આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની 11મી યાદી જાહેર કરશે


  • Published By :
  • Published Date : 2022-11-07 10:08:20

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપની સાથે આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ માટે વિચારણા કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી ઉમેદવારોનું 11મું લિસ્ટ આજે જાહેર કરવાની છે.

AAP receives official notification of recognition as State Party in Goa. |  Goemkarponn - Goa News

પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરશે 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં ઘણી મહેનત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામ જાહેર કરશે. 

બફાટ/ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી, શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવતા  દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ - GSTV

ગોપાલ તેમજ અલ્પેશના નામ હોઈ શકે છે આ યાદીમાં 

ઈસુદાન ગઢવીની પસંદગી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. 10 વખત આપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં યુવરાજસિંહ, મહિપતસિંહ સહિત અનેક નેતા કર્યાથી ચૂંટણી લડશે તે બતાવવામાં આવ્યું છે પરંતુ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત અનેક નામી ચહેરા ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આ યાદીમાં ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાના નામ હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.         



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"