ભાવનગરમાં રખડતા પશુને કારણે થયું એક યુવકનું મોત, પરિવારમાં વ્યાપી ઉઠ્યો શોક


  • Published By :
  • Published Date : 2023-01-25 17:17:06

રાજ્યમાં રખડતા પશુઓને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક લોકો રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરનો યુવાન રખડતા પશુનો ભોગ બન્યો છે. રખડતા પશુના આતંકને કારણે નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં યુવકનું થયું મોત 

રખડતા પશુ રાજ્યની એક મોટી સમસ્યા બની ગઈ છે. રખડતા પશુને કારણે અનેક વખત અકસ્માતો બનતા હોય છે અને અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. નિર્દોષ લોકો રખડતા પશુનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં રહેતો યુવક રખડતા પશુનો ભોગ બન્યો છે.  


દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી 

મળતી માહિતી અનુસાર ભાવનગર એક્સપ્રેસ વેના રસ્તા પર કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આખલાએ કારને અડફેટે લીધી હતી. અડફેટે આવતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 


અનેક લોકો બને છે રખડતા પશુનો ભોગ 

અનેક વખત રખડતા પશુઓની અડફેટે લોકો આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા જ પશુએ એક વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા. સદનસીબે વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ પ્રશ્નએ છે કે ક્યાં સુધી રખડતા પશુનો ભોગ લોકો બનતા રહેશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.