ભાવનગરમાં રખડતા પશુને કારણે થયું એક યુવકનું મોત, પરિવારમાં વ્યાપી ઉઠ્યો શોક


  • Published By :
  • Published Date : 2023-01-25 17:17:06

રાજ્યમાં રખડતા પશુઓને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક લોકો રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરનો યુવાન રખડતા પશુનો ભોગ બન્યો છે. રખડતા પશુના આતંકને કારણે નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં યુવકનું થયું મોત 

રખડતા પશુ રાજ્યની એક મોટી સમસ્યા બની ગઈ છે. રખડતા પશુને કારણે અનેક વખત અકસ્માતો બનતા હોય છે અને અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. નિર્દોષ લોકો રખડતા પશુનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં રહેતો યુવક રખડતા પશુનો ભોગ બન્યો છે.  


દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી 

મળતી માહિતી અનુસાર ભાવનગર એક્સપ્રેસ વેના રસ્તા પર કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આખલાએ કારને અડફેટે લીધી હતી. અડફેટે આવતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 


અનેક લોકો બને છે રખડતા પશુનો ભોગ 

અનેક વખત રખડતા પશુઓની અડફેટે લોકો આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા જ પશુએ એક વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા. સદનસીબે વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ પ્રશ્નએ છે કે ક્યાં સુધી રખડતા પશુનો ભોગ લોકો બનતા રહેશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.