ખાડાને કારણે એક યુવક મરતા મરતા બચ્યો! રસ્તા સુધારવા માટે કરાઈ રજૂઆત પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં... જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-07-27 10:37:53

ખરાબ રોડ રસ્તાની વાતો, રસ્તા પર ખાડા હોવાની વાતો અનેક વખત કરવામાં આવી છે. લોકોને સારા રસ્તા મળે તે માટે અનેક વખત સરકારને પણ રજૂઆત કરવામાં આવતી હોય છે. અનેક વખત રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાનો મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે. અનેક વખત વાતો થઈ છે, અનેક વખત ચર્ચા થઈ છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે.   

ખાડાને કારણે વાહનચાલકનો જતા જતા બચ્યો જીવ 

અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં અકસ્માત, ટક્કર થતાં દેખાતા હોય છે. આ સમાચાર પણ અકસ્માતને લઈને પરંતુ તે અકસ્માત નહીં જે તમે વિચારી રહ્યા છો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો વાપી પાસે આવેલા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેનો છે. શહેરના રસ્તઓ પર તો ખાડાઓ હોવું સામાન્ય બની ગયું છે. સરકારના મંત્રીઓ ભલે બૂમો પાડી પાડીને કહેતા કે રસ્તાની હાલત ખૂબ સારી છે, રસ્તા નાના બાળકના ગાલ જેવા છે વગેરે વગેરે.. પરંતુ વાસ્તવિક્તા વિશે તમે સૌ જાણો છો. એ કહેવાની જરૂર નથી. પરંતુ હવે તો ખાડા હાઈવે પર  પણ જોવા મળી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક બાઈકચાલક ખાડાને કારણે રસ્તા પર પટકાયો, સદનસીબે તે બચી ગયો. જ્યારે તે પટકાયો હતો ત્યારે તેની બાજુમાંથી એક કન્ટેનર ટ્રક નીકળે છે, અને તેના ટાયરથી તે માંડ માંડ બચે છે. રાત્રે હાઈવે પર બનેલી આ ઘટનાના દ્રશ્યો પાછળથી આવતી એક કારના ડેસ્કબોર્ડ પરથી લેવાયેલા છે. 

 

હાઈવે પરથી પસાર થાય છે અનેક મોટા વાહન

પોતાની નોકરી પતાવી વાપીથી વલસાડ તરફ જતા બલિઠા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પારડીના મોટા તાઇવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન ઉંમરમિયાં નામનો યુવક પસાર થઈ રહ્યો હતો. ત્યારે વાપીથી આગળ જતા બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઈક ચાલક પુરઝડપે પસાર થઈ રહ્યો હતો . આ દરમિયાન હાઇવે પરથી અન્ય મોટા ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. અચાનક જ હાઈવે પર પડેલા ખાડામાં બાઇક પટકાતા, બાઈક ચાલક હાઇવે પર જ ફંગોળાઈ ગયો. જોકે યુવકનો જીવ બચી ગયો જો યુવક સહેજ પણ આગળ-પાછળ પડ્યો હોત તો કન્ટેનરના ટાયર નીચે આવીને તેનો જીવ જઈ શકતો હતો. આ ઘટનામાં જાણે યુવકે મોતને હાથ તાળી આપી છે. આ મુદ્દે સરકાર ધ્યાન દો, કારણ કે તમારા કારણે લોકો મરી રહ્યા છે.


બાઈકચાલકનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત?

પોલીસને કહો કે સરખો ન્યાય અહીંયા પણ કરે! શોધી લાવે કે કોણ કોણ અમારા ભાગના રૂપિયા ખાઈ ગયું! રસ્તામાં ડામર કપચી ખાવા વાળા ભ્રષ્ટાચારીઓને શોધો કોઈ! કારણ કે જ્યારે આપણે અકસ્માતની વાત કરીએ છે લોકોને નિયમો પાલન કરવાની વાત કરીએ છે ત્યારે જરા પોતાના તંત્ર ને પણ સુધારો થોડુંતો લોકોના જીવ જતાં બચે. આવા મુદ્દાઓ પર અનેક વાત કરી ચૂક્યા છે. અનેક વાર વાતો થઈ, ચર્ચા થઈ પણ તો પણ સ્થિતિ ત્યાંની ત્યાં. અમારે ખાલી એટલું કહવું છે કે 'રસ્તા સુધારો રાજ, કમિશન ઓછું કરો બાપ' કારણ કે તમારા કારણને લોકો મરી રહ્યા છે  આ ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.