મુખ્યમંત્રીના ચહેરા સાથે આમ આદમી પાર્ટી કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર!!!


  • Published By :
  • Published Date : 2022-10-29 10:20:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં કોઈ કમી નથી છોડી રહી. ઉમેદવારોના નામો પણ આમ આદમી પાર્ટી તબક્કાવાર જાહેર કરી રહી છે ત્યારે એવું માનવામાં  આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. પંજાબની રણનીતિ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની ઘોષણા આપ કરશે. 

Gujarat assembly elections: Arvind Kejriwal to hold town hall meet in  Vadodara today | Mint

ચૂંટણી પહેલા સીએમનો ચહેરો કરશે ફાઈનલ

એક તરફ ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ તબક્કાવાર જાહેર કરી રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. આપ મુખ્યમંત્રીના પદના ચહેરા માટે કેમ્પેઈન ચલાવશે, જેમાં લોકો પાસેથી સૂચના માગવામાં આવશે.પંજાબની જેમ ગુજરાત માટે પણ આપ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામની પસંદગી કરી લેશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.