મોરબીમાં બનેલી હોનારતને લઈ ભાજપ પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 12:43:45

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. જેમાં સત્તા પક્ષ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે દુર્ઘટનાને લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

   

અરવિંદ કેજરીવાલે કાર્યક્રમો કર્યા રદ્દ  

આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે મૃતકો અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા આમ આદમી પાર્ટી આજે કોઈ રાજકીય કાર્યક્રમ નહીં કરે. તેમજ અરવિંદ કેજરીવાલે પણ પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. વધુમાં તેમણે કહ્યું કે મોરબીમાં પુલ તુટવાની જે ઘટના બની છે એમાં મૃતકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.

  

ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે આ મુદ્દા પર રાજનીતિ કરવાની ના પાડી છે. આપે કહ્યું કે અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા પરંતુ માસુમ બાળકોએ પોતાના માં-બાપ ખોયા છે. તો કોઈએ પોતાના બાળકોને ખોયા છે.       



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.