Kalolની Swarnim University માં નકલી ડિગ્રી મળે છે તેવા આક્ષેપો AAPએ કર્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-07 16:10:00

બોગસ ડિગ્રી આપવાના મામલે કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીએ કર્યું છે, જેમાં આવી બોગસ ડિગ્રી વેચીને કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે. આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્સમાં બોગસ ડિગ્રી આપવામાં આવે છે. તે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે

આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન! 

ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલના ઉપપ્રમુખ ભાવેશ શુક્લાએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં બધું નકલી ચાલે છે, નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બહાર આવે છે. ત્યારે ગુજરાતમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે.


સ્વર્ણિમ યુનિવર્સિટીમાં અપાય છે બોગસ ડિગ્રી!

ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં એડમિશન લેવાનું રહેશે, કોલેજ આવવાનું રહેશે નહિ, માત્ર પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં પણ સેટિંગ ચાલે છે કે પહેલાથી જ પેપર આપી દેવામાં આવે છે. આ બધું પહેલા ચાલતું હતું. એક અધિકારી આવ્યા ત્યારે હાજરી માગી અને પછી થોડા સમય બંધ કરી દીધું હતું. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.