Chaitar Vasava પર થયેલા કેસ મુદ્દે AAPએ કરી પ્રેસ કોન્ફરન્સ, Isudan Gadhviએ કેસને લઈ કહી આ વાત,સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:53:02

ગઈકાલથી સૌથી વધારે ચર્ચામાં જો કોઈ વિષય રહ્યો હોય તો તે છે ચૈતર વસાવા વિરૂદ્ધ થયેલો કેસ.. તે આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. ફોરેસ્ટ વિભાગના અધિકારીને માર માર્યો હોય તેવા આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. પોલીસે તેમની પત્નીઓની ધરપકડ કરી લીધી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટાના નેતાઓ આક્રામક દેખાયા હતા. આપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી   

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજયસિંહ સહિતના નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને પણ તપાસ માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આપને ડર હતો તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આ બધા વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.

આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે - ઈસુદાન ગઢવી  

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સમર્થનમાં ડેડિયાપાડામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે બધા વચ્ચે મનસુખ વસાવાએ બંધ અંગે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી આ મામલે આક્રામક દેખાયા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. વધુમાં તેમણે કહ્યું કે તમે સંકલ્પ લો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.