પગપાળા અંબાજી જતા યુવાને અચાનક આત્મહત્યા કરી લીધી


  • Published By :
  • Published Date : 2023-09-27 18:10:20

ભાદરવી પૂનમના મેળાને લઈને લાખો લોકો પદયાત્રા કરી માં આંબાના દર્શન કરવા જઈ થયા છે આ સમગ્ર માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સંઘમાં પગપાળા અંબાજી જઈ રહેલા યુવાને જાડ પર લટકી આત્મહત્યા કરી લીધી છે

અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો મહેસાણા ખેરાલુ, સતલાસણા માર્ગો પર ચાલતા જઈ રહ્યા છે જ્યાં સતલાસણા પાસે એક યુવકની જાડ પર લટકતી લાશ મળી આવી છે નર્મદા જિલ્લાના સંઘમાં ચાલતા નીકળેલા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર કેસમાં યુવાનો અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

નર્મદના ભૂતાળ ગામે રહેતો પરણિત યુવાન ધર્મેન્દ્ર વસાવા તેના ગામથી 14  સપ્ટેમ્બરના રોજ અંબાજી જવા નીકળ્યો હતો આ યુવક નર્મદના સંઘ સાથે પગપાળા આવ્યો હતો પરંતુ સંઘ દાંતા પહોંચતા તેનો કોઈ પત્તો ન લાગતાં સંઘના લોકોએ ધર્મેન્દ્રના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પરિવાર પણ ધર્મેન્દ્રને શોધવા કામે લાગ્યો હતો


ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી હતી

સતલાસણા તાલુકાના કમ્પા નજીક નાયલોનની દોરાથી જાડ પર લટકેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા આ યુવાનના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં માત્ર એક મોબાઈલ નંબર લખેલો હતો તે મોબાઈલ નંબર મૃતકના ભાઈનો હતો જે આધારે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી ઉલ્લેખનિય છે કે 33 વર્ષના યુવાનની લટકતી લાશ પર ઉપરના ભાગે એક પણ કપડું નહોતું માત્ર પેન્ટ પહેરેલી હતી જોકે આ તમામ બાબતે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.