આમ આદમી પાર્ટીમાં પડી શકે છે ભંગાણ!!! વિસાવદરથી વિજેતા બનેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે


  • Published By :
  • Published Date : 2022-12-11 14:47:23

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી હોવા છતાં ભાજપે 156 સીટો પર કબજો મેળવી લીધો છે. કોંગ્રેસે 17 સીટો મેળવી છે જ્યારે આપે 5 સીટો મેળવી છે. ત્યારે મળતી માહિતી મુજબ વિસાવાદરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે.   

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar


ભાજપના ઉમેદવારને હરાવી મેળવી હતી જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો મેળવી છે. ગાંધીનગર ખાતે આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ સમારોહમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવવાના છે. ત્યારે આમ આદમી પાર્ટીને એક બહુ મોટો ઝાટકો લાગ્યો છે. વિસાવદરથી વિજયી થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે. બે વર્ષ પહેલા જ ભાજપનો છેડો ફાળી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ એવા અહેવાલ મળી રહ્યા છે કે તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ઘરવાપસી કરી શકે છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબરીયાને હરાવ્યા હતા. આ અંગે જ્યારે ભૂપત ભાયાણી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું કે આ વાતો માત્ર અફવા છે. આ અંગે તેમણે નિર્ણય નથી લીધો. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.