વિડીયો શેર કરી આમ આદમી પાર્ટીએ લખ્યું 'ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी', શું તમે જોયો આ વિડીયો?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:48:33

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજ નવા-નવા વિડીયો સામે આવતા રહે છે જેને જોઈ લોકો વિચારવા મજબૂર થઈ જતા હોય છે અથવા તો હસવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે ટ્વિટર પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસ અને ભાજપ પ્રચાર માટે જે ગાડીનો ઉપયોગ કરતી હોય છે તે ગાડીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયોને ટ્વિટ કરી છે.

ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે - આપ

આખું ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. દરેક જગ્યાએ રાજકારણની વાતો જ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આની વાતો જ થાય છે. ત્યારે ચૂંટણી માહોલની વચ્ચે એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જે કોંગ્રેસ અને ભાજપનો છે. આ વિડીયો કોઈ રાજનેતાએ પાર્ટી પર કરેલા આક્ષેપોનો નથી પરંતુ આ વિડીયો છે પ્રચાર માટે ઉપયોગ કરાતા પ્રચાર વાનનો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આ વિડીયોને લઈ આમ આદમી પાર્ટીએ રાજનીતિ કરી છે. વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ગુજરાતમાં ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે. 


આપણે આપણું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે 

આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે દરેક વસ્તુને રાજનીતિની દ્રષ્ટીએ જોઈએ છીએ. આપણે દરેક વસ્તુને પાર્ટી સાથે જોડીને જોઈએ છીએ. આ પ્રચાર ગાડીમાં ભલે કોંગ્રેસ તેમજ ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ છેલ્લે ગાડી ચલાવનાર માણસો છે. કોંગ્રેસની પ્રચાર વાન ચલાવનાર ડ્રાઈવર ભાજપની પ્રચાર વાન ચલાવવનારને મદદ કરી રહ્યો છે. ગાડીના ચાલકને એનાથી કોઈ મતલબ નથી કે આ ગાડી ભાજપની છે કે કોંગ્રેસની છે.  આ જગ્યા પર આપણે માણસાઈને નથી જોઈ રહ્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને જોઈ રહ્યા છે. આપણે આપણા દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.