AAPએ ગુજરાત જીતવા કમરકસી !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:59:00

ચુંટણી નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ ગુરત જીતવા એડીચોટીનો જોર લગાવી રહી છે ત્યારે એક બાદ એક નેતો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસના ગુજરાત ગુજરાતના પ્રવસે છે ત્યારે આવતીકાલે  ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આવતીકાલે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અને 1 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છ ખાતે એક જનસભા ને સંબોધિત કરશે. ત્યાર બાદ બીજા દિવસ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં એક મોટી જનસભાને  સંબોધિત કરશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે અને ગુજરાત ની રણનીતિની ચર્ચા કરવા અરવિંદ કેજરીવાલજી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.

 

જેમ જેમ ચુંટણી નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતું જય છે ગુજરાત જીતવા જોર શોરથી રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવસે આવે છે અને બીજેપી પણ પોતાનો ગઢ જીતવા પૂરી તૈયારીયો કરી રહી છે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .