આમ આદમી પાર્ટીએ કઈ 50 બેઠકો પર કોંગ્રેસનું ગણિત બગાડ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-10 21:36:17

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસના સૂર્યાસ્ત સમાન લાગી રહ્યો છે. કોંગ્રેસે ગુજરાતમાં ગત 2 દાયકામાં 50થી વધુ સીટ મેળવી છે અને 35 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસે 77 બેઠકો જીતી લીધી હતી. જો કે આ સમયની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થતાં જ 50 સીટની રાજકીય ગણતરી પૂરી રીતે બદલાઈ ગઈ છે. કઈ રીતે બદલાયું છે કેવી રીતે આપની ગુજરાતમાં એન્ટ્રી કોંગ્રેસ માટે શ્રાપ સમાન લાગી રહી છે આવો સમજીએ....


BJPને AAP કેમ ફળી?

કેન્દ્રીય ચૂંટણી પંચના મતગણતરીના ડેટા મુજબા આ 50 સીટ એવી છે જેમાં અનુસૂચિત જનજાતિની સીટ પણ આવી જાય છે, જેમાં સૌરાષ્ટ્રના કોળીના પ્રભુત્વવાળી સીટ પણ આવી જાય છે, અને પાટીદારો વધારે રહેતા હોય તેવી સીટ પણ આવી જાય છે. આ 50 બેઠકો પર ખરા અર્થે ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો હતો જ્યાં મતની વહેંચણી થતાં ભાજપને મોટો ફાયદો થયો હતો. પૂરા આદિવાસી પટ્ટામાં આપ મતની ટકા વહેચણી કરવામાં સફળ રહ્યું હતું. ખેડબ્રહ્મા સીટનું ગણીત સમજીએ તો આપે 55 હજારથી વધુ મત મેળવ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને જીત મળી હતી જો કે કોંગ્રેસને ભાજપના ઉમેદવારથી માત્ર 2 હજાર વધુ મત મળ્યા હતા. જેના કારણે અશ્વિન કોટવાલને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આમ જ આદિવાસી પટ્ટા પર નજર કરીએ તો મધ્યગુજરાતના દાહોદ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કારણે વોટ શેર વધારે જોવા મળ્યો હતો. ભાજપ અને આપના આદિવાસી નેતાઓ તો એવા નિવેદન પણ આપી દીધા હતા કે આપ પાસે કોઈ લીડર નથી છતાં પણ તેમણે આદિવાસી વિસ્તારમાં આટલા વોટ કેમ મેળવ્યા તે અમારા માટે ચિંતનનો વિષય છે. 


સૌરાષ્ટ્ર અને સુરતમાં AAPએ મહેનત બહુ કરી પણ કંઈ મળ્યું નહીં

બીજી બાજુ આપે આદિવાસી વિસ્તારમાં વધારે ધ્યાન નહોતું આપ્યું, તેની સામે સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે ધ્યાન અપાયું હતું. જો કે જે વિસ્તારમાં ધ્યાન અપાયું હતું તે નેતાઓ એટલે કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને ઈસુદાન ગઢવી હારી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં મતની વહેચણી થતાં કોંગ્રેસના નેતાઓ કપરાડા અને નીઝર જેવી સીટ પર હારી ગયા છે, કારણ કે આમ આદમી પાર્ટીને આ વિસ્તારમાં જંગી માત્રામાં મત મળ્યા હતા. જો કે સૌરાષ્ટ્રની કોળી અને પાટીદાર પટ્ટામાં કોંગ્રેસને 54માંથી માત્ર ત્રણ સીટ મળી હતી જો કે આમ આદમી પાર્ટીને ચાર સીટ મળી હતી. 54માંથી કુતિયાણાની 1 સીટ સમાજવાદી પાર્ટી અને બાકીની 46 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. વર્ષ 2017માં કોળી પ્રભુત્વવાળા સુરેન્દ્રનગરમાં પાંચમાંથી ચાર સીટ કોંગ્રેસને મળી હતી જો કે આ વખતે આખા સુરેન્દ્રનગરે ભાજપ બાજુ જોયું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.