આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની 11મી યાદી જાહેર કરશે


  • Published By :
  • Published Date : 2022-11-07 10:08:20

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપની સાથે આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ માટે વિચારણા કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી ઉમેદવારોનું 11મું લિસ્ટ આજે જાહેર કરવાની છે.

AAP receives official notification of recognition as State Party in Goa. |  Goemkarponn - Goa News

પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરશે 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં ઘણી મહેનત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામ જાહેર કરશે. 

બફાટ/ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી, શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવતા  દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ - GSTV

ગોપાલ તેમજ અલ્પેશના નામ હોઈ શકે છે આ યાદીમાં 

ઈસુદાન ગઢવીની પસંદગી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. 10 વખત આપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં યુવરાજસિંહ, મહિપતસિંહ સહિત અનેક નેતા કર્યાથી ચૂંટણી લડશે તે બતાવવામાં આવ્યું છે પરંતુ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત અનેક નામી ચહેરા ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આ યાદીમાં ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાના નામ હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.