ઝરીવાલા ઘટના પછી AAP સતર્ક ,બીજા ફેઝના તમામ ઉમેદવારને સોમનાથમાં અજ્ઞાત સ્થળે શિફ્ટ કર્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 14:36:24

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને મોટો નિર્ણય કર્યો છે. તેમણે બીજા તબક્કાના તમામ ઉમેદવારોને અત્યારે સોમનાથ શિફ્ટ કરી દીધા છે.કંચન ઝરીવાલા ઘટનાક્રમને જોતા AAPએ આ નિર્ણય કર્યો છે. હજુ બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચાઈ શકે છે તેવામાં આમ આદમી પાર્ટી કોઈ જોખમ લેવા ન માગતી હોવાથી આ નિર્ણય કરાયો છે


AAP નો મોટો નિર્ણય !!

સુરતમાં કંચન ઝરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ એના ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે બીજા ફેઝના તમામ ઉમેદવારોને આજે અને કાલના દિવસ સુધી સોમનાથમાં એક અજ્ઞાત સ્થળે શિફ્ટ કરી દીધા છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ તમામને સુરક્ષિત રાખવા નિર્ણય લેવાયો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.