આમ આદમી પાર્ટીનો ભાજપ પર આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:25:33

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે. અનેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ફરી એક વખત વિવાદ સર્જાયો છે.

વડોદરા ખાતે આપની સભા

ગુજરાત વિધાનસભામાં પહેલી વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી જોર-શોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સાથે આ વખતે મનીષ સિસોદીયા પણ ગુજરાતમાં પ્રચાર કરવાના છે. વડોદરા ખાતે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કરી જનતા સુધી તેઓ પોતાની વાત પહોંચાડવાના છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી છે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Arvind Kejriwal (@ArvindKejriwal) / Twitter

ભાજપ પર ઈસુદાન ગઢવીના પ્રહાર

ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર  ભાજપે હવે કેજરીવાલજીનો બરોડામાં કાર્યક્રમ ન થાય તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે. વધુ એક ટ્વિટ કરી તેમણે લખ્યું કે ટીવી મીડિયા વાળા તો સારા  છે  પરંતુ ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે એમણે સંપૂર્ણ મીડિયા પર કબ્જો કરી દબાવ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ  

અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીની ટ્વિટ પર રિપ્લાય આપતા કહ્યું કે વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમ કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે