AAP - Congressનું ગઠબંધન જાહેર, સમજો આખી ગણતરી


  • Published By :
  • Published Date : 2024-02-24 12:25:44

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે સીટો પર ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. એક છે ભરૂચ લોકસભા સીટ અને બીજી છે ભાવનગર લોકસભા સીટ. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. ગુજરાતની બે સીટો સિવાય કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. 26 બેઠકોમાંથી 2 બેઠકો પર આપ ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે.

  


પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરાઈ? 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. સીટ શેરિંગને લઈ ડીલ બંને પાર્ટી વચ્ચે થઈ ગઈ છે. દિલ્હીમાં બંને પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં આપ તરફથી આતિશી.સંદીપ પાઠક તેમજ સૌરભ ભરદ્વાજ હતા તો કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી હતા. પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે દિલ્હીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 3 સીટો પર કોંગ્રેસ લડશે. ચંદીગઢ તેમજ ગોવાની બંને સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે.  હરિયાણામાં 10 લોકસભા સીટો છે જેમાંથી 9 સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર પર ચૂંટણી લડશે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .