હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-16 14:23:34

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે. જો કે આ પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા સીટના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સહિત ગુમ થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. AAPએ પણ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જો કે આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આ સાથે AAPના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે.


કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી 


પોતાના પરિવાર સાથે  ગઈકાલ સવારથી ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આવી સ્થિતિમાં હવે ચૂંટણી પહેલા જરીવાલાની ઉમેદવારી પાછી ખેંચવાની ચર્ચાએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કંચન ઝરીવાલા ફોર્મ પાછું ખેંચીને રડતા-રડતા નોડલ ઓફિસરની કચેરીથી બહાર નીકળ્યા હતા.


સંજયસિંહ અને ઈટાલિયાના ભાજપ પર આરોપ


કંચન ઝરીવાલએ તેમનુ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું તે અંગે આપના નેતા સંજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે  ‘તેમના ઉમેદવાર કંચન ઝરીવાલને ગઈકાલે કેટલાક ભાજપના લોકો જબરજસ્તી ઉઠાવી ફોર્મ પાછું ખેંચાવવા ચૂંટણી અધિકારી સમક્ષ લઈ ગયા હતા. જોકે તેમણે ના પાડતા પોતાની સાથે ઉપાડીને લઈ ગયા હતા અને આજે તેમની પાસેથી ફોર્મ પરત ખેંચાવ્યું છે. તેમણે કેટલાક વીડિયો પણ બતાવ્યા જેમાં AAPના ઉમેદવાર સાથે કેટલાક શખ્સો છે. જેમાં દેખાતી એક વ્યક્તિ ભાજપ સાથે સંબંધ ધરાવતા રવિ સાથે હોવાનું બતાવે છે. આ રવિ નામની વ્યક્તિની તસવીર CM ભૂપેન્દ્ર પટેલ અને પૂર્ણેશ મોદી સાથેની તસવીર બતાવે છે.’સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, હું આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અનુરોધ કરીશ કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને કંચન ઝરીવાલને ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયાથી રોકવામાં આવે. આ મામલે હું મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈશ અને તેમને રજૂઆત કરીશ.


આ ઘટના અંગે ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે, કંચનભાઈએ ગઈકાલે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપના લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે તેમનું ફોર્મ સ્વીકારાય નહીં. પરંતુ ફોર્મ સ્વીકારી લેવાતા તેમને ભાજપના લોકો પોતાની સાથે લઈ ગયા અને આખી રાત સુધી અમે તેમને શોધતા રહ્યા.ભાજપે તેમને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કર્યા છે. આજે તેઓ પોલીસની સુરક્ષામાં આવ્યા અને ફોર્મ પાછું ખેંચીને જતા રહ્યા. જો તેમણે સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચવું હોય તો રડતા રડતા કેમ બહાર ગયા? અને પોલીસ સુરક્ષાની જરૂર કેમ પડે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.