આમ આદમી પાર્ટીએ નામ જાહેર કર્યા બાદ બદલ્યા ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-10 17:22:14

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 14 વખત ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે ત્યારે ઉમેદવારોના નામમાં પાર્ટીએ ફેરફાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ એક ઉમેદવાર બદલ્યા છે. ખંભાત બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પહેલા ભરતસિંહ ચાવડાને જાહેર કર્યા હતા પરંતુ એકાએક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામને બદલી નાખ્યા છે.

Image

ઉમેદવારોના નામ કરાયા બદલી  

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. એક મોકો કેજરીવાલની થીમ પર આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી હતી. 14મું લિસ્ટ જાહેર કરી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. નામો જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની બદલી કરી નાખી છે. ખંભાત બેઠક પરથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ હવે તેમની જગ્યાએ અરૂણ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ અગાઉ દહેગામથી યુવરાજસિંહ લડવાના હતા પરંતુ હવે તેમના સ્થાને સુહાગ પંચાલને ટિકિટ આપવામાં આવી છે.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.