વલસાડમાં યુવકે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ! આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી જણાવ્યું આત્મહત્યા કરવાનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-22 17:10:37

આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વાત પર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વલસાડથી આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પત્નીના ત્રાસથી પતિએ દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


ઝેરી દવા પી આપઘાત કરવાનો કર્યો પ્રયત્ન!

મુખ્યત્વે આપણી સામે જે કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ અથવા તો સાસરિયાના ત્રાસથી પત્ની આપઘાત જેવા પગલાં ભરી લેતી હોય છે. ત્યારે વલસાડ શહેરથી એક ઘટના સામે આવી છે જેમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગેરી દવા પી જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. ત્યારે યુવકે આ પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પતિનો વીડિયો!

પહેલા લોકો સ્યુસાઈડ નોટ લખતા હતા ત્યારે હવે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્ની અને સાસરિયા દ્વારા ત્રાસ આપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં જઈને પણ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વીડિયોમાં પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ યુવકની સારવાર ચાલી રહી છે. આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પતિએ મોબાઈલમાં રેકોર્ડ કરેલો પત્નીના ત્રાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે