મુખ્યમંત્રીના ચહેરા સાથે આમ આદમી પાર્ટી કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર!!!


  • Published By :
  • Published Date : 2022-10-29 10:20:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં કોઈ કમી નથી છોડી રહી. ઉમેદવારોના નામો પણ આમ આદમી પાર્ટી તબક્કાવાર જાહેર કરી રહી છે ત્યારે એવું માનવામાં  આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. પંજાબની રણનીતિ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની ઘોષણા આપ કરશે. 

Gujarat assembly elections: Arvind Kejriwal to hold town hall meet in  Vadodara today | Mint

ચૂંટણી પહેલા સીએમનો ચહેરો કરશે ફાઈનલ

એક તરફ ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ તબક્કાવાર જાહેર કરી રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. આપ મુખ્યમંત્રીના પદના ચહેરા માટે કેમ્પેઈન ચલાવશે, જેમાં લોકો પાસેથી સૂચના માગવામાં આવશે.પંજાબની જેમ ગુજરાત માટે પણ આપ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામની પસંદગી કરી લેશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"