બીજા તબક્કાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-01 16:35:18

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું હતું. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો  માટે મતદાન યોજાયું હતું. ત્યારે બીજી સીટો માટેનું મતદાન થાય તે પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ હરભજન સિંહ જોડાયા હતા.

  

અરવિંદ કેજરીવાલ,ભગવંત માન, સાથે જોવા મળ્યા હરભજનસિંહ

સરસપુર ખાતેના રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ફી વીજળી બિલની વાત કરી હતી. ફ્રી વીજળીના મુદ્દા સહિત અનેક બીજા મુદ્દાઓને ઉઠાવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને સંબોધન કરતી વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આ રોડ શો દરમિયાન પણ તેમણે ગુજરાતીમાં સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલની સાથે રાઘવ ચઠ્ઠા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.

 

ભગવાને લોકો સક્ષમ વિકલ્પ મોક્લ્યો છે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. અત્યાર સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ વખતે ભગવાને સક્ષમ વિકલ્પ મોકલ્યો છે.  ઉપરવાળાએ પોતાનું ઝાડું ચલાવ્યું છે. ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યા પણ જાય છે ત્યારે એક જ નારો સંભળાય છે કે કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે. 


દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે 

હરભજન સિંહે કહ્યું કે ગુજરાતને શું જોઈએ. પરિવર્તન. આમ આદમી પાર્ટી નિશુલ્ક વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે ત્યારે ગુજરાતની જનતા કોને જીતાડે છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.