ખાડાને કારણે એક યુવક મરતા મરતા બચ્યો! રસ્તા સુધારવા માટે કરાઈ રજૂઆત પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં... જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-07-27 10:37:53

ખરાબ રોડ રસ્તાની વાતો, રસ્તા પર ખાડા હોવાની વાતો અનેક વખત કરવામાં આવી છે. લોકોને સારા રસ્તા મળે તે માટે અનેક વખત સરકારને પણ રજૂઆત કરવામાં આવતી હોય છે. અનેક વખત રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાનો મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે. અનેક વખત વાતો થઈ છે, અનેક વખત ચર્ચા થઈ છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે.   

ખાડાને કારણે વાહનચાલકનો જતા જતા બચ્યો જીવ 

અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં અકસ્માત, ટક્કર થતાં દેખાતા હોય છે. આ સમાચાર પણ અકસ્માતને લઈને પરંતુ તે અકસ્માત નહીં જે તમે વિચારી રહ્યા છો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો વાપી પાસે આવેલા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેનો છે. શહેરના રસ્તઓ પર તો ખાડાઓ હોવું સામાન્ય બની ગયું છે. સરકારના મંત્રીઓ ભલે બૂમો પાડી પાડીને કહેતા કે રસ્તાની હાલત ખૂબ સારી છે, રસ્તા નાના બાળકના ગાલ જેવા છે વગેરે વગેરે.. પરંતુ વાસ્તવિક્તા વિશે તમે સૌ જાણો છો. એ કહેવાની જરૂર નથી. પરંતુ હવે તો ખાડા હાઈવે પર  પણ જોવા મળી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક બાઈકચાલક ખાડાને કારણે રસ્તા પર પટકાયો, સદનસીબે તે બચી ગયો. જ્યારે તે પટકાયો હતો ત્યારે તેની બાજુમાંથી એક કન્ટેનર ટ્રક નીકળે છે, અને તેના ટાયરથી તે માંડ માંડ બચે છે. રાત્રે હાઈવે પર બનેલી આ ઘટનાના દ્રશ્યો પાછળથી આવતી એક કારના ડેસ્કબોર્ડ પરથી લેવાયેલા છે. 

 

હાઈવે પરથી પસાર થાય છે અનેક મોટા વાહન

પોતાની નોકરી પતાવી વાપીથી વલસાડ તરફ જતા બલિઠા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પારડીના મોટા તાઇવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન ઉંમરમિયાં નામનો યુવક પસાર થઈ રહ્યો હતો. ત્યારે વાપીથી આગળ જતા બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઈક ચાલક પુરઝડપે પસાર થઈ રહ્યો હતો . આ દરમિયાન હાઇવે પરથી અન્ય મોટા ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. અચાનક જ હાઈવે પર પડેલા ખાડામાં બાઇક પટકાતા, બાઈક ચાલક હાઇવે પર જ ફંગોળાઈ ગયો. જોકે યુવકનો જીવ બચી ગયો જો યુવક સહેજ પણ આગળ-પાછળ પડ્યો હોત તો કન્ટેનરના ટાયર નીચે આવીને તેનો જીવ જઈ શકતો હતો. આ ઘટનામાં જાણે યુવકે મોતને હાથ તાળી આપી છે. આ મુદ્દે સરકાર ધ્યાન દો, કારણ કે તમારા કારણે લોકો મરી રહ્યા છે.


બાઈકચાલકનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત?

પોલીસને કહો કે સરખો ન્યાય અહીંયા પણ કરે! શોધી લાવે કે કોણ કોણ અમારા ભાગના રૂપિયા ખાઈ ગયું! રસ્તામાં ડામર કપચી ખાવા વાળા ભ્રષ્ટાચારીઓને શોધો કોઈ! કારણ કે જ્યારે આપણે અકસ્માતની વાત કરીએ છે લોકોને નિયમો પાલન કરવાની વાત કરીએ છે ત્યારે જરા પોતાના તંત્ર ને પણ સુધારો થોડુંતો લોકોના જીવ જતાં બચે. આવા મુદ્દાઓ પર અનેક વાત કરી ચૂક્યા છે. અનેક વાર વાતો થઈ, ચર્ચા થઈ પણ તો પણ સ્થિતિ ત્યાંની ત્યાં. અમારે ખાલી એટલું કહવું છે કે 'રસ્તા સુધારો રાજ, કમિશન ઓછું કરો બાપ' કારણ કે તમારા કારણને લોકો મરી રહ્યા છે  આ ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.