આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની 11મી યાદી જાહેર કરશે


  • Published By :
  • Published Date : 2022-11-07 10:08:20

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપની સાથે આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ માટે વિચારણા કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી ઉમેદવારોનું 11મું લિસ્ટ આજે જાહેર કરવાની છે.

AAP receives official notification of recognition as State Party in Goa. |  Goemkarponn - Goa News

પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામની જાહેરાત કરશે 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં ઘણી મહેનત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોના નામ જાહેર કરશે. 

બફાટ/ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી, શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવતા  દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ - GSTV

ગોપાલ તેમજ અલ્પેશના નામ હોઈ શકે છે આ યાદીમાં 

ઈસુદાન ગઢવીની પસંદગી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. 10 વખત આપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં યુવરાજસિંહ, મહિપતસિંહ સહિત અનેક નેતા કર્યાથી ચૂંટણી લડશે તે બતાવવામાં આવ્યું છે પરંતુ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત અનેક નામી ચહેરા ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આ યાદીમાં ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાના નામ હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે