વિડીયો શેર કરી આમ આદમી પાર્ટીએ લખ્યું 'ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी', શું તમે જોયો આ વિડીયો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-12 17:48:33

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજ નવા-નવા વિડીયો સામે આવતા રહે છે જેને જોઈ લોકો વિચારવા મજબૂર થઈ જતા હોય છે અથવા તો હસવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે ટ્વિટર પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસ અને ભાજપ પ્રચાર માટે જે ગાડીનો ઉપયોગ કરતી હોય છે તે ગાડીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયોને ટ્વિટ કરી છે.

ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે - આપ

આખું ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. દરેક જગ્યાએ રાજકારણની વાતો જ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આની વાતો જ થાય છે. ત્યારે ચૂંટણી માહોલની વચ્ચે એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જે કોંગ્રેસ અને ભાજપનો છે. આ વિડીયો કોઈ રાજનેતાએ પાર્ટી પર કરેલા આક્ષેપોનો નથી પરંતુ આ વિડીયો છે પ્રચાર માટે ઉપયોગ કરાતા પ્રચાર વાનનો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આ વિડીયોને લઈ આમ આદમી પાર્ટીએ રાજનીતિ કરી છે. વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ગુજરાતમાં ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે. 


આપણે આપણું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે 

આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે દરેક વસ્તુને રાજનીતિની દ્રષ્ટીએ જોઈએ છીએ. આપણે દરેક વસ્તુને પાર્ટી સાથે જોડીને જોઈએ છીએ. આ પ્રચાર ગાડીમાં ભલે કોંગ્રેસ તેમજ ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ છેલ્લે ગાડી ચલાવનાર માણસો છે. કોંગ્રેસની પ્રચાર વાન ચલાવનાર ડ્રાઈવર ભાજપની પ્રચાર વાન ચલાવવનારને મદદ કરી રહ્યો છે. ગાડીના ચાલકને એનાથી કોઈ મતલબ નથી કે આ ગાડી ભાજપની છે કે કોંગ્રેસની છે.  આ જગ્યા પર આપણે માણસાઈને નથી જોઈ રહ્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને જોઈ રહ્યા છે. આપણે આપણા દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'