AAP અને Congressના ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામું! ઋષિકેશ પટેલે રાજીનામાં અંગે આપી પ્રતિક્રિયા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-12-19 13:36:02

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોનું પક્ષ પલટો કરવાનું બજાર ફરી ગરમ થઈ ગયું છે. ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના ઋષિકેશ પટેલે કહ્યું કે અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે.


લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડશે ગાબડું!  

ફરીથી પક્ષપલટાની મોસમ શરૂ થઇ હોય તેવુ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આયા રામ-ગયા રામનો સિલસિલો હવે ફરી શરૂ થશે. લોકસભામાં જીતની હેટ્રીક માટે ભાજપનું ઓપરેશન 'કમલ' ફરી કામે લાગી ગયું છે. ગાંધીનગરના સૂત્રો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસમાં ફરી ગાબડા પડી શકે છે. AAP અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. 


અમે કોઈને આમંત્રણ નથી આપતા - ઋશિકેશ પટેલ 

કોંગ્રેસ તૂટવા અંગે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું રહ્યું નથી. કોંગ્રેસમાં રાજકારણ નહી રાજનીતિ ચાલે છે. આ તો ચાલતી પ્રોસેસ છે. બધા રાજ્યોમાંથી કોંગ્રેસે વિંટા વળ્યાં છે. ખરાબ નેતૃત્વના લીધે એવું થાય છે. અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે. આ બધા મોદી સાહેબને કોંગ્રેસના લોકો સમર્થન આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક ભાજપ જીતશે જ. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે. 


પાટણના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

AAP બાદ કોંગ્રેસના બે ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. તે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજે અથવા આવતી કાલે ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી શક્યતા છે. આ લિસ્ટમાં પહેલુ નામ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું સામે આવ્યું હતું તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નામ હાલ ચર્ચામાં છે


ઓપરેશન લોટસ કામે લાગ્યું!

લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સંભવિત 2 થી ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઓપરેશન લોટસ કામે લાગી ગયું છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.