દમણમાં હાર્ટ એટેકને કારણે થયું યુવાનનું મોત! પિતા સાથે વાત કરતો પુત્ર ઢળી પડ્યો અને મોતને ભેટ્યો!


  • Published By :
  • Published Date : 2023-03-23 12:32:37

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાનની સંખ્યામાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. કોઈ ગરબા કરતા કરતા મૃત્યુ પામે છે તો કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે સંઘ પ્રદેશ દમણથી મૃત્યુની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે. જ્યારે હોસ્પિટલમાં લઈ જવાય છે. ડોક્ટરે મૃત જાહેર કરી દીધો હતો. 


વાતો કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક! 

કોણ ક્યારે મોતને ભેટશે તે જાણી શકાતું નથી. આવનાર મિનિટની અંદર શું થશે તેનું પણ અનુમાન હવે લગાવી શકતું નથી. આજકાલ હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ફિટ અને તંદુરસ્ત દેખાતા વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યોગ કરતા કરતા હાર્ટ એટેક આવે છે તો કોઈ રમત કરતી વખતે ઢળી પડે છે. કોઈ વખત  ડાન્સ કરતા કરતા લોકોને હાર્ટ એટેક આવતા મોતને ભેટે છે. ત્યારે દમણથી હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છોકરો પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો. વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.


વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં દેખાતા અનુસાર દમણના દેવકા તાઈવાડમાં રહેલા દીપક ભંડારી પોતાની હોટલ બહાર પોતાના પિતા સાથે વાત કરી રહ્યા હતા. બાઈક પર બેસી પિતા સાથે વાત કરી રહ્યા છે. અચાનક તે બાઈક પરથી ઢળી પડે છે. જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. પરિવારના સભ્યનું અચાનક મોત થવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.  છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે.       




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.