આમ આદમી પાર્ટીએ કઈ 50 બેઠકો પર કોંગ્રેસનું ગણિત બગાડ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-10 21:36:17

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસના સૂર્યાસ્ત સમાન લાગી રહ્યો છે. કોંગ્રેસે ગુજરાતમાં ગત 2 દાયકામાં 50થી વધુ સીટ મેળવી છે અને 35 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસે 77 બેઠકો જીતી લીધી હતી. જો કે આ સમયની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થતાં જ 50 સીટની રાજકીય ગણતરી પૂરી રીતે બદલાઈ ગઈ છે. કઈ રીતે બદલાયું છે કેવી રીતે આપની ગુજરાતમાં એન્ટ્રી કોંગ્રેસ માટે શ્રાપ સમાન લાગી રહી છે આવો સમજીએ....


BJPને AAP કેમ ફળી?

કેન્દ્રીય ચૂંટણી પંચના મતગણતરીના ડેટા મુજબા આ 50 સીટ એવી છે જેમાં અનુસૂચિત જનજાતિની સીટ પણ આવી જાય છે, જેમાં સૌરાષ્ટ્રના કોળીના પ્રભુત્વવાળી સીટ પણ આવી જાય છે, અને પાટીદારો વધારે રહેતા હોય તેવી સીટ પણ આવી જાય છે. આ 50 બેઠકો પર ખરા અર્થે ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો હતો જ્યાં મતની વહેંચણી થતાં ભાજપને મોટો ફાયદો થયો હતો. પૂરા આદિવાસી પટ્ટામાં આપ મતની ટકા વહેચણી કરવામાં સફળ રહ્યું હતું. ખેડબ્રહ્મા સીટનું ગણીત સમજીએ તો આપે 55 હજારથી વધુ મત મેળવ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને જીત મળી હતી જો કે કોંગ્રેસને ભાજપના ઉમેદવારથી માત્ર 2 હજાર વધુ મત મળ્યા હતા. જેના કારણે અશ્વિન કોટવાલને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આમ જ આદિવાસી પટ્ટા પર નજર કરીએ તો મધ્યગુજરાતના દાહોદ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કારણે વોટ શેર વધારે જોવા મળ્યો હતો. ભાજપ અને આપના આદિવાસી નેતાઓ તો એવા નિવેદન પણ આપી દીધા હતા કે આપ પાસે કોઈ લીડર નથી છતાં પણ તેમણે આદિવાસી વિસ્તારમાં આટલા વોટ કેમ મેળવ્યા તે અમારા માટે ચિંતનનો વિષય છે. 


સૌરાષ્ટ્ર અને સુરતમાં AAPએ મહેનત બહુ કરી પણ કંઈ મળ્યું નહીં

બીજી બાજુ આપે આદિવાસી વિસ્તારમાં વધારે ધ્યાન નહોતું આપ્યું, તેની સામે સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે ધ્યાન અપાયું હતું. જો કે જે વિસ્તારમાં ધ્યાન અપાયું હતું તે નેતાઓ એટલે કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને ઈસુદાન ગઢવી હારી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં મતની વહેચણી થતાં કોંગ્રેસના નેતાઓ કપરાડા અને નીઝર જેવી સીટ પર હારી ગયા છે, કારણ કે આમ આદમી પાર્ટીને આ વિસ્તારમાં જંગી માત્રામાં મત મળ્યા હતા. જો કે સૌરાષ્ટ્રની કોળી અને પાટીદાર પટ્ટામાં કોંગ્રેસને 54માંથી માત્ર ત્રણ સીટ મળી હતી જો કે આમ આદમી પાર્ટીને ચાર સીટ મળી હતી. 54માંથી કુતિયાણાની 1 સીટ સમાજવાદી પાર્ટી અને બાકીની 46 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. વર્ષ 2017માં કોળી પ્રભુત્વવાળા સુરેન્દ્રનગરમાં પાંચમાંથી ચાર સીટ કોંગ્રેસને મળી હતી જો કે આ વખતે આખા સુરેન્દ્રનગરે ભાજપ બાજુ જોયું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.