ભાવનગરમાં રખડતા પશુને કારણે થયું એક યુવકનું મોત, પરિવારમાં વ્યાપી ઉઠ્યો શોક


  • Published By :
  • Published Date : 2023-01-25 17:17:06

રાજ્યમાં રખડતા પશુઓને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક લોકો રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરનો યુવાન રખડતા પશુનો ભોગ બન્યો છે. રખડતા પશુના આતંકને કારણે નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં યુવકનું થયું મોત 

રખડતા પશુ રાજ્યની એક મોટી સમસ્યા બની ગઈ છે. રખડતા પશુને કારણે અનેક વખત અકસ્માતો બનતા હોય છે અને અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. નિર્દોષ લોકો રખડતા પશુનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં રહેતો યુવક રખડતા પશુનો ભોગ બન્યો છે.  


દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી 

મળતી માહિતી અનુસાર ભાવનગર એક્સપ્રેસ વેના રસ્તા પર કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આખલાએ કારને અડફેટે લીધી હતી. અડફેટે આવતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 


અનેક લોકો બને છે રખડતા પશુનો ભોગ 

અનેક વખત રખડતા પશુઓની અડફેટે લોકો આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા જ પશુએ એક વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા. સદનસીબે વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ પ્રશ્નએ છે કે ક્યાં સુધી રખડતા પશુનો ભોગ લોકો બનતા રહેશે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.