AAPએ ગુજરાત જીતવા કમરકસી !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:59:00

ચુંટણી નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ ગુરત જીતવા એડીચોટીનો જોર લગાવી રહી છે ત્યારે એક બાદ એક નેતો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસના ગુજરાત ગુજરાતના પ્રવસે છે ત્યારે આવતીકાલે  ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આવતીકાલે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અને 1 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છ ખાતે એક જનસભા ને સંબોધિત કરશે. ત્યાર બાદ બીજા દિવસ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં એક મોટી જનસભાને  સંબોધિત કરશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે અને ગુજરાત ની રણનીતિની ચર્ચા કરવા અરવિંદ કેજરીવાલજી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.

 

જેમ જેમ ચુંટણી નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતું જય છે ગુજરાત જીતવા જોર શોરથી રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવસે આવે છે અને બીજેપી પણ પોતાનો ગઢ જીતવા પૂરી તૈયારીયો કરી રહી છે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"