ભાવનગરમાં રખડતા પશુને કારણે થયું એક યુવકનું મોત, પરિવારમાં વ્યાપી ઉઠ્યો શોક


  • Published By :
  • Published Date : 2023-01-25 17:17:06

રાજ્યમાં રખડતા પશુઓને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક લોકો રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરનો યુવાન રખડતા પશુનો ભોગ બન્યો છે. રખડતા પશુના આતંકને કારણે નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં યુવકનું થયું મોત 

રખડતા પશુ રાજ્યની એક મોટી સમસ્યા બની ગઈ છે. રખડતા પશુને કારણે અનેક વખત અકસ્માતો બનતા હોય છે અને અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. નિર્દોષ લોકો રખડતા પશુનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં રહેતો યુવક રખડતા પશુનો ભોગ બન્યો છે.  


દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી 

મળતી માહિતી અનુસાર ભાવનગર એક્સપ્રેસ વેના રસ્તા પર કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આખલાએ કારને અડફેટે લીધી હતી. અડફેટે આવતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 


અનેક લોકો બને છે રખડતા પશુનો ભોગ 

અનેક વખત રખડતા પશુઓની અડફેટે લોકો આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા જ પશુએ એક વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા. સદનસીબે વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ પ્રશ્નએ છે કે ક્યાં સુધી રખડતા પશુનો ભોગ લોકો બનતા રહેશે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.