લઈ જવાય છે. ડોક્ટરે મૃત જાહેર કરી દીધો હતો. 


વાતો કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક! 

કોણ ક્યારે મોતને ભેટશે તે જાણી શકાતું નથી. આવનાર મિનિટની અંદર શું થશે તેનું પણ અનુમાન હવે લગાવી શકતું નથી. આજકાલ હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ફિટ અને તંદુરસ્ત દેખાતા વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યોગ કરતા કરતા હાર્ટ એટેક આવે છે તો કોઈ રમત કરતી વખતે ઢળી પડે છે. કોઈ વખત  ડાન્સ કરતા કરતા લોકોને હાર્ટ એટેક આવતા મોતને ભેટે છે. ત્યારે દમણથી હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છોકરો પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો. વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.


વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં દેખાતા અનુસાર દમણના દેવકા તાઈવાડમાં રહેલા દીપક ભંડારી પોતાની હોટલ બહાર પોતાના પિતા સાથે વાત કરી રહ્યા હતા. બાઈક પર બેસી પિતા સાથે વાત કરી રહ્યા છે. અચાનક તે બાઈક પરથી ઢળી પડે છે. જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. પરિવારના સભ્યનું અચાનક મોત થવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.  છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.