Kalolની Swarnim University માં નકલી ડિગ્રી મળે છે તેવા આક્ષેપો AAPએ કર્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-07 16:10:00

બોગસ ડિગ્રી આપવાના મામલે કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીએ કર્યું છે, જેમાં આવી બોગસ ડિગ્રી વેચીને કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે. આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્સમાં બોગસ ડિગ્રી આપવામાં આવે છે. તે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે

આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન! 

ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલના ઉપપ્રમુખ ભાવેશ શુક્લાએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં બધું નકલી ચાલે છે, નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બહાર આવે છે. ત્યારે ગુજરાતમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે.


સ્વર્ણિમ યુનિવર્સિટીમાં અપાય છે બોગસ ડિગ્રી!

ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં એડમિશન લેવાનું રહેશે, કોલેજ આવવાનું રહેશે નહિ, માત્ર પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં પણ સેટિંગ ચાલે છે કે પહેલાથી જ પેપર આપી દેવામાં આવે છે. આ બધું પહેલા ચાલતું હતું. એક અધિકારી આવ્યા ત્યારે હાજરી માગી અને પછી થોડા સમય બંધ કરી દીધું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.