Kalolની Swarnim University માં નકલી ડિગ્રી મળે છે તેવા આક્ષેપો AAPએ કર્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-07 16:10:00

બોગસ ડિગ્રી આપવાના મામલે કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીએ કર્યું છે, જેમાં આવી બોગસ ડિગ્રી વેચીને કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે. આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્સમાં બોગસ ડિગ્રી આપવામાં આવે છે. તે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે

આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન! 

ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલના ઉપપ્રમુખ ભાવેશ શુક્લાએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં બધું નકલી ચાલે છે, નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બહાર આવે છે. ત્યારે ગુજરાતમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે.


સ્વર્ણિમ યુનિવર્સિટીમાં અપાય છે બોગસ ડિગ્રી!

ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં એડમિશન લેવાનું રહેશે, કોલેજ આવવાનું રહેશે નહિ, માત્ર પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં પણ સેટિંગ ચાલે છે કે પહેલાથી જ પેપર આપી દેવામાં આવે છે. આ બધું પહેલા ચાલતું હતું. એક અધિકારી આવ્યા ત્યારે હાજરી માગી અને પછી થોડા સમય બંધ કરી દીધું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.