આમ આદમી પાર્ટીનો ભાજપ પર આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:25:33

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે. અનેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ફરી એક વખત વિવાદ સર્જાયો છે.

વડોદરા ખાતે આપની સભા

ગુજરાત વિધાનસભામાં પહેલી વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી જોર-શોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સાથે આ વખતે મનીષ સિસોદીયા પણ ગુજરાતમાં પ્રચાર કરવાના છે. વડોદરા ખાતે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કરી જનતા સુધી તેઓ પોતાની વાત પહોંચાડવાના છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી છે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Arvind Kejriwal (@ArvindKejriwal) / Twitter

ભાજપ પર ઈસુદાન ગઢવીના પ્રહાર

ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર  ભાજપે હવે કેજરીવાલજીનો બરોડામાં કાર્યક્રમ ન થાય તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે. વધુ એક ટ્વિટ કરી તેમણે લખ્યું કે ટીવી મીડિયા વાળા તો સારા  છે  પરંતુ ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે એમણે સંપૂર્ણ મીડિયા પર કબ્જો કરી દબાવ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ  

અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીની ટ્વિટ પર રિપ્લાય આપતા કહ્યું કે વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમ કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.