બીજા તબક્કાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-01 16:35:18

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું હતું. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો  માટે મતદાન યોજાયું હતું. ત્યારે બીજી સીટો માટેનું મતદાન થાય તે પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ હરભજન સિંહ જોડાયા હતા.

  

અરવિંદ કેજરીવાલ,ભગવંત માન, સાથે જોવા મળ્યા હરભજનસિંહ

સરસપુર ખાતેના રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ફી વીજળી બિલની વાત કરી હતી. ફ્રી વીજળીના મુદ્દા સહિત અનેક બીજા મુદ્દાઓને ઉઠાવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને સંબોધન કરતી વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આ રોડ શો દરમિયાન પણ તેમણે ગુજરાતીમાં સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલની સાથે રાઘવ ચઠ્ઠા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.

 

ભગવાને લોકો સક્ષમ વિકલ્પ મોક્લ્યો છે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. અત્યાર સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ વખતે ભગવાને સક્ષમ વિકલ્પ મોકલ્યો છે.  ઉપરવાળાએ પોતાનું ઝાડું ચલાવ્યું છે. ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યા પણ જાય છે ત્યારે એક જ નારો સંભળાય છે કે કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે. 


દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે 

હરભજન સિંહે કહ્યું કે ગુજરાતને શું જોઈએ. પરિવર્તન. આમ આદમી પાર્ટી નિશુલ્ક વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે ત્યારે ગુજરાતની જનતા કોને જીતાડે છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.