આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યા, જાણો કોણ છે ઈસુદાન ગઢવી? અતથી ઇતિ સુધી...


  • Published By :
  • Published Date : 2022-11-04 16:36:42

ગુજરાતના પત્રકારોનો એક જાણીતો ચહેરો અચાનક "ટાઈગર અભી ઝીંદા હૈ"ની પોસ્ટ કરીને પત્રકારત્વના પોતાના ઉંચા હોદ્દા પરથી રાજીનામું આપી દે છે અને ગુજરાતને આશ્ચર્યમાં મૂકી દે છે… આ પત્રકાર એટલે ઈસુદાન ગઢવી, જાણો ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવીની પત્રકારથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના પદના સંભવિત ઉમેદવાર તરીકેની સફર…. 


વર્ષ 2003ના સમયની વાત છે જ્યારે ઈસુદાન ભણતા હતા ત્યારે એક પત્રકાર ત્યાં કોલેજમાં આવે છે અને કોલેજની સમસ્યાઓ વિશે સવાલો ઉઠાવે છે. એક યુવાન પત્રકારની સવાલ પૂછવાની ક્ષમતા જોઈને પ્રભાવિત થાય છે અને ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વમાં જોડાઈ જાય છે. આ યુવાન એટલે ઈસુદાન ગઢવી.


ઈસુદાન ગઢવીનો પરિવાર અને અભ્યાસ

જામખંભાળિયાના પીપળિયા ગામમાં 10 જાન્યુારી 1982ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતા. ઈસુદાન ગઢવી હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. તેમનો પરિવાર પીપળિયામાં સંયુક્ત રીતે રહે છે. એક નાના ગામથી અમદાવાદમાં પત્રકારત્વ ભણવા આવેલા ઈસુદાન ગઢવી માટે આ દુનિયા નવી હતી. તેઓ વર્ષ 2005માં  ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ કરે છે અને ત્યાર બાદ વર્ષ 2007માં પોરબંદરમાં સ્ટ્રીંગર તરીકે જોડાય છે. સ્ટ્રિંગર એટલે કોઈ પણ સમાચારની સંસ્થા સાથે જોડાયેલો એવો વ્યક્તિ જેને સમાચાર સંસ્થાને ન્યૂઝ રિપોર્ટ આપવાના હોય છે. ન્યૂઝ રિપોર્ટ મુજબ તેમને પગાર મળતો હોય છે.

 

મહામંથન ઈસુદાન ગઢવીના જીવનનો મોટો વળાંક

ત્યારબાદથી તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાતા ગયા. એક ખાનગી ચેનલમાં રહી તેઓએ દક્ષિણ ગુજરાતના જંગલોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારોને સરકાર સમક્ષ લાવે છે અને ગુજરાત સરકારને સફાળું જાગવું પડે છે. ત્યારબાદથી તેઓ અનેક ચેનલ સાથે જોડાયા પરંતુ તેમના પત્રકારત્વ જીવનમાં વળાંક આવે છે જ્યારે તેઓ વર્ષ 2016માં રિપોર્ટરથી બદલીને એન્કર તરીકેની ભૂમિકામાં આવે છે. પ્રાઈમ ટાઈમની અંદર તેઓ મહામંથન કરીને કાર્યક્રમમાં એન્કર તરીકે શો ચલાવે છે અને આ શો ગુજરાતભરમાં હિટ રહે છે. આ શોની અંદર તેઓ ખેડૂતો અને ગુજરાતના ગામડાઓના પ્રશ્નોને ઉઠાવે છે. આથી ગુજરાતમાં તેમની લોકપ્રિયતા વધે છે.  


“ટાઈગર અભી ઝીંદા હૈ”ની પોસ્ટ

વર્ષ 2021માં 16 વર્ષની પત્રકારિતા બાદ તેઓ પોતાની કારકિર્દીના એક ઉંચા સ્થાનેથી રાજીનામું આપે છે. પત્રકારત્વ છોડવાની જ્યારે તેમણે વાત રજૂ કરી હતી ત્યારે ગુજરાતની અંદર માત્ર ઈસુદાન ગઢવીનું નામ જ સંભળાતું હતું. લોકોને સમાચારની અંદર શું આવે છે તેની જગ્યાએ ઈસુદાન હવે શું કરેશે તે જાણવાની ઈચ્છા વધારે હોય તેવો માહોલ હતો. લોકો વધારે ત્યારે ચોંકી જાય છે જ્યારે તેઓ ‘ટાઈગર અભી ઝીંદા હૈ’ લખીને એક પોસ્ટ કરે છે. 14 જૂન 2021માં તેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જાય છે. 


આ કારણથી ઈસુદાન રાજકારણમાં જોડાયા 

ઈસુદાન ગઢવી જ્યારે આપમાં જોડાય છે ત્યારે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિવેદન આપે છે કે ગુજરાતના કેજરીવાલ ઈસુદાન ગઢવી છે. આ નિવેદન તે સમયનું બહું મોટું નિવેદન હતું કારણ કે અરવિંદ કેજરીવાલના નિવેદનથી લોકોને એવું લાગ્યું હતું કે અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે ઈસુદાન ગઢવીને અમેં મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરીશું. આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળ ઈસુદાન ગઢવીનો મત એવો હતો કે રાજકારણને બદલવા માટે રાજકારણની અંદર ઘૂસવું પડતું હોય છે. ખેડૂતોના પ્રશ્નો હોય કે રોડ, હોસ્પિટલ, સ્કૂલના મુદ્દાઓ વિશે લડવા માટે તેમને રાજકારણની બહાર રહીને કંઈ નહીં થઈ શકે, માટે તેઓ રાજકારણમાં જોડાયા હતા. 


વિવાદોમાં ઈસુદાન 

ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા તેના બાદ પેપર ફૂટવાના બનાવો બન્યા હતા. આ ઘટનાને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યાલયમાં ઘૂસી ગયા હતા. ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા સાથે લડાઈ કરી હતી. ભાજપના મહિલા નેતાએ ઈસુદાન ગઢવી પર આક્ષેપ કર્યા હતા કે ઈસુદાન ગઢવી દારૂ પીને આવ્યા હતા. ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી હતી કે મેં મારા જીવનમાં હજુ સુધી દારૂ નથી પીધો.



આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતપુત્ર અને પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને પોતાના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે. 





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.