ભાવનગરમાં આખલાની અડફેટે આવતા એક યુવકનું મૃત્યુ થયું


  • Published By :
  • Published Date : 2022-10-25 16:23:27

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત રખડતા પશુના હુમલાને કારણે ભાવનગરમાં એક યુવકનું મોત નિપજ્યું છે. દિવાળીના સમયે પરિવારના સભ્યનું મોત થતા તહેવારનો આનંદ માતમમાં બદલાઈ ગયો છે. ખરીદી માટે યુવક નીકળ્યો હતો પરંતુ ઘરે તે નહીં પરંતુ તેનો મૃતદેહ આવ્યો.

રખડતા પશુએ લીધો યુવકનો ભોગ

છેલ્લા અનેક સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રસ્તા પર રખડતા પશુઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તાની વચ્ચોવચ ગાયોનો મેળાવડો જોવા મળે છે. જેને કારણે રાહદારીઓને પણ જીવનું જોખમ રહેતું હોય છે. દિવાળીના સમયે રખડતા પશુને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં 48 કલાક દરમિયાન રખડતા ઢોરને કારણે બીજુ મોત નિપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું મોત થતા મૃતકના માતા પિતાએ જવાન દિકરાને ગુમાવ્યો છે. 

Stray cattle can be kept in municipal cattle sheds, which will be taken  care of by the state government' | Sandesh

ગાયોને કારણે અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સભ્ય

અનેક પરિવાર રખડતા પશુઓને કારણે વિખેરાઈ ગયા છે. કોઈએ પોતાનો સંતાન ગુમાવ્યો છે તો કોઈએ પોતાના પિતાને ગુમાવ્યા છે. રખડતા પશુઓથી લોકો ત્રાસી ગયા છે. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે રસ્તા પર ગાયો હોય તો પણ લોકોને જવામાં બીક લાગે છે. કારણ કે ગમે ત્યારે ગાય હુમલો કરી શકે છે. રખડતા પશુને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. થોડા સમય પહેલા જ ગાયના હુમલાનો શિકાર એક માસુમ બન્યો હતો. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ક્યાં સુધી તંત્રની ભૂલનો ભોગ સામાન્ય માણસ બનશે?

અદિકારીઓ માટે આ વાત એકદમ સામાન્ય હોઈ શકે. એક-બે વ્યક્તિના મરવાથી કદાચ અધિકારીને ફરક નહીં પડતો હોય પરંતુ તે પરિવારનું તો સર્વસ્વ લૂંટાઈ જતું હોય છે. પરિવાર તંત્રની ભૂલને કારણે પોતાના સભ્યને ગુમાવે છે. ત્યારે સરકારને પૂછવાનું મન થાય કે રખડતા પશુને કારણે કોઈનું મોત થાય તો કોણ જવાબદાર? જવાબદાર અધિકારી ઉપર કોઈ એક્શન લેવાશે?            



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.