Aam Aadmi Party : Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Umesh Makvana માટે ભગવંત માન આવશે ગુજરાત, આ તારીખો દરમિયાન કરશે પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-04-15 15:57:27

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને સંબોધી રહ્યો છે અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાત લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે આપના બંને નેતાઓના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 



ભગવંત માન આવશે ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. પ્રચારના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઉમેદવાર એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ઉમેદવારો એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી પર પણ નિશાન સાધવામાં આવે છે. આ બઘા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે બે ઉમેદવારોના પ્રચાર માટે. મળતી માહિતી અનુસાર 16 અને 17 એપ્રિલે ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવવાના છે.



ઉમેશ મકવાણા તેમજ ચૈતર વસાવા માટે કરશે પ્રચાર 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે. ભાવનગરના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે તો ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હવે પ્રચાર માટે ભગવંત માન ગુજરાત આવવાના છે. 16 એપ્રિલે ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે પ્રચાર કરશે અને 17 એપ્રિલે ચૈતર વસાવા માટે પ્રચાર કરશે....       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે