બીગ બોસના વિજેતા એલ્વિસ યાદવ પાસે એક કરોડની ખંડણી માગનાર વડનગરનો યુવાન ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-28 13:15:16

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપના જોતા મહેસાણાના આરટીઓ એજન્ટે કરોડોનું ફુલેકુ ફેવરવાનું વિચાર્યું. સોશિયલ મીડિયા બ્લોગર એલ્વિસ યાદવની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઈ મહેસાણાના આરટીઓ એજન્ટે મગજ દોડાવ્યું હતું. યુટ્યુબમાં તેના વીડિયોમાં બતાવેલી મોંઘી કારના પાસિંગ નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને ખંડણી માંગી હતી જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરમાં ચર્ચાનો વિષય બની છે.

હરિયાણાના ગુરુગ્રામ વજીરાબાદ રહેતો અને બીગ બોસની સિઝન 2 માં વિજેતા યુટ્યુબર એલ્વિસ યાદવ લંડનથી બીગ બોસની સિઝન પૂર્ણ કરીને ભારત આવતા તેના મેનેજરના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ધમકી આપતો ફોન થયો હતો જેમાં શરૂઆતમાં 40 લાખની ખંડણી માંગવામાં આવી હતી.અને તે બાદ તે જ નંબર ઉપરથી એક કરોડની ખંડણી  માગતા એલવીસ યાદવે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે નંબર ઉપરથી ખંડણી મંગાઈ હતી તે નંબર મહેસાણા જિલ્લાના વડનગર નો હોવાનું ખુલતા ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડનગર પહોંચી હતી. અને મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા અને વડનગરમાં રહેતા શાકીર જાકીર મકરાણીની ધરપકડ કરી હતી.

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપનામાં રાચતાં સાકીર જાકીર મકરાણી મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતો હોય તેને આસાની પૂર્વક સેલિબ્રિટી એવા એલ્વિસ યાદવની ગાડી નો નંબર મળીએ આવ્યો હતો અને હરિયાણા પાસે ના નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને તેને મેસેજ તેમજ મોબાઇલ ઉપર વાત કરીને એક કરોડની ખંડની માંગ્યા નું ખુલ્યું છે.ખંડણી માગનાર આરટીઓ એજન્ટને હરિયાણા લઈ જવાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બ્લોગર એલ્વિસ યાદવ ની લાઈફ સ્ટાઈલ થી પ્રભાવિત થઈને મહેસાણાના આરટીઓ એજન્ટે ધમકી આપી ખંડણી માંગી હતી



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી