પગપાળા અંબાજી જતા યુવાને અચાનક આત્મહત્યા કરી લીધી


  • Published By :
  • Published Date : 2023-09-27 18:10:20

ભાદરવી પૂનમના મેળાને લઈને લાખો લોકો પદયાત્રા કરી માં આંબાના દર્શન કરવા જઈ થયા છે આ સમગ્ર માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સંઘમાં પગપાળા અંબાજી જઈ રહેલા યુવાને જાડ પર લટકી આત્મહત્યા કરી લીધી છે

અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો મહેસાણા ખેરાલુ, સતલાસણા માર્ગો પર ચાલતા જઈ રહ્યા છે જ્યાં સતલાસણા પાસે એક યુવકની જાડ પર લટકતી લાશ મળી આવી છે નર્મદા જિલ્લાના સંઘમાં ચાલતા નીકળેલા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર કેસમાં યુવાનો અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

નર્મદના ભૂતાળ ગામે રહેતો પરણિત યુવાન ધર્મેન્દ્ર વસાવા તેના ગામથી 14  સપ્ટેમ્બરના રોજ અંબાજી જવા નીકળ્યો હતો આ યુવક નર્મદના સંઘ સાથે પગપાળા આવ્યો હતો પરંતુ સંઘ દાંતા પહોંચતા તેનો કોઈ પત્તો ન લાગતાં સંઘના લોકોએ ધર્મેન્દ્રના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પરિવાર પણ ધર્મેન્દ્રને શોધવા કામે લાગ્યો હતો


ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી હતી

સતલાસણા તાલુકાના કમ્પા નજીક નાયલોનની દોરાથી જાડ પર લટકેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા આ યુવાનના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં માત્ર એક મોબાઈલ નંબર લખેલો હતો તે મોબાઈલ નંબર મૃતકના ભાઈનો હતો જે આધારે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી ઉલ્લેખનિય છે કે 33 વર્ષના યુવાનની લટકતી લાશ પર ઉપરના ભાગે એક પણ કપડું નહોતું માત્ર પેન્ટ પહેરેલી હતી જોકે આ તમામ બાબતે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.