Kalolની Swarnim University માં નકલી ડિગ્રી મળે છે તેવા આક્ષેપો AAPએ કર્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-07 16:10:00

બોગસ ડિગ્રી આપવાના મામલે કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીએ કર્યું છે, જેમાં આવી બોગસ ડિગ્રી વેચીને કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે. આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્સમાં બોગસ ડિગ્રી આપવામાં આવે છે. તે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે

આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન! 

ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલના ઉપપ્રમુખ ભાવેશ શુક્લાએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં બધું નકલી ચાલે છે, નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બહાર આવે છે. ત્યારે ગુજરાતમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે.


સ્વર્ણિમ યુનિવર્સિટીમાં અપાય છે બોગસ ડિગ્રી!

ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં એડમિશન લેવાનું રહેશે, કોલેજ આવવાનું રહેશે નહિ, માત્ર પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં પણ સેટિંગ ચાલે છે કે પહેલાથી જ પેપર આપી દેવામાં આવે છે. આ બધું પહેલા ચાલતું હતું. એક અધિકારી આવ્યા ત્યારે હાજરી માગી અને પછી થોડા સમય બંધ કરી દીધું હતું. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.