મોરબીમાં બનેલી હોનારતને લઈ ભાજપ પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-31 12:43:45

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. જેમાં સત્તા પક્ષ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે દુર્ઘટનાને લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

   

અરવિંદ કેજરીવાલે કાર્યક્રમો કર્યા રદ્દ  

આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે મૃતકો અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા આમ આદમી પાર્ટી આજે કોઈ રાજકીય કાર્યક્રમ નહીં કરે. તેમજ અરવિંદ કેજરીવાલે પણ પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. વધુમાં તેમણે કહ્યું કે મોરબીમાં પુલ તુટવાની જે ઘટના બની છે એમાં મૃતકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.

  

ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે આ મુદ્દા પર રાજનીતિ કરવાની ના પાડી છે. આપે કહ્યું કે અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા પરંતુ માસુમ બાળકોએ પોતાના માં-બાપ ખોયા છે. તો કોઈએ પોતાના બાળકોને ખોયા છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.