AAP - Congressનું ગઠબંધન જાહેર, સમજો આખી ગણતરી


  • Published By :
  • Published Date : 2024-02-24 12:25:44

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે સીટો પર ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. એક છે ભરૂચ લોકસભા સીટ અને બીજી છે ભાવનગર લોકસભા સીટ. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. ગુજરાતની બે સીટો સિવાય કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. 26 બેઠકોમાંથી 2 બેઠકો પર આપ ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે.

  


પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરાઈ? 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. સીટ શેરિંગને લઈ ડીલ બંને પાર્ટી વચ્ચે થઈ ગઈ છે. દિલ્હીમાં બંને પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં આપ તરફથી આતિશી.સંદીપ પાઠક તેમજ સૌરભ ભરદ્વાજ હતા તો કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી હતા. પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે દિલ્હીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 3 સીટો પર કોંગ્રેસ લડશે. ચંદીગઢ તેમજ ગોવાની બંને સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે.  હરિયાણામાં 10 લોકસભા સીટો છે જેમાંથી 9 સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર પર ચૂંટણી લડશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.