બીગ બોસના વિજેતા એલ્વિસ યાદવ પાસે એક કરોડની ખંડણી માગનાર વડનગરનો યુવાન ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-28 13:15:16

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપના જોતા મહેસાણાના આરટીઓ એજન્ટે કરોડોનું ફુલેકુ ફેવરવાનું વિચાર્યું. સોશિયલ મીડિયા બ્લોગર એલ્વિસ યાદવની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઈ મહેસાણાના આરટીઓ એજન્ટે મગજ દોડાવ્યું હતું. યુટ્યુબમાં તેના વીડિયોમાં બતાવેલી મોંઘી કારના પાસિંગ નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને ખંડણી માંગી હતી જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરમાં ચર્ચાનો વિષય બની છે.

હરિયાણાના ગુરુગ્રામ વજીરાબાદ રહેતો અને બીગ બોસની સિઝન 2 માં વિજેતા યુટ્યુબર એલ્વિસ યાદવ લંડનથી બીગ બોસની સિઝન પૂર્ણ કરીને ભારત આવતા તેના મેનેજરના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ધમકી આપતો ફોન થયો હતો જેમાં શરૂઆતમાં 40 લાખની ખંડણી માંગવામાં આવી હતી.અને તે બાદ તે જ નંબર ઉપરથી એક કરોડની ખંડણી  માગતા એલવીસ યાદવે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે નંબર ઉપરથી ખંડણી મંગાઈ હતી તે નંબર મહેસાણા જિલ્લાના વડનગર નો હોવાનું ખુલતા ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડનગર પહોંચી હતી. અને મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા અને વડનગરમાં રહેતા શાકીર જાકીર મકરાણીની ધરપકડ કરી હતી.

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપનામાં રાચતાં સાકીર જાકીર મકરાણી મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતો હોય તેને આસાની પૂર્વક સેલિબ્રિટી એવા એલ્વિસ યાદવની ગાડી નો નંબર મળીએ આવ્યો હતો અને હરિયાણા પાસે ના નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને તેને મેસેજ તેમજ મોબાઇલ ઉપર વાત કરીને એક કરોડની ખંડની માંગ્યા નું ખુલ્યું છે.ખંડણી માગનાર આરટીઓ એજન્ટને હરિયાણા લઈ જવાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બ્લોગર એલ્વિસ યાદવ ની લાઈફ સ્ટાઈલ થી પ્રભાવિત થઈને મહેસાણાના આરટીઓ એજન્ટે ધમકી આપી ખંડણી માંગી હતી



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.