પગપાળા અંબાજી જતા યુવાને અચાનક આત્મહત્યા કરી લીધી


  • Published By :
  • Published Date : 2023-09-27 18:10:20

ભાદરવી પૂનમના મેળાને લઈને લાખો લોકો પદયાત્રા કરી માં આંબાના દર્શન કરવા જઈ થયા છે આ સમગ્ર માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સંઘમાં પગપાળા અંબાજી જઈ રહેલા યુવાને જાડ પર લટકી આત્મહત્યા કરી લીધી છે

અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો મહેસાણા ખેરાલુ, સતલાસણા માર્ગો પર ચાલતા જઈ રહ્યા છે જ્યાં સતલાસણા પાસે એક યુવકની જાડ પર લટકતી લાશ મળી આવી છે નર્મદા જિલ્લાના સંઘમાં ચાલતા નીકળેલા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર કેસમાં યુવાનો અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

નર્મદના ભૂતાળ ગામે રહેતો પરણિત યુવાન ધર્મેન્દ્ર વસાવા તેના ગામથી 14  સપ્ટેમ્બરના રોજ અંબાજી જવા નીકળ્યો હતો આ યુવક નર્મદના સંઘ સાથે પગપાળા આવ્યો હતો પરંતુ સંઘ દાંતા પહોંચતા તેનો કોઈ પત્તો ન લાગતાં સંઘના લોકોએ ધર્મેન્દ્રના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પરિવાર પણ ધર્મેન્દ્રને શોધવા કામે લાગ્યો હતો


ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી હતી

સતલાસણા તાલુકાના કમ્પા નજીક નાયલોનની દોરાથી જાડ પર લટકેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા આ યુવાનના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં માત્ર એક મોબાઈલ નંબર લખેલો હતો તે મોબાઈલ નંબર મૃતકના ભાઈનો હતો જે આધારે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી ઉલ્લેખનિય છે કે 33 વર્ષના યુવાનની લટકતી લાશ પર ઉપરના ભાગે એક પણ કપડું નહોતું માત્ર પેન્ટ પહેરેલી હતી જોકે આ તમામ બાબતે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી