મુખ્યમંત્રીના ચહેરા સાથે આમ આદમી પાર્ટી કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર!!!


  • Published By :
  • Published Date : 2022-10-29 10:20:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં કોઈ કમી નથી છોડી રહી. ઉમેદવારોના નામો પણ આમ આદમી પાર્ટી તબક્કાવાર જાહેર કરી રહી છે ત્યારે એવું માનવામાં  આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. પંજાબની રણનીતિ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની ઘોષણા આપ કરશે. 

Gujarat assembly elections: Arvind Kejriwal to hold town hall meet in  Vadodara today | Mint

ચૂંટણી પહેલા સીએમનો ચહેરો કરશે ફાઈનલ

એક તરફ ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ તબક્કાવાર જાહેર કરી રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. આપ મુખ્યમંત્રીના પદના ચહેરા માટે કેમ્પેઈન ચલાવશે, જેમાં લોકો પાસેથી સૂચના માગવામાં આવશે.પંજાબની જેમ ગુજરાત માટે પણ આપ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામની પસંદગી કરી લેશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.