Chaitar Vasava પર થયેલા કેસ મુદ્દે AAPએ કરી પ્રેસ કોન્ફરન્સ, Isudan Gadhviએ કેસને લઈ કહી આ વાત,સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-04 16:53:02

ગઈકાલથી સૌથી વધારે ચર્ચામાં જો કોઈ વિષય રહ્યો હોય તો તે છે ચૈતર વસાવા વિરૂદ્ધ થયેલો કેસ.. તે આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. ફોરેસ્ટ વિભાગના અધિકારીને માર માર્યો હોય તેવા આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. પોલીસે તેમની પત્નીઓની ધરપકડ કરી લીધી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટાના નેતાઓ આક્રામક દેખાયા હતા. આપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી   

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજયસિંહ સહિતના નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને પણ તપાસ માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આપને ડર હતો તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આ બધા વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.

આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે - ઈસુદાન ગઢવી  

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સમર્થનમાં ડેડિયાપાડામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે બધા વચ્ચે મનસુખ વસાવાએ બંધ અંગે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી આ મામલે આક્રામક દેખાયા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. વધુમાં તેમણે કહ્યું કે તમે સંકલ્પ લો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું..



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.