TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, Yuvrajsinhની આગેવાની હેઠળ દાંડીથી શરૂ થઈ યુવા અધિકાર યાત્રા!


  • Published By :
  • Published Date : 2023-10-13 11:27:02

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે સરકાર સુધી તેમણે પોતાની વાતને પહોંચાડાવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આજે બે જગ્યાઓ પર રેલી નિકળવાની છે. એક યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા રેલી પ્રતિક ધરણા કરવામાં આવશે. 

 


આપ તેમજ કોંગ્રેસ પક્ષ આવ્યું ઉમેદવારોના સમર્થનમાં 

જ્ઞાન સહાયક રદ્દ કરાવા માટે યુવરાજસિંહની આગેવાનીમાં દાંડીથી ઉમેદવરો યાત્રા શરૂ કરવાના છે. દાંડીથી શરૂ થયેલી યાત્રા અમદાવાદ ખાતે આવીને સમાપ્ત થશે. આજથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ધરણા કરવામાં આવશે. વ્યારા ખાતે રેલી પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉમેદવારો હાજર હતા ઉપરાંત યુવરાજસિંહ પણ હાજર હતા.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.