આમ આદમી પાર્ટીએ નામ જાહેર કર્યા બાદ બદલ્યા ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-10 17:22:14

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 14 વખત ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે ત્યારે ઉમેદવારોના નામમાં પાર્ટીએ ફેરફાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ એક ઉમેદવાર બદલ્યા છે. ખંભાત બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પહેલા ભરતસિંહ ચાવડાને જાહેર કર્યા હતા પરંતુ એકાએક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામને બદલી નાખ્યા છે.

Image

ઉમેદવારોના નામ કરાયા બદલી  

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. એક મોકો કેજરીવાલની થીમ પર આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી હતી. 14મું લિસ્ટ જાહેર કરી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. નામો જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની બદલી કરી નાખી છે. ખંભાત બેઠક પરથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ હવે તેમની જગ્યાએ અરૂણ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ અગાઉ દહેગામથી યુવરાજસિંહ લડવાના હતા પરંતુ હવે તેમના સ્થાને સુહાગ પંચાલને ટિકિટ આપવામાં આવી છે.           




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.