વલસાડમાં યુવકે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ! આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી જણાવ્યું આત્મહત્યા કરવાનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-22 17:10:37

આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વાત પર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વલસાડથી આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પત્નીના ત્રાસથી પતિએ દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


ઝેરી દવા પી આપઘાત કરવાનો કર્યો પ્રયત્ન!

મુખ્યત્વે આપણી સામે જે કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ અથવા તો સાસરિયાના ત્રાસથી પત્ની આપઘાત જેવા પગલાં ભરી લેતી હોય છે. ત્યારે વલસાડ શહેરથી એક ઘટના સામે આવી છે જેમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગેરી દવા પી જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. ત્યારે યુવકે આ પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પતિનો વીડિયો!

પહેલા લોકો સ્યુસાઈડ નોટ લખતા હતા ત્યારે હવે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્ની અને સાસરિયા દ્વારા ત્રાસ આપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં જઈને પણ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વીડિયોમાં પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ યુવકની સારવાર ચાલી રહી છે. આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પતિએ મોબાઈલમાં રેકોર્ડ કરેલો પત્નીના ત્રાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.