Chaitar Vasava પર થયેલા કેસ મુદ્દે AAPએ કરી પ્રેસ કોન્ફરન્સ, Isudan Gadhviએ કેસને લઈ કહી આ વાત,સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:53:02

ગઈકાલથી સૌથી વધારે ચર્ચામાં જો કોઈ વિષય રહ્યો હોય તો તે છે ચૈતર વસાવા વિરૂદ્ધ થયેલો કેસ.. તે આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. ફોરેસ્ટ વિભાગના અધિકારીને માર માર્યો હોય તેવા આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. પોલીસે તેમની પત્નીઓની ધરપકડ કરી લીધી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટાના નેતાઓ આક્રામક દેખાયા હતા. આપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી   

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજયસિંહ સહિતના નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને પણ તપાસ માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આપને ડર હતો તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આ બધા વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.

આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે - ઈસુદાન ગઢવી  

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સમર્થનમાં ડેડિયાપાડામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે બધા વચ્ચે મનસુખ વસાવાએ બંધ અંગે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી આ મામલે આક્રામક દેખાયા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. વધુમાં તેમણે કહ્યું કે તમે સંકલ્પ લો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું..



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.