TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, Yuvrajsinhની આગેવાની હેઠળ દાંડીથી શરૂ થઈ યુવા અધિકાર યાત્રા!


  • Published By :
  • Published Date : 2023-10-13 11:27:02

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે સરકાર સુધી તેમણે પોતાની વાતને પહોંચાડાવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આજે બે જગ્યાઓ પર રેલી નિકળવાની છે. એક યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા રેલી પ્રતિક ધરણા કરવામાં આવશે. 

 


આપ તેમજ કોંગ્રેસ પક્ષ આવ્યું ઉમેદવારોના સમર્થનમાં 

જ્ઞાન સહાયક રદ્દ કરાવા માટે યુવરાજસિંહની આગેવાનીમાં દાંડીથી ઉમેદવરો યાત્રા શરૂ કરવાના છે. દાંડીથી શરૂ થયેલી યાત્રા અમદાવાદ ખાતે આવીને સમાપ્ત થશે. આજથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ધરણા કરવામાં આવશે. વ્યારા ખાતે રેલી પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉમેદવારો હાજર હતા ઉપરાંત યુવરાજસિંહ પણ હાજર હતા.   



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.