આમ આદમી પાર્ટીએ કઈ 50 બેઠકો પર કોંગ્રેસનું ગણિત બગાડ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-10 21:36:17

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસના સૂર્યાસ્ત સમાન લાગી રહ્યો છે. કોંગ્રેસે ગુજરાતમાં ગત 2 દાયકામાં 50થી વધુ સીટ મેળવી છે અને 35 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસે 77 બેઠકો જીતી લીધી હતી. જો કે આ સમયની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થતાં જ 50 સીટની રાજકીય ગણતરી પૂરી રીતે બદલાઈ ગઈ છે. કઈ રીતે બદલાયું છે કેવી રીતે આપની ગુજરાતમાં એન્ટ્રી કોંગ્રેસ માટે શ્રાપ સમાન લાગી રહી છે આવો સમજીએ....


BJPને AAP કેમ ફળી?

કેન્દ્રીય ચૂંટણી પંચના મતગણતરીના ડેટા મુજબા આ 50 સીટ એવી છે જેમાં અનુસૂચિત જનજાતિની સીટ પણ આવી જાય છે, જેમાં સૌરાષ્ટ્રના કોળીના પ્રભુત્વવાળી સીટ પણ આવી જાય છે, અને પાટીદારો વધારે રહેતા હોય તેવી સીટ પણ આવી જાય છે. આ 50 બેઠકો પર ખરા અર્થે ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો હતો જ્યાં મતની વહેંચણી થતાં ભાજપને મોટો ફાયદો થયો હતો. પૂરા આદિવાસી પટ્ટામાં આપ મતની ટકા વહેચણી કરવામાં સફળ રહ્યું હતું. ખેડબ્રહ્મા સીટનું ગણીત સમજીએ તો આપે 55 હજારથી વધુ મત મેળવ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને જીત મળી હતી જો કે કોંગ્રેસને ભાજપના ઉમેદવારથી માત્ર 2 હજાર વધુ મત મળ્યા હતા. જેના કારણે અશ્વિન કોટવાલને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આમ જ આદિવાસી પટ્ટા પર નજર કરીએ તો મધ્યગુજરાતના દાહોદ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કારણે વોટ શેર વધારે જોવા મળ્યો હતો. ભાજપ અને આપના આદિવાસી નેતાઓ તો એવા નિવેદન પણ આપી દીધા હતા કે આપ પાસે કોઈ લીડર નથી છતાં પણ તેમણે આદિવાસી વિસ્તારમાં આટલા વોટ કેમ મેળવ્યા તે અમારા માટે ચિંતનનો વિષય છે. 


સૌરાષ્ટ્ર અને સુરતમાં AAPએ મહેનત બહુ કરી પણ કંઈ મળ્યું નહીં

બીજી બાજુ આપે આદિવાસી વિસ્તારમાં વધારે ધ્યાન નહોતું આપ્યું, તેની સામે સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે ધ્યાન અપાયું હતું. જો કે જે વિસ્તારમાં ધ્યાન અપાયું હતું તે નેતાઓ એટલે કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને ઈસુદાન ગઢવી હારી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં મતની વહેચણી થતાં કોંગ્રેસના નેતાઓ કપરાડા અને નીઝર જેવી સીટ પર હારી ગયા છે, કારણ કે આમ આદમી પાર્ટીને આ વિસ્તારમાં જંગી માત્રામાં મત મળ્યા હતા. જો કે સૌરાષ્ટ્રની કોળી અને પાટીદાર પટ્ટામાં કોંગ્રેસને 54માંથી માત્ર ત્રણ સીટ મળી હતી જો કે આમ આદમી પાર્ટીને ચાર સીટ મળી હતી. 54માંથી કુતિયાણાની 1 સીટ સમાજવાદી પાર્ટી અને બાકીની 46 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. વર્ષ 2017માં કોળી પ્રભુત્વવાળા સુરેન્દ્રનગરમાં પાંચમાંથી ચાર સીટ કોંગ્રેસને મળી હતી જો કે આ વખતે આખા સુરેન્દ્રનગરે ભાજપ બાજુ જોયું છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.