BJP પર AAPનો પલટવાર, કેતન ઈનામદારના રાજીનામા પર બોલ્યા Isudan Gadhvi, કહ્યું 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-19 14:13:32

હજી સુધી એવા સમાચાર સામે આવતા હતા કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં ઘણા વર્ષો સુધી રહ્યા હોય તેના વિશે બીજા પક્ષમાં જોડાયા પછી સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય છે. જે પાર્ટીની નીતિ પર પહેલા સવાલ ઉઠાવ્યા હતા તે જ  પાર્ટીમાં તે લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે સવારથી એક સમાચાર ચર્ચામાં છે કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને આજે ભાજપના ધારાસભ્યએ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કર્યું છે. સામાન્ય રીતે ભાજપમાં આવી ઘટનાઓ જોવા નથી મળતી પરંતુ આ વખતે જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આ મામલે ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. 


કેતન ઈનામદારે સાંભળ્યો અંતરનો અવાજ!

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ. સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને તેના પાછળનું કારણ જણાવ્યું કે બહારથી આવતા લોકોને પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ કરતા વધુ માન આપવામાં આવે છે. 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં પણ ભાજપે વિપક્ષને ખતમ કરવાની રાજનીતિ અપનાવી તે હવે ભાજપને જ ખતમ કરી રહી છે. મહત્વનું છે કે જ્યારે બીજા પક્ષ વાળા પોતાના પક્ષને છોડે છે ત્યારે અંતરાત્મા વિશે કહેતા હોય છે ત્યારે ભાજપના ધારાસભ્યએ પણ અંતરાત્માનો અવાજ સાંભળી આ પગલું લીધું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.