હિમાચલની ચૂંટણીમાં AAPનો વધ્યો જુસ્સો, ગુજરાતમાં ક્યારે થશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2022-10-31 17:33:35

ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાસનભા ચૂંટણીનો શું સબંધ રહ્યો છે 

                          ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો તો જાહેર થઇ ગઈ છે પણ ગુજરાતની ક્યારે થશે તેના પર સૌ કોઈની નજર છે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે 


2017ની ચૂંટણીમાં એક સાથે જ થઈ હતી જાહેરાત?

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 10 ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 25 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું અને 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડિસેમ્બરના દિવસે જ મતગણતરી હાથ ધરીને અંતિમ પરિણામ જાહેર થયું હતું.આમ જો 2012થી થયેલી ચૂંટણીઓ જોઈએ તો અત્યાર સુધીની ચૂંટણીઓમાં હિમાચલ અને ગુજરાતની ચૂંટણીની તારીખો લગભગ સાથે જ નક્કી થતી હોય છે અને પરિણામો પણ સાથે જ બહાર પાડવામાં આવતા હોય પણ આ વખતે એવું નથી થયું 


નવેમ્બરની શરૂઆતમાં જ જાહેર થશે તારીખો ?

જો ગત ચૂંટણીઓ અનુસાર જોઈએ તો હિમાચલ પ્રદેશની ચૂંટણી એક જ તબક્કામાં પૂર્ણ થાય છે પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં જાહેર થાય છે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઇ જતા ગુજરાતના રાજકીય પક્ષોમાં તારીખને લઈને આતુરતા સર્જાઈ રહી છે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે 1 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે.


ચૂંટણીનો કેવો માહોલ છે હિમાચલ પ્રદેશમાં

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.આ બંને પક્ષો પાંચ-પાંચ વર્ષ માટે વારાફરતી સરકાર બનાવતા રહ્યા છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઊતરી છે.હિમાચલના પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો વધ્યો છે, તેથી આ ત્રિપાંખિયો જંગ બની ગયો છે.હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 1985થી અત્યાર સુધી કોઈ પણ પક્ષ સતત બે ટર્મ સુધી સત્તામાં પરત ફરી શક્યો નથી.

1985માં ભાજપ સતત બે વાર સત્તામાં આવ્યો હતો, ત્યારથી હિમાચલ પ્રદેશમાં સતત બે ટર્મ સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. જોકે, ભાજપ 2022માં ફરીથી સત્તામાં પાછા આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.


ચૂંટણીની તારીખો પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

ચૂંટણીની તારીખો તો નક્કી થઇ જશે પણ આપણે આ લોકશાહીના પર્વમાં આપણો નેતા એવો નક્કી કરવાનો છે જે વિકાસના કામોમાં જમાવટ કરી દે



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .