Aam Aadmi Party : Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Umesh Makvana માટે ભગવંત માન આવશે ગુજરાત, આ તારીખો દરમિયાન કરશે પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-04-15 15:57:27

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને સંબોધી રહ્યો છે અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાત લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે આપના બંને નેતાઓના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 



ભગવંત માન આવશે ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. પ્રચારના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઉમેદવાર એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ઉમેદવારો એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી પર પણ નિશાન સાધવામાં આવે છે. આ બઘા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે બે ઉમેદવારોના પ્રચાર માટે. મળતી માહિતી અનુસાર 16 અને 17 એપ્રિલે ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવવાના છે.



ઉમેશ મકવાણા તેમજ ચૈતર વસાવા માટે કરશે પ્રચાર 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે. ભાવનગરના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે તો ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હવે પ્રચાર માટે ભગવંત માન ગુજરાત આવવાના છે. 16 એપ્રિલે ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે પ્રચાર કરશે અને 17 એપ્રિલે ચૈતર વસાવા માટે પ્રચાર કરશે....       



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.