AAPએ ગુજરાત જીતવા કમરકસી !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:59:00

ચુંટણી નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ ગુરત જીતવા એડીચોટીનો જોર લગાવી રહી છે ત્યારે એક બાદ એક નેતો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસના ગુજરાત ગુજરાતના પ્રવસે છે ત્યારે આવતીકાલે  ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આવતીકાલે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અને 1 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છ ખાતે એક જનસભા ને સંબોધિત કરશે. ત્યાર બાદ બીજા દિવસ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં એક મોટી જનસભાને  સંબોધિત કરશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે અને ગુજરાત ની રણનીતિની ચર્ચા કરવા અરવિંદ કેજરીવાલજી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.

 

જેમ જેમ ચુંટણી નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતું જય છે ગુજરાત જીતવા જોર શોરથી રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવસે આવે છે અને બીજેપી પણ પોતાનો ગઢ જીતવા પૂરી તૈયારીયો કરી રહી છે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.