TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, Yuvrajsinhની આગેવાની હેઠળ દાંડીથી શરૂ થઈ યુવા અધિકાર યાત્રા!


  • Published By :
  • Published Date : 2023-10-13 11:27:02

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે સરકાર સુધી તેમણે પોતાની વાતને પહોંચાડાવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આજે બે જગ્યાઓ પર રેલી નિકળવાની છે. એક યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા રેલી પ્રતિક ધરણા કરવામાં આવશે. 

 


આપ તેમજ કોંગ્રેસ પક્ષ આવ્યું ઉમેદવારોના સમર્થનમાં 

જ્ઞાન સહાયક રદ્દ કરાવા માટે યુવરાજસિંહની આગેવાનીમાં દાંડીથી ઉમેદવરો યાત્રા શરૂ કરવાના છે. દાંડીથી શરૂ થયેલી યાત્રા અમદાવાદ ખાતે આવીને સમાપ્ત થશે. આજથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ધરણા કરવામાં આવશે. વ્યારા ખાતે રેલી પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉમેદવારો હાજર હતા ઉપરાંત યુવરાજસિંહ પણ હાજર હતા.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.