AAPએ 2 હજારથી પણ વધારે પદાધિકારીઓની નિમણુક કરી, ઈટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:09:30

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીએ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરી છે. આપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે સંગઠનની આ પાંચમી યાદીમાં રાજ્ય કક્ષાએ, પ્રદેશ કક્ષાએ 50થી વધારે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 1,000થી પણ વધારે તથા વિધાનસભા કક્ષા અને અન્ય ક્ષેત્રે એમ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે.


ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર


આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈટાલિયાએ રાવણને સત્તાનો નશો મગજ પર ચઢ્યો ત્યારે રામરૂપી દૈવીશક્તિએ તેનો વિનાશ કર્યો હતો. એ રીતે ગાંધીનગરમાં બેઠેલા રાવણ જેવી માનસિકતા ધરાવતા ભાજપના નેતાઓને હરાવવા ભગવાને આમ આદમી પાર્ટીને જનતા વચ્ચે મુકી હોવાનું જણાવ્યું હતું.


AAP બનાવશે સરકાર- ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્વખર્ચે ઝનૂનપૂર્વક ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભારત સરકારના આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બહુ પાતળી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે તેવો પણ દાવો કર્યો હતો.



ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., તેમણે કહ્યું કે બૂથ મેનેજમેન્ટમાં ખામી અંગેની વાત કરી હતી.

49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ઈરાનથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે... હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રી હેસૈન અમીરબદોલ્લાહિયાનનું મોત થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.