હિમાચલની ચૂંટણીમાં AAPનો વધ્યો જુસ્સો, ગુજરાતમાં ક્યારે થશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2022-10-31 17:33:35

ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાસનભા ચૂંટણીનો શું સબંધ રહ્યો છે 

                          ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો તો જાહેર થઇ ગઈ છે પણ ગુજરાતની ક્યારે થશે તેના પર સૌ કોઈની નજર છે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે 


2017ની ચૂંટણીમાં એક સાથે જ થઈ હતી જાહેરાત?

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 10 ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 25 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું અને 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડિસેમ્બરના દિવસે જ મતગણતરી હાથ ધરીને અંતિમ પરિણામ જાહેર થયું હતું.આમ જો 2012થી થયેલી ચૂંટણીઓ જોઈએ તો અત્યાર સુધીની ચૂંટણીઓમાં હિમાચલ અને ગુજરાતની ચૂંટણીની તારીખો લગભગ સાથે જ નક્કી થતી હોય છે અને પરિણામો પણ સાથે જ બહાર પાડવામાં આવતા હોય પણ આ વખતે એવું નથી થયું 


નવેમ્બરની શરૂઆતમાં જ જાહેર થશે તારીખો ?

જો ગત ચૂંટણીઓ અનુસાર જોઈએ તો હિમાચલ પ્રદેશની ચૂંટણી એક જ તબક્કામાં પૂર્ણ થાય છે પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં જાહેર થાય છે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઇ જતા ગુજરાતના રાજકીય પક્ષોમાં તારીખને લઈને આતુરતા સર્જાઈ રહી છે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે 1 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે.


ચૂંટણીનો કેવો માહોલ છે હિમાચલ પ્રદેશમાં

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.આ બંને પક્ષો પાંચ-પાંચ વર્ષ માટે વારાફરતી સરકાર બનાવતા રહ્યા છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઊતરી છે.હિમાચલના પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો વધ્યો છે, તેથી આ ત્રિપાંખિયો જંગ બની ગયો છે.હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 1985થી અત્યાર સુધી કોઈ પણ પક્ષ સતત બે ટર્મ સુધી સત્તામાં પરત ફરી શક્યો નથી.

1985માં ભાજપ સતત બે વાર સત્તામાં આવ્યો હતો, ત્યારથી હિમાચલ પ્રદેશમાં સતત બે ટર્મ સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. જોકે, ભાજપ 2022માં ફરીથી સત્તામાં પાછા આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.


ચૂંટણીની તારીખો પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

ચૂંટણીની તારીખો તો નક્કી થઇ જશે પણ આપણે આ લોકશાહીના પર્વમાં આપણો નેતા એવો નક્કી કરવાનો છે જે વિકાસના કામોમાં જમાવટ કરી દે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.