AAPએ 2 હજારથી પણ વધારે પદાધિકારીઓની નિમણુક કરી, ઈટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:09:30

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીએ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરી છે. આપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે સંગઠનની આ પાંચમી યાદીમાં રાજ્ય કક્ષાએ, પ્રદેશ કક્ષાએ 50થી વધારે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 1,000થી પણ વધારે તથા વિધાનસભા કક્ષા અને અન્ય ક્ષેત્રે એમ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે.


ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર


આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈટાલિયાએ રાવણને સત્તાનો નશો મગજ પર ચઢ્યો ત્યારે રામરૂપી દૈવીશક્તિએ તેનો વિનાશ કર્યો હતો. એ રીતે ગાંધીનગરમાં બેઠેલા રાવણ જેવી માનસિકતા ધરાવતા ભાજપના નેતાઓને હરાવવા ભગવાને આમ આદમી પાર્ટીને જનતા વચ્ચે મુકી હોવાનું જણાવ્યું હતું.


AAP બનાવશે સરકાર- ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્વખર્ચે ઝનૂનપૂર્વક ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભારત સરકારના આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બહુ પાતળી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે તેવો પણ દાવો કર્યો હતો.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .