પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2023-01-30 16:31:21

ગુજરાતમાં અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું જે બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીકકાંડ બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યું હતું. જ્યારે આ મુદ્દા પર ભાજપના નેતા મૌન સાધી રહ્યા છે. સુરતમાં અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં આ મુદ્દાને લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

  

અલ્પેશ કથિરિયાએ કલેક્ટરને આપ્યું આવેદન  

આમ આદમી પાર્ટી સતત એક્શન મોડમાં દેખાઈ રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં આપના કાર્યકર્તાઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કમિટીની રચના કરવામાં આવે તેવી માગ કરી હતી ઉપરાંત આરોપીઓને ફાંસી આપવામાં આવે. તે સિવાય અમદાવાદ, જામનગર, મહેસાણામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


કોંગ્રેસે આ મુદ્દે કરી હતી પ્રેસ કોન્ફરન્સ  

પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22માં પાડો જણ્યો છે. 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન રામને લખ્યો પત્ર 

તે સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પેપર લીક કાંડ મામલનાને ધ્યાનમાં રાખી પ્રતાપ દૂધાતે ભગવાન શ્રીરામને પત્ર લખ્યો છે. પત્ર લખી ભગવાનને કહ્યું કે હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.