પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2023-01-30 16:31:21

ગુજરાતમાં અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું જે બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીકકાંડ બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યું હતું. જ્યારે આ મુદ્દા પર ભાજપના નેતા મૌન સાધી રહ્યા છે. સુરતમાં અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં આ મુદ્દાને લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

  

અલ્પેશ કથિરિયાએ કલેક્ટરને આપ્યું આવેદન  

આમ આદમી પાર્ટી સતત એક્શન મોડમાં દેખાઈ રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં આપના કાર્યકર્તાઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કમિટીની રચના કરવામાં આવે તેવી માગ કરી હતી ઉપરાંત આરોપીઓને ફાંસી આપવામાં આવે. તે સિવાય અમદાવાદ, જામનગર, મહેસાણામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


કોંગ્રેસે આ મુદ્દે કરી હતી પ્રેસ કોન્ફરન્સ  

પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22માં પાડો જણ્યો છે. 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન રામને લખ્યો પત્ર 

તે સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પેપર લીક કાંડ મામલનાને ધ્યાનમાં રાખી પ્રતાપ દૂધાતે ભગવાન શ્રીરામને પત્ર લખ્યો છે. પત્ર લખી ભગવાનને કહ્યું કે હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.