હિમાચલની ચૂંટણીમાં AAPનો વધ્યો જુસ્સો, ગુજરાતમાં ક્યારે થશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2022-10-31 17:33:35

ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાસનભા ચૂંટણીનો શું સબંધ રહ્યો છે 

                          ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો તો જાહેર થઇ ગઈ છે પણ ગુજરાતની ક્યારે થશે તેના પર સૌ કોઈની નજર છે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે 


2017ની ચૂંટણીમાં એક સાથે જ થઈ હતી જાહેરાત?

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 10 ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 25 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું અને 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડિસેમ્બરના દિવસે જ મતગણતરી હાથ ધરીને અંતિમ પરિણામ જાહેર થયું હતું.આમ જો 2012થી થયેલી ચૂંટણીઓ જોઈએ તો અત્યાર સુધીની ચૂંટણીઓમાં હિમાચલ અને ગુજરાતની ચૂંટણીની તારીખો લગભગ સાથે જ નક્કી થતી હોય છે અને પરિણામો પણ સાથે જ બહાર પાડવામાં આવતા હોય પણ આ વખતે એવું નથી થયું 


નવેમ્બરની શરૂઆતમાં જ જાહેર થશે તારીખો ?

જો ગત ચૂંટણીઓ અનુસાર જોઈએ તો હિમાચલ પ્રદેશની ચૂંટણી એક જ તબક્કામાં પૂર્ણ થાય છે પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં જાહેર થાય છે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઇ જતા ગુજરાતના રાજકીય પક્ષોમાં તારીખને લઈને આતુરતા સર્જાઈ રહી છે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે 1 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે.


ચૂંટણીનો કેવો માહોલ છે હિમાચલ પ્રદેશમાં

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.આ બંને પક્ષો પાંચ-પાંચ વર્ષ માટે વારાફરતી સરકાર બનાવતા રહ્યા છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઊતરી છે.હિમાચલના પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો વધ્યો છે, તેથી આ ત્રિપાંખિયો જંગ બની ગયો છે.હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 1985થી અત્યાર સુધી કોઈ પણ પક્ષ સતત બે ટર્મ સુધી સત્તામાં પરત ફરી શક્યો નથી.

1985માં ભાજપ સતત બે વાર સત્તામાં આવ્યો હતો, ત્યારથી હિમાચલ પ્રદેશમાં સતત બે ટર્મ સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. જોકે, ભાજપ 2022માં ફરીથી સત્તામાં પાછા આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.


ચૂંટણીની તારીખો પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

ચૂંટણીની તારીખો તો નક્કી થઇ જશે પણ આપણે આ લોકશાહીના પર્વમાં આપણો નેતા એવો નક્કી કરવાનો છે જે વિકાસના કામોમાં જમાવટ કરી દે



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.