બીગ બોસના વિજેતા એલ્વિસ યાદવ પાસે એક કરોડની ખંડણી માગનાર વડનગરનો યુવાન ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-28 13:15:16

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપના જોતા મહેસાણાના આરટીઓ એજન્ટે કરોડોનું ફુલેકુ ફેવરવાનું વિચાર્યું. સોશિયલ મીડિયા બ્લોગર એલ્વિસ યાદવની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઈ મહેસાણાના આરટીઓ એજન્ટે મગજ દોડાવ્યું હતું. યુટ્યુબમાં તેના વીડિયોમાં બતાવેલી મોંઘી કારના પાસિંગ નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને ખંડણી માંગી હતી જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરમાં ચર્ચાનો વિષય બની છે.

હરિયાણાના ગુરુગ્રામ વજીરાબાદ રહેતો અને બીગ બોસની સિઝન 2 માં વિજેતા યુટ્યુબર એલ્વિસ યાદવ લંડનથી બીગ બોસની સિઝન પૂર્ણ કરીને ભારત આવતા તેના મેનેજરના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ધમકી આપતો ફોન થયો હતો જેમાં શરૂઆતમાં 40 લાખની ખંડણી માંગવામાં આવી હતી.અને તે બાદ તે જ નંબર ઉપરથી એક કરોડની ખંડણી  માગતા એલવીસ યાદવે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે નંબર ઉપરથી ખંડણી મંગાઈ હતી તે નંબર મહેસાણા જિલ્લાના વડનગર નો હોવાનું ખુલતા ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડનગર પહોંચી હતી. અને મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા અને વડનગરમાં રહેતા શાકીર જાકીર મકરાણીની ધરપકડ કરી હતી.

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપનામાં રાચતાં સાકીર જાકીર મકરાણી મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતો હોય તેને આસાની પૂર્વક સેલિબ્રિટી એવા એલ્વિસ યાદવની ગાડી નો નંબર મળીએ આવ્યો હતો અને હરિયાણા પાસે ના નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને તેને મેસેજ તેમજ મોબાઇલ ઉપર વાત કરીને એક કરોડની ખંડની માંગ્યા નું ખુલ્યું છે.ખંડણી માગનાર આરટીઓ એજન્ટને હરિયાણા લઈ જવાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બ્લોગર એલ્વિસ યાદવ ની લાઈફ સ્ટાઈલ થી પ્રભાવિત થઈને મહેસાણાના આરટીઓ એજન્ટે ધમકી આપી ખંડણી માંગી હતી



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.