આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની 11મી યાદી જાહેર કરશે


  • Published By :
  • Published Date : 2022-11-07 10:08:20

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપની સાથે આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ માટે વિચારણા કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી ઉમેદવારોનું 11મું લિસ્ટ આજે જાહેર કરવાની છે.

AAP receives official notification of recognition as State Party in Goa. |  Goemkarponn - Goa News

પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરશે 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં ઘણી મહેનત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામ જાહેર કરશે. 

બફાટ/ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી, શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવતા  દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ - GSTV

ગોપાલ તેમજ અલ્પેશના નામ હોઈ શકે છે આ યાદીમાં 

ઈસુદાન ગઢવીની પસંદગી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. 10 વખત આપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં યુવરાજસિંહ, મહિપતસિંહ સહિત અનેક નેતા કર્યાથી ચૂંટણી લડશે તે બતાવવામાં આવ્યું છે પરંતુ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત અનેક નામી ચહેરા ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આ યાદીમાં ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાના નામ હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.         



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.