વલસાડમાં યુવકે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ! આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી જણાવ્યું આત્મહત્યા કરવાનું કારણ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-22 17:10:37

આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વાત પર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વલસાડથી આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પત્નીના ત્રાસથી પતિએ દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


ઝેરી દવા પી આપઘાત કરવાનો કર્યો પ્રયત્ન!

મુખ્યત્વે આપણી સામે જે કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ અથવા તો સાસરિયાના ત્રાસથી પત્ની આપઘાત જેવા પગલાં ભરી લેતી હોય છે. ત્યારે વલસાડ શહેરથી એક ઘટના સામે આવી છે જેમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગેરી દવા પી જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. ત્યારે યુવકે આ પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પતિનો વીડિયો!

પહેલા લોકો સ્યુસાઈડ નોટ લખતા હતા ત્યારે હવે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્ની અને સાસરિયા દ્વારા ત્રાસ આપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં જઈને પણ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વીડિયોમાં પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ યુવકની સારવાર ચાલી રહી છે. આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પતિએ મોબાઈલમાં રેકોર્ડ કરેલો પત્નીના ત્રાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'