ભાવનગરમાં આખલાની અડફેટે આવતા એક યુવકનું મૃત્યુ થયું


  • Published By :
  • Published Date : 2022-10-25 16:23:27

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત રખડતા પશુના હુમલાને કારણે ભાવનગરમાં એક યુવકનું મોત નિપજ્યું છે. દિવાળીના સમયે પરિવારના સભ્યનું મોત થતા તહેવારનો આનંદ માતમમાં બદલાઈ ગયો છે. ખરીદી માટે યુવક નીકળ્યો હતો પરંતુ ઘરે તે નહીં પરંતુ તેનો મૃતદેહ આવ્યો.

રખડતા પશુએ લીધો યુવકનો ભોગ

છેલ્લા અનેક સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રસ્તા પર રખડતા પશુઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તાની વચ્ચોવચ ગાયોનો મેળાવડો જોવા મળે છે. જેને કારણે રાહદારીઓને પણ જીવનું જોખમ રહેતું હોય છે. દિવાળીના સમયે રખડતા પશુને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં 48 કલાક દરમિયાન રખડતા ઢોરને કારણે બીજુ મોત નિપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું મોત થતા મૃતકના માતા પિતાએ જવાન દિકરાને ગુમાવ્યો છે. 

Stray cattle can be kept in municipal cattle sheds, which will be taken  care of by the state government' | Sandesh

ગાયોને કારણે અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સભ્ય

અનેક પરિવાર રખડતા પશુઓને કારણે વિખેરાઈ ગયા છે. કોઈએ પોતાનો સંતાન ગુમાવ્યો છે તો કોઈએ પોતાના પિતાને ગુમાવ્યા છે. રખડતા પશુઓથી લોકો ત્રાસી ગયા છે. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે રસ્તા પર ગાયો હોય તો પણ લોકોને જવામાં બીક લાગે છે. કારણ કે ગમે ત્યારે ગાય હુમલો કરી શકે છે. રખડતા પશુને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. થોડા સમય પહેલા જ ગાયના હુમલાનો શિકાર એક માસુમ બન્યો હતો. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ક્યાં સુધી તંત્રની ભૂલનો ભોગ સામાન્ય માણસ બનશે?

અદિકારીઓ માટે આ વાત એકદમ સામાન્ય હોઈ શકે. એક-બે વ્યક્તિના મરવાથી કદાચ અધિકારીને ફરક નહીં પડતો હોય પરંતુ તે પરિવારનું તો સર્વસ્વ લૂંટાઈ જતું હોય છે. પરિવાર તંત્રની ભૂલને કારણે પોતાના સભ્યને ગુમાવે છે. ત્યારે સરકારને પૂછવાનું મન થાય કે રખડતા પશુને કારણે કોઈનું મોત થાય તો કોણ જવાબદાર? જવાબદાર અધિકારી ઉપર કોઈ એક્શન લેવાશે?            



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.