મોરબીમાં બનેલી હોનારતને લઈ ભાજપ પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-31 12:43:45

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. જેમાં સત્તા પક્ષ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે દુર્ઘટનાને લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

   

અરવિંદ કેજરીવાલે કાર્યક્રમો કર્યા રદ્દ  

આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે મૃતકો અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા આમ આદમી પાર્ટી આજે કોઈ રાજકીય કાર્યક્રમ નહીં કરે. તેમજ અરવિંદ કેજરીવાલે પણ પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. વધુમાં તેમણે કહ્યું કે મોરબીમાં પુલ તુટવાની જે ઘટના બની છે એમાં મૃતકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.

  

ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે આ મુદ્દા પર રાજનીતિ કરવાની ના પાડી છે. આપે કહ્યું કે અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા પરંતુ માસુમ બાળકોએ પોતાના માં-બાપ ખોયા છે. તો કોઈએ પોતાના બાળકોને ખોયા છે.       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.