ભાવનગરમાં આખલાની અડફેટે આવતા એક યુવકનું મૃત્યુ થયું


  • Published By :
  • Published Date : 2022-10-25 16:23:27

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત રખડતા પશુના હુમલાને કારણે ભાવનગરમાં એક યુવકનું મોત નિપજ્યું છે. દિવાળીના સમયે પરિવારના સભ્યનું મોત થતા તહેવારનો આનંદ માતમમાં બદલાઈ ગયો છે. ખરીદી માટે યુવક નીકળ્યો હતો પરંતુ ઘરે તે નહીં પરંતુ તેનો મૃતદેહ આવ્યો.

રખડતા પશુએ લીધો યુવકનો ભોગ

છેલ્લા અનેક સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રસ્તા પર રખડતા પશુઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તાની વચ્ચોવચ ગાયોનો મેળાવડો જોવા મળે છે. જેને કારણે રાહદારીઓને પણ જીવનું જોખમ રહેતું હોય છે. દિવાળીના સમયે રખડતા પશુને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં 48 કલાક દરમિયાન રખડતા ઢોરને કારણે બીજુ મોત નિપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું મોત થતા મૃતકના માતા પિતાએ જવાન દિકરાને ગુમાવ્યો છે. 

Stray cattle can be kept in municipal cattle sheds, which will be taken  care of by the state government' | Sandesh

ગાયોને કારણે અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સભ્ય

અનેક પરિવાર રખડતા પશુઓને કારણે વિખેરાઈ ગયા છે. કોઈએ પોતાનો સંતાન ગુમાવ્યો છે તો કોઈએ પોતાના પિતાને ગુમાવ્યા છે. રખડતા પશુઓથી લોકો ત્રાસી ગયા છે. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે રસ્તા પર ગાયો હોય તો પણ લોકોને જવામાં બીક લાગે છે. કારણ કે ગમે ત્યારે ગાય હુમલો કરી શકે છે. રખડતા પશુને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. થોડા સમય પહેલા જ ગાયના હુમલાનો શિકાર એક માસુમ બન્યો હતો. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ક્યાં સુધી તંત્રની ભૂલનો ભોગ સામાન્ય માણસ બનશે?

અદિકારીઓ માટે આ વાત એકદમ સામાન્ય હોઈ શકે. એક-બે વ્યક્તિના મરવાથી કદાચ અધિકારીને ફરક નહીં પડતો હોય પરંતુ તે પરિવારનું તો સર્વસ્વ લૂંટાઈ જતું હોય છે. પરિવાર તંત્રની ભૂલને કારણે પોતાના સભ્યને ગુમાવે છે. ત્યારે સરકારને પૂછવાનું મન થાય કે રખડતા પશુને કારણે કોઈનું મોત થાય તો કોણ જવાબદાર? જવાબદાર અધિકારી ઉપર કોઈ એક્શન લેવાશે?            



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"