આમ આદમી પાર્ટીમાં પડી શકે છે ભંગાણ!!! વિસાવદરથી વિજેતા બનેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે


  • Published By :
  • Published Date : 2022-12-11 14:47:23

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી હોવા છતાં ભાજપે 156 સીટો પર કબજો મેળવી લીધો છે. કોંગ્રેસે 17 સીટો મેળવી છે જ્યારે આપે 5 સીટો મેળવી છે. ત્યારે મળતી માહિતી મુજબ વિસાવાદરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે.   

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar


ભાજપના ઉમેદવારને હરાવી મેળવી હતી જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો મેળવી છે. ગાંધીનગર ખાતે આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ સમારોહમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવવાના છે. ત્યારે આમ આદમી પાર્ટીને એક બહુ મોટો ઝાટકો લાગ્યો છે. વિસાવદરથી વિજયી થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે. બે વર્ષ પહેલા જ ભાજપનો છેડો ફાળી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ એવા અહેવાલ મળી રહ્યા છે કે તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ઘરવાપસી કરી શકે છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબરીયાને હરાવ્યા હતા. આ અંગે જ્યારે ભૂપત ભાયાણી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું કે આ વાતો માત્ર અફવા છે. આ અંગે તેમણે નિર્ણય નથી લીધો. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.