પ્રાંતિજથી ગેરકાયદેસર US જતાં યુવકનું રસ્તામાં મોત, પરિવાર નિકારગુઆમાં ફસાયું!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-11 16:05:33

ટ્રમ્પ સરકાર બનતા જ અમેરિકામાં ગેરકાયદેસર ખુસેલા લોકોને પાછા મોકલવાની કામગીરી શરુ થઇ ગઈ ભારતથી જે લોકો ગેરકાયદેસર ગયા હતા એ બધાને ધીરે ધીરે પાછા દેશમાં મોકલી રહ્યા છે પણ જયારે આ બધું ચાલતું હતું ત્યારે પણ એક સવાલ હતો કે હાથમાં હાથકડીઅને પગમાં બેડીઓ સાથે પાછા મોકલ્યા પછી પણ લોકો ડંકી રૂટથી જવાનું બંધ કરશે તો જવાબ ના છે કારણકે લોકો જીવ જોખમમાં નાખીને પણ હજુ ગેરકયદેસર ડંકી રૂટથી જાય જ છે . પ્રતિજનો એક પરિવારની જે હમણાં જ  USમાં ગેરકાયદેસર રીતે જતા હતા અને રસ્તામાં જ યુવકનું મૃત્યુ થયું કારણ શું ?


અમેરિકા જતાં રસ્તામાં મૃત્યુ!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે  ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે  યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું  મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે  જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે. 

માતાએ શું કહ્યું? 

અહીંયા રહેતા એમના માતા ને જયારે આ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એમને કશું ખબર નથી દીકરો ફરવા જવાનું કહીને ગયો હતો દિલીપભાઈની માતા લખમીબેને કહ્યું કે એના પરિવાર સાથે ગયો હતો એટલે અમને એવું હતુંકે એ ફરવા જ જાય છે જોકે ગામના સરપંચ અને બીજા લોકોની તાપસ પણ થઇ રહી છે કે કયા એજન્ટ અને કઈ રીતે એ પરિવાર ગયું 



"ગામના 50 ટકા લોકો અમેરિકા"

મોયેદ ગામના સરપંચ ધનરાજસિંહ રાઠોડને જયારે પત્રકારોએ સવાલ કર્યા તો તેમને કહ્યું કે ગામના આશરે 3500 જેટલી વસ્તી છે. જેમાંથી 50 ટકા જેટલા પટેલ લોકો USમાં વસવાટ કરે છે. ગામમાં એવી ચર્ચાઓ થાય છે કે, તેઓ અમેરિકા ફરવા ગયા હતા અને ત્યાં તેઓ મૃત્યુ પામ્યા છે.અમને નથી ખબર કે એ કઈ રીતે અમેરિકા ગયા ... આવોજ એક કેસ થોડા વર્ષો પહેલા બન્યો હતો જે દુનિયાભરની મીડિયા એ  ચલાવ્યો હતો જેમાં ડીંગૂચાનું પરિવાર કઈ રીતે અમેરિકા ગેરકાયદેસર જતા રસ્તામાં જ બરફમાં ડટાય ગયું... એ કોઈ પહેલી ઘટના ન હતી એની પહેલા પણ અનેક લોકો આવી રીતે ડંકી રૂટથી જવામાં મોતને ભેટ્યા છે! આટ આટલું થયા પછી પણ કેમ લોકો નથી સમજતા એ પ્રશ્ન છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી