વિડીયો શેર કરી આમ આદમી પાર્ટીએ લખ્યું 'ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी', શું તમે જોયો આ વિડીયો?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:48:33

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજ નવા-નવા વિડીયો સામે આવતા રહે છે જેને જોઈ લોકો વિચારવા મજબૂર થઈ જતા હોય છે અથવા તો હસવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે ટ્વિટર પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસ અને ભાજપ પ્રચાર માટે જે ગાડીનો ઉપયોગ કરતી હોય છે તે ગાડીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયોને ટ્વિટ કરી છે.

ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે - આપ

આખું ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. દરેક જગ્યાએ રાજકારણની વાતો જ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આની વાતો જ થાય છે. ત્યારે ચૂંટણી માહોલની વચ્ચે એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જે કોંગ્રેસ અને ભાજપનો છે. આ વિડીયો કોઈ રાજનેતાએ પાર્ટી પર કરેલા આક્ષેપોનો નથી પરંતુ આ વિડીયો છે પ્રચાર માટે ઉપયોગ કરાતા પ્રચાર વાનનો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આ વિડીયોને લઈ આમ આદમી પાર્ટીએ રાજનીતિ કરી છે. વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ગુજરાતમાં ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે. 


આપણે આપણું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે 

આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે દરેક વસ્તુને રાજનીતિની દ્રષ્ટીએ જોઈએ છીએ. આપણે દરેક વસ્તુને પાર્ટી સાથે જોડીને જોઈએ છીએ. આ પ્રચાર ગાડીમાં ભલે કોંગ્રેસ તેમજ ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ છેલ્લે ગાડી ચલાવનાર માણસો છે. કોંગ્રેસની પ્રચાર વાન ચલાવનાર ડ્રાઈવર ભાજપની પ્રચાર વાન ચલાવવનારને મદદ કરી રહ્યો છે. ગાડીના ચાલકને એનાથી કોઈ મતલબ નથી કે આ ગાડી ભાજપની છે કે કોંગ્રેસની છે.  આ જગ્યા પર આપણે માણસાઈને નથી જોઈ રહ્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને જોઈ રહ્યા છે. આપણે આપણા દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.