BJP પર AAPનો પલટવાર, કેતન ઈનામદારના રાજીનામા પર બોલ્યા Isudan Gadhvi, કહ્યું 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-19 14:13:32

હજી સુધી એવા સમાચાર સામે આવતા હતા કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં ઘણા વર્ષો સુધી રહ્યા હોય તેના વિશે બીજા પક્ષમાં જોડાયા પછી સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય છે. જે પાર્ટીની નીતિ પર પહેલા સવાલ ઉઠાવ્યા હતા તે જ  પાર્ટીમાં તે લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે સવારથી એક સમાચાર ચર્ચામાં છે કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને આજે ભાજપના ધારાસભ્યએ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કર્યું છે. સામાન્ય રીતે ભાજપમાં આવી ઘટનાઓ જોવા નથી મળતી પરંતુ આ વખતે જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આ મામલે ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. 


કેતન ઈનામદારે સાંભળ્યો અંતરનો અવાજ!

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ. સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને તેના પાછળનું કારણ જણાવ્યું કે બહારથી આવતા લોકોને પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ કરતા વધુ માન આપવામાં આવે છે. 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં પણ ભાજપે વિપક્ષને ખતમ કરવાની રાજનીતિ અપનાવી તે હવે ભાજપને જ ખતમ કરી રહી છે. મહત્વનું છે કે જ્યારે બીજા પક્ષ વાળા પોતાના પક્ષને છોડે છે ત્યારે અંતરાત્મા વિશે કહેતા હોય છે ત્યારે ભાજપના ધારાસભ્યએ પણ અંતરાત્માનો અવાજ સાંભળી આ પગલું લીધું. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી