ઝરીવાલા ઘટના પછી AAP સતર્ક ,બીજા ફેઝના તમામ ઉમેદવારને સોમનાથમાં અજ્ઞાત સ્થળે શિફ્ટ કર્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 14:36:24

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને મોટો નિર્ણય કર્યો છે. તેમણે બીજા તબક્કાના તમામ ઉમેદવારોને અત્યારે સોમનાથ શિફ્ટ કરી દીધા છે.કંચન ઝરીવાલા ઘટનાક્રમને જોતા AAPએ આ નિર્ણય કર્યો છે. હજુ બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચાઈ શકે છે તેવામાં આમ આદમી પાર્ટી કોઈ જોખમ લેવા ન માગતી હોવાથી આ નિર્ણય કરાયો છે


AAP નો મોટો નિર્ણય !!

સુરતમાં કંચન ઝરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ એના ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે બીજા ફેઝના તમામ ઉમેદવારોને આજે અને કાલના દિવસ સુધી સોમનાથમાં એક અજ્ઞાત સ્થળે શિફ્ટ કરી દીધા છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ તમામને સુરક્ષિત રાખવા નિર્ણય લેવાયો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે.



ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.

ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.