આમ આદમી પાર્ટીએ નામ જાહેર કર્યા બાદ બદલ્યા ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-10 17:22:14

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 14 વખત ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે ત્યારે ઉમેદવારોના નામમાં પાર્ટીએ ફેરફાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ એક ઉમેદવાર બદલ્યા છે. ખંભાત બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પહેલા ભરતસિંહ ચાવડાને જાહેર કર્યા હતા પરંતુ એકાએક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામને બદલી નાખ્યા છે.

Image

ઉમેદવારોના નામ કરાયા બદલી  

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. એક મોકો કેજરીવાલની થીમ પર આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી હતી. 14મું લિસ્ટ જાહેર કરી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. નામો જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની બદલી કરી નાખી છે. ખંભાત બેઠક પરથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ હવે તેમની જગ્યાએ અરૂણ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ અગાઉ દહેગામથી યુવરાજસિંહ લડવાના હતા પરંતુ હવે તેમના સ્થાને સુહાગ પંચાલને ટિકિટ આપવામાં આવી છે.           




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.