વલસાડમાં યુવકે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ! આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી જણાવ્યું આત્મહત્યા કરવાનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-22 17:10:37

આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વાત પર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વલસાડથી આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પત્નીના ત્રાસથી પતિએ દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


ઝેરી દવા પી આપઘાત કરવાનો કર્યો પ્રયત્ન!

મુખ્યત્વે આપણી સામે જે કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ અથવા તો સાસરિયાના ત્રાસથી પત્ની આપઘાત જેવા પગલાં ભરી લેતી હોય છે. ત્યારે વલસાડ શહેરથી એક ઘટના સામે આવી છે જેમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગેરી દવા પી જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. ત્યારે યુવકે આ પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પતિનો વીડિયો!

પહેલા લોકો સ્યુસાઈડ નોટ લખતા હતા ત્યારે હવે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્ની અને સાસરિયા દ્વારા ત્રાસ આપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં જઈને પણ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વીડિયોમાં પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ યુવકની સારવાર ચાલી રહી છે. આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પતિએ મોબાઈલમાં રેકોર્ડ કરેલો પત્નીના ત્રાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.