પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2023-01-30 16:31:21

ગુજરાતમાં અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું જે બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીકકાંડ બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યું હતું. જ્યારે આ મુદ્દા પર ભાજપના નેતા મૌન સાધી રહ્યા છે. સુરતમાં અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં આ મુદ્દાને લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

  

અલ્પેશ કથિરિયાએ કલેક્ટરને આપ્યું આવેદન  

આમ આદમી પાર્ટી સતત એક્શન મોડમાં દેખાઈ રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં આપના કાર્યકર્તાઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કમિટીની રચના કરવામાં આવે તેવી માગ કરી હતી ઉપરાંત આરોપીઓને ફાંસી આપવામાં આવે. તે સિવાય અમદાવાદ, જામનગર, મહેસાણામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


કોંગ્રેસે આ મુદ્દે કરી હતી પ્રેસ કોન્ફરન્સ  

પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22માં પાડો જણ્યો છે. 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન રામને લખ્યો પત્ર 

તે સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પેપર લીક કાંડ મામલનાને ધ્યાનમાં રાખી પ્રતાપ દૂધાતે ભગવાન શ્રીરામને પત્ર લખ્યો છે. પત્ર લખી ભગવાનને કહ્યું કે હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.